બદરીનાથ ધામના કપાટ 12 મે ના રોજ બ્રહ્મમુર્હુતમાં સવારે 6 વાગ્યે ખોલવામાં આવશે. વસંતપંચમીના અવસરે નરેન્દ્રનગર (ટિહરી) સ્થિત રાજ દરબારમાં કપાટ ખોલવાની તિથિની ગણતરી પંચાંગ જોઈને નકકી કરાઈ છે.
આ પ્રસંગે ટિહરી રાજ પરિવાર સહિત શ્રી બદરી કેદાર મંદિર સમિતિ, ડિમરી ધાર્મિક કેન્દ્રીય પંચાયતના પદાધિકારી તથા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ મોજૂદ હતા. આ કાર્યક્રમમાં મહારાની, રાજલક્ષ્મી, રાજ પુરોહિત આચાર્ય કૃષ્ણ પ્રસાદ ઉનિયાલ બદરી કેદાર મંદિર સમીતીના અધ્યક્ષ અજેન્દ્ર અજય હાજર હતા.
- Advertisement -
આ પહેલા શ્રી ડિમરી ધાર્મિક કેન્દ્રીય પંચાયતના પદાધિકારી સભ્યોએ તેલ કલશ રાજ દરબાર પરિવારને સુપ્રત કર્યા. આ કલશમાં રાજમહેલમાંથી તલનું તેલ નાખીને 25 એપ્રિલે તેલ કલશ યાત્રા રાજ મહેલથી શરૂ કરીને કપાટ ખુલવાની તિથિ એ ભગવાન બદરી વિશાલને અભિષેક હેતુ બદરીનાથ ધામ પહોંચશે.
આ પ્રસંગે વીકેટીસી અધ્યક્ષ અજેન્દ્ર અજયે કહ્યું હતું કે બદરીનાથ ધામના કપાટ ખુલવાની તિથિ નકકી થતા જ યાત્રાની તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. મંદિર સમીતી આગામી બજેટમાં યાત્રી સુવિધાઓ હેતુ પર્યાપ્ત બજેટ જોગવાઈ કરશે. સુગમતાથી બદરી વિશાલના દર્શન ભકતોને થાય તેના માટે તૈયારી ચાલુ છે.