કુલ 11 પાર્ટીઓ દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો
ખાસ-ખબર સંવાદદાતા
વાંકાનેર શહેરમાં વિવાદાસ્પદ રહેલ સાતમ – આઠમ મેળાના મેદાનની બુધવારે પાલિકા કચેરી ખાતે વહીવટદાર સહિતના અધિકારીઓ દ્વારા જાહેરમાં ફેર હરરાજી કરવામાં આવી હતી જેમાં કુલ 11 પાર્ટીઓ દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો અને બોલી બોલવામાં આવી હતી. હરરાજી કરતા પહેલા મેળાને લગતા નિયમોની સ્પષ્ટતા કરવામાં આવી હતી બાદમાં જાહેર હરરાજી શરૂૂ કરવામાં આવી હતી જેમાં લોકમેળા માટેનું મેદાન રૂ. 11.05 લાખની સૌથી ઊંચી બોલી સાથે જનકસિંહ પ્રવિણસિંહ ઝાલાને ફાળે આવ્યું હતું જેથી વાંકાનેર નગરપાલિકાને 8 લાખથી વધુનો ફાયદો થશે.
નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ મહેન્દ્રસિંહે જણાવ્યું હતું કે, આટલા વર્ષો સુધી લાગતા વળગતા લોકોને સસ્તા દરે મેળાનું આયોજન આપવામાં આવતું જેને કારણે પાલિકાને આજ સુધી લાખો રૂૂપિયાની નુકસાની થઈ છે.
- Advertisement -
વધુમાં ભાજપ અગ્રણી અમરશીભાઈ મઢવી તથા એડવોકેટ અને નોટરી રાજેન્દ્રસિંહ ઝાલાએ પાલિકાના સત્તાધીશો સામે ગંભીર આક્ષેપો સાથે વર્ષોથી એકચક્રી શાસન દ્વારા પાલિકાને લાખો રૂૂપિયાની નુકશાની કર્યાના આક્ષેપ કર્યા હતા. મેળાની હરરાજી થતાં મેળા યોજાશે તેવું નક્કી થતા વાંકાનેર પંથકમાં ઉત્સાહનું વાતાવરણ છવાયું હતું અને મેળામાં અત્યાધુનિક રાઈડ્સ અને મોટા વેપારીઓને આમંત્રિત કરાશે તેમજ દરેક સ્ટોલ પર સીધી દેખરેખ રાખી લોકો લૂંટાય નહીં તે બાબતનું ધ્યાન રાખવામાં આવશે.