ભાનુબેનને બદલે બાનુબેનનું ઓપરેશન
HCGહૉસ્પિટલ-(બે) જવાબદાર ડૉક્ટરને આકરી સજા થવી જરૂ રી
- Advertisement -
ડૉક્ટર્સનાં વિવિધ સંગઠનોએ પણ સામેથી HCG વિરૂદ્ધ અવાજ ઉઠાવવો રહ્યો
રાજકોટના 150 ફૂટ રીંગરોડ પર આવેલી એચસીજી હોસ્પિટલની ઘોર બેદરકારીનો ખાસ-ખબરમાં પર્દાફાશ થયા બાદ એચસીજી હોસ્પિટલ દ્વારા સમગ્ર મામલે ભીનું સંકેલી લેવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, હાલમાં જ એચસીજી હોસ્પિટલમાં ડો. દવેએ ભૂલમાં ભાનુબેન નામના દર્દીની જગ્યાએ બાનુબેન નામના દર્દીનું ગર્ભાશયની કોથળીની જગ્યાએ પગનું ઓપરેશન કરી નાખ્યું હતું. એચસીજી હોસ્પિટલનાં ડૉક્ટર-સ્ટાફને પોતાની ગંભીર ભૂલ સમજાતા મામલો વધુ ન બગડે અને હોસ્પિટલનું નામ ખરાબ ન થાય તે માટે એચસીજી હોસ્પિટલનાં મેનેજમેન્ટ દ્વારા દર્દીના પરિવારજનોને તગડા પૈસા આપી સમગ્ર મામલો રફેદફે કરી નાખવામાં આવ્યો છે. આમ, એચસીજી હોસ્પિટલ દ્વારા તેમના ડૉક્ટર અને સ્ટાફે કરેલી ઘોર બેદરકારી છૂપાવવા પ્રયાસ કરવામાં આવ્યો છે પરંતુ આ મામલે મેડિકલ એસોસિએશન અને રાજકોટના ડૉક્ટર એસોસિએશન સહિત પોલીસ વિભાગે વધુ તપાસ કરી એચસીજી હોસ્પિટલની અક્ષમ્ય બેદરકારી વિરુદ્ધ કાર્યવાહી કરવી જોઈએ જેથી ભવિષ્યમાં આ પ્રકારની બેદરકારી એકપણ હોસ્પિટલ કે ડૉક્ટર દ્વારા કરી દર્દીનો જીવ જોખમમાં મૂકવામાં ન આવે.
બાનુબેનનાં વિડીયો પરથી પોલીસે સામે ચાલીને HCG વિરૂ દ્ધ
- Advertisement -
ભોગ બનનાર બાનુબેનને રૂપિયા 15થી 20 લાખની ઓફર HCG તરફથી થઈ હોવાની ચર્ચાગુનો નોંધવા પ્રયત્નો કરવા જોઈએ તેવી લોકલાગણી
સ્વાસ્થ્ય ક્ષેત્રને કલંકિત કરનારી ઘટના અંગે ડૉક્ટર્સ મૌન કેમ?
રાજકોટની એચસીજી હોસ્પિટલમાં ભાનુબેન નામના દર્દીની જગ્યાએ બાનુબેન નામના દર્દીનું ઓપરેશન કરી નાખવાની ઘટના મામલે રાજકોટની ડૉક્ટરી આલમ એકપણ શબ્દ ઉચ્ચારવા તૈયાર નથી. રાજકોટના સ્વાસ્થ્ય ક્ષેત્રને કલંકિત કરનારી ઘટના અંગે સ્થાનિક ડોક્ટર્સનું ભેદી મૌન શંકા ઉપજાવનાર અને સવાલ ઉભા કરનાર છે. જો રાજકોટના ડોક્ટર્સ ખરેખર દર્દી નારાયણના મંત્રને ચરિતાર્થ કરી સેવા જ કરતા હોય તો એચસીજી હોસ્પિટલની ગંભીર ભૂલ કરનાર ડૉક્ટર, સ્ટાફ, મેનેજમેન્ટ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવી જોઈએ. ભવિષ્યમાં આ પ્રકારની ભૂલ એકપણ હોસ્પિટલ કે ડોકટર દ્વારા ન થાય તે માટેનો દાખલો બેસાડવો રહ્યો.
દર્દીના પરિવારજનોને મોટી રકમ આપી સમગ્ર મામલો રફેદફે કરી નાંખ્યો?
રાજકોટની એચસીજી હોસ્પિટલમાં ભાનુબેન અને બાનુબેન નામના બે અલગઅલગ દર્દીઓના અલગઅલગ ઓપરેશન થનારા હતા જેમાં ભાનુબેનને પગનું ઓપરેશન કરવાનું હતું તે ઓપરેશન બાનુબેનનું કરી નાખવામાં આવ્યું છે. હકીકતમાં બાનુબેનને ગર્ભાશયની કોથળીનું ઓપરેશન કરવાનું હતું. એચસીજી હોસ્પિટલના ડૉક્ટર દવે અને તેમનો સ્ટાફ ભૂલમાં ભાનુબેનની જગ્યાએ બાનુબેનને ઓપરેશન થિયેટરમાં લઈ ગયો હતો અને ગર્ભાશયની કોથળની જગ્યાએ પગનું ઓપરેશન શરૂ કરી દીધું હતું પરંતુ અડધુ ઓપરેશન થયા બાદ એચસીજી હોસ્પિટલનાં ડૉક્ટર દવે અને તેમના સ્ટાફને ભાન થયું કે આ તો ખોટું થઈ ગયું. ભાનુબેનની જગ્યાએ ભૂલમાં બાનુબેનનું ઓપરેશન શરૂ થઈ ગયું છે અને તેમના પગમાં ચેકો પણ મારી દેવામાં આવ્યો છે. જોકે એચસીજી હોસ્પિટલનાં ડૉક્ટર દવે અને તેમના સ્ટાફને પોતાની ગંભીર ભૂલનું ભાન થતા તેમણે ભીનું સંકેલવાનું પ્રયત્ન કર્યો હતો. મળતી વિગત મુજબ એચસીજી હોસ્પિટલ દ્વારા પોતાની ઘોર બેદરકારી છૂપાવવા દર્દીના પરિવારજનોને 15થી 20 લાખ ચૂકવ્યા છે. એચસીજી હોસ્પિટલે ભાનુબેનની જગ્યાએ બાનુબેનનું ઓપરેશન કર્યાનો મામલે ભીનું સંકેલી પોતાની શાખ બચાવવા હવાતિયાં મારવામાં આવી રહ્યા છે.
પોલીસે ફરિયાદી બની HCGનાં મેનેજમેન્ટ- ડૉક્ટર વિરુદ્ધ ફરિયાદ નોંધવી જોઈએ
રાજકોટના એચસીજી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દી ભાનુબેનની જગ્યાએ અન્ય એક સારવાર લઈ રહેલા દર્દી બાનુબેનનું ઓપરેશન કરી નાખવામાં આવ્યું છે. મલ્ટીસ્પેશિયાલિસ્ટ હોસ્પિટલનાં મેનેજમેન્ટ અને તેના ડૉક્ટર દવેની ગંભીર બેદરકારી વિરુદ્ધ મેડિકલ એસોસિએશન અને આરોગ્ય વિભાગે તો કડક કાર્યવાહી કરવી જ જોઈએ આ સાથે જ રાજકોટની પોલીસે ખુદ ફરિયાદી બની સમગ્ર મામલે તપાસ કરવી જોઈએ અને એચસીજી હોસ્પિટલ અને તેના ડૉક્ટર દવે પર કડક કાર્યવાહી કરવી જોઈએ જેથી ભવિષ્યમાં કોઈ બીજા દર્દીઓના જીવ જોખમમાં મુકાઈ નહીં. રાજકોટ પોલીસ માટે સેવાનું કાર્ય કરવાનો એક એવો અવસર આવ્યો છે જેમાં રાજકોટ પોલીસ નિષ્ઠા દર્શાવે તો પોતાની ખરડાયેલી છબી સુધારી શકે તેમ છે.
HCG હોસ્પિટલથી પીડિત ‘ખાસ-ખબર’નો સંપર્ક કરે
હોસ્પિટલમાં દર્દીઓ પીડામુક્ત થવાની આશાએ તપાસ કરાવવા જતા હોય છે અને દાખલ થતા હોય છે પરંતુ એચસીજી હોસ્પિટલમાં દર્દીઓ પીડામુક્ત થવા જાય છે ત્યારે તેમની પીડા તો બાજુ પર રહી છે, દર્દી અને તેના પરિવારજનો વધુ કેટલીક પીડાનો ભોગ બને છે. એચસીજી હોસ્પિટલ દ્વારા ભૂતકાળમાં અને વર્તમાનમાં એવા કેટલાય કારનામાઓ કરવામાં આવ્યા છે જેનાથી સમગ્ર સ્વાસ્થ્ય ક્ષેત્ર શર્મસાર થયા વિના ન રહે. અસંખ્ય દર્દીઓ અને તેના પરિવારજનોને એચસીજી હોસ્પિટલનો સારવાર દરમિયાન કડવો અનુભવ થયો છે, લાચાર અને પીડિત નાના માણસો આજ સુધી આ હોસ્પિટલ વિરુદ્ધ ક્યાંય ફરિયાદ કરવા ગયા નથી કે તેમનો અવાજ સાંભળવા કોઈ તૈયાર નથી ત્યારે ખાસ-ખબર એચસીજી હોસ્પિટલની દાદાગીરી અને અક્ષમ્ય ભૂલનો શિકાર બનેલા લોકોનો અવાજ ઉઠાવશે. એચસીજી હોસ્પિટલથી પીડિત લોકો ખાસ-ખબર કાર્યાલય 76982 11111 પર સંપર્ક કરે.