પાર્ટી પ્લોટનું બાંધકામ કર્યા બાદ કમર્શિયલ કરવા માટે મથામણ શરૂ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.25
સુરેન્દ્રનગર જિલ્લામાં અનેક સ્થળો પર રહેણાક હેતુ માટે બીજખેતી કરેલી જમીનોમાં વ્યવસાય એટલે કે કોમર્શિયલ બાંધકામ અને વપરાશ થતો હોય છે ત્યારે ધ્રાંગધ્રા શહેરના ઝડપી વિકસતા વિસ્તાર એટલે કે હળવદ રોડ પર દિવસેને દિવસે રહેણાક મકાનો અને દુકાનો નિર્માણ થવા પામે છે ત્યારે આ હળવદ રોડ પર જમીનોના ભાવ પણ આસમાને હોવાનું નજરે પડે છે તેવામાં અહીં વર્ષો પૂર્વે ખેતીલાયક જમીનને રહેણાક હેતુથી બિન ખેતી કરાવી ભગવત પાર્કમાં 24989ચોરસ મીટર જમીનમાં 80 જેટલા પ્લોટ પડવામાં આવ્યા હતા જે માત્ર રહે હેતુથી બિનખેતી થઈ હતી પરંતુ સમય જતા આ વિસ્તારનો દસકો આવ્યો અને હવે ભગવત પાર્ક ખાતે આવેલા પ્રથમ ચાર પ્લોટમાં પાર્ટીપ્લોટ નિર્માણ કરવામાં આવ્યો છે.
- Advertisement -
પાર્ટી પ્લોટની જમીનને ભાડે આપી મોટાભાગનું બાંધકામ પૂર્ણ થાળી દેવાયું છે અને પરંતુ રહેણાક જમીન પર કોમર્શિયલ બાંધકામ થતા હવે પ્લોટના માલિક બરોબર ભરાયા હતા. આશરે 25 લાખ રૂપિયાનું બાંધકામ થયા બાદ જ્યારે આ આખોય મામલો બહાર પડ્યો એટલે હવે રહેણાક હેતુ પ્લોટને કોમેશી કરવા માટેની દોડધામ શરૂ થઈ છે. “ખાસ-ખબર” અહેવાલો બાદ હવે જમીન માલિક દ્વારા યેનકેન પ્રકારે કોમર્શિયલ કરવા માટે ધમપછાડા કરી રહ્યા છે. પરંતુ રહેણાક પ્લોટ પર બાંધકામ કર્યા બાદ કોમર્શિયલ હુકમ કરવા માટે તંત્રના અધિકારીને પણ પગે રેલો આવે તેવો ઘાટ સર્જાયો છે જેથી રાજકીય અને આર્થિક ભીડ સાથે કોઈપણ કાળે કોમર્શિયલ હુકમ કરવા માટેની મથામણ કરતા ભૂમાફિયાઓ દ્વારા તંત્રના એકાદ કર્મચારી સાથે સેટિંગ કર્યા હોવાની પણ વાત સામે આવી છે જોકે મામલતદાર કચેરીથી નજીક હોવા છતાંય આ રહેણાક જમીન પર પાર્ટીપ્લોટ બાંધકામ થયું ત્યાં સુધી તંત્રને કંઈક ખબર ન રહી આ વાત પણ માનવામાં આવતી નથી છતાં હાલ હવે જ્યારે તંત્રના સામે આ મામલો આવ્યો છે ત્યારે હવે મામલતદાર અને પ્રાંત અધિકારી કેવા પ્રકારની કામગીરી કરે છે? તે જોવું રહ્યું.



