By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    બોર્ડર પર હલચલ વધી! પોતાના જ ઘૂસણખોરોને જોઈને બાંગ્લાદેશ ધૂઆંપૂઆં, ભારત પર લગાવ્યો મોટો આરોપ
    18 hours ago
    બ્રહ્મોસનો ખૌફ? પાકિસ્તાનના ખાસ મિત્ર તૂર્કિયેના સૂર બદલાયા, કહ્યું- અમને એક ચાન્સ આપો!
    2 days ago
    નેતન્યાહૂએ ટ્રમ્પને બતાવ્યો ઠેંગો! સીઝફાયરના આદેશ છતાં લેબેનોન પર એક જ દિવસમાં 30 હુમલા
    3 days ago
    મૃત્યુના 3 મહિના બાદ આયતુલ્લા અલી ખામેનેઈની દફનવિધિની તૈયારી, ઈરાનમાં 2 કરોડ લોકો ભેગા થશે
    3 days ago
    છોકરીઓ પાંજરામાં કેદ, 700 લોકોએ દુષ્કર્મ કર્યું… બ્રિટનના સાંસદે કર્યા ચોંકાવનારા ખુલાસા
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઇંગ્લેન્ડ-ન્યુઝીલેન્ડ ટેસ્ટમાં પિચે તબાહી મચાવી: પ્રથમ દિવસે જ પડી 16 વિકેટ
    16 hours ago
    રણમાં ટ્રક બગડતાં પાણીની તરસથી તરફડીને 49 લોકોના મોત, 2નો ચમત્કારીક બચાવ
    16 hours ago
    UP-MPમાં વાવાઝોડાંથી 500 વૃક્ષો ધરાશાયી: હરિયાણામાં ક્રેન પડી, 3નાં મોત નિપજ્યાં
    16 hours ago
    કેશ ક્રાઈસિસ! નાણાંની તંગીને કારણે અઝખ સેવાઓ ઠપ થવાની ભીતિ: સરકારી યોજનાનાં લાભાર્થીઓ મુશ્કેલીમાં મુકાશે
    16 hours ago
    પટનામાં મોટો હંગામો: ફેમસ ‘ખાન સર’ વિરુદ્ધ FIR દાખલ, બે બોડીગાર્ડ જેલ ભેગા! જાણો શું છે વિવાદ
    18 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ઇંગ્લેન્ડ-ન્યુઝીલેન્ડ ટેસ્ટમાં પિચે તબાહી મચાવી: પ્રથમ દિવસે જ પડી 16 વિકેટ
    16 hours ago
    ભારતીય ટી20 ટીમનો કેપ્ટન બદલાયો, શ્રેયસ અય્યર લેશે સૂર્યકુમાર યાદવનું સ્થાન
    18 hours ago
    સૂર્યકુમાર પાસેથી T-20ની કેપ્ટનશીપ છીનવાઈ શકે: ટીમમાં સ્થાન મેળવવું પણ મુશ્કેલ
    2 days ago
    ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, અફઘાનિસ્તાન સામેની સીરિઝ પહેલા વિરાટ કોહલી ટીમમાંથી બહાર
    2 days ago
    ક્રિકેટ ફેન્સ માટે ગુડ ન્યૂઝ! ભારત-ન્યૂઝીલેન્ડની અત્યાર સુધીની સૌથી મોટી સીરિઝનું શેડ્યૂલ જાહેર
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    3 days ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    4 days ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    1 week ago
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    2 weeks ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 days ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    ‘મોંઘવારીની જેલ’ અને ‘પેપર લીક રથ’થી સરકારને ઘેરવાનો પ્રયાસ
    16 hours ago
    બાબા બાગેશ્વર રાજકોટ પહોંચે તે પહેલાં પીપળીયા પોલીસ સ્ટેશન પહોંચ્યાં
    16 hours ago
    રેલનગરની ગુરુવારી બજારથી સ્થાનિકોમાં રોષ, ગંદકી-ટ્રાફિકની સમસ્યાથી લોકો ત્રસ્ત
    17 hours ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 days ago
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: આદિ શંકરાચાર્ય, મઠ પરંપરા અને સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Hemadri Acharya Dave > આદિ શંકરાચાર્ય, મઠ પરંપરા અને સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતી
AuthorHemadri Acharya Dave

આદિ શંકરાચાર્ય, મઠ પરંપરા અને સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતી

Khaskhabar Editor
Last updated: 2022/09/17 at 5:12 PM
Khaskhabar Editor 4 years ago
Share
11 Min Read
SHARE

સદીઓ પુરાણા આપણાં ભારતિય અધ્યાત્મની, સનાતન પરંપરાની જ્યોત આજ સુધી દૈદિપ્યમાન ઝળહળી રહી છે એમાં જેનું મહત્વનું યોગદાન છે એ જગદગુરુ આદિ શંકરાચાર્યને ભારતીય તત્વ જ્ઞાનના પિતા ગણવામાં આવે છે

આદિ શંકરાચાર્યની વાત કરીએ તો, આદિ શંકરાચાર્ય અને અભિનવ શંકરાચાર્ય.. આ બન્ને એક જ છે કે કેમ, અને એમના કાળ વિશે વિદ્વાનોમાં અનેક મત છે. એક મત ઈસવસન પૂર્વે હજારો વર્ષ પહેલાં શંકરાચાર્યનાં સમયને માને છે. બીજો મત, તેમનો સમય ઈસવસનની આઠમી સદી ગણાવે છે. મોટાભાગે જે મતનો સ્વીકાર થાય છે એ મુજબ આદિ શંકરાચાર્યનો જન્મ: ઇસવીસનની 778માં કેરાળામાં અને મૃત્યુ: ઇ.સ. 820માં થયું હતું. છે.જ્યારે તેઓ ત્રણ વર્ષના હતાં ત્યારે તેમના પિતાનું મૃત્યુ થઇ ગયું. ત્યાર બાદ ગુરુના આશ્રમમાં શંકરાચાર્યજીને ખૂબ જ નાની ઉંમરે વેદ અને ઉપનિષદનું જ્ઞાન સિદ્ધ થયું હતું.. ત્યારબાદ તેઓએ ભારતયાત્રા શરૂ કરી અને ધર્મ, સંસ્કૃતિનું પુન: સ્થાપન કર્યું. આદિ શંકરાચાર્ય અદ્વૈત વેદાંતના સ્થાપક, સંસ્કૃત વિદ્વાન, ઉપનિષદ વ્યાખ્યાતા અને હિન્દુ ધર્મ ઉપદેશક ગણાય છે. હિંદુ ધાર્મિક માન્યતા અનુસાર તેમને ભગવાન શંકરનો અવતાર માનવામાં આવે છે. ભારતમાં વૈદિક ધર્મના પુન:ઉત્થાનના ઈતિહાસમાં આદ્યશંકરાચાર્યનું નામ સર્વોચ્ચ સ્થાને છે એમ કહી શકાય. એમના વ્યક્તિત્વની વાત કરીએ તો,, કવિ, સાહિત્યકાર, ભક્ત, ગુરુ, દાર્શનિક, સદાચારી, ધર્મ-સુધારક, સમાજ-સુધારક, વિવિધ સંપ્રદાયોના સંયોજકકર્તા… એવા અનેક આયામ છે.

- Advertisement -

જ્યારે આદિ શંકરાચાર્યનો જન્મ થયો એ સમયે ભારત સામાજિક-ધાર્મિક અધ:પતનના માર્ગે ઊભું હતું, બૌદ્ધ અને જૈન ધર્મમાં દુષણો પેસી ગયા હતાં, હિંદુ ધર્મમાં ભ્રષ્ટાચાર વ્યાપક બની ગયો હતો

તેમણે પોતાના અજેય તર્ક વડે શૈવ, શાક્ત અને વૈષ્ણવોના દ્વૈતનો અંત કરીને પંચદેવોપાસનાનો માર્ગ બતાવ્યો.
જ્યારે આદિ શંકરાચાર્યનો જન્મ થયો એ સમયે ભારત સામાજિક-ધાર્મિક અધ:પતનના માર્ગે ઊભું હતું. બૌદ્ધ અને જૈન ધર્મમાં દુષણો પેસી ગયા હતાં. હિંદુ ધર્મમાં ભ્રષ્ટાચાર વ્યાપક બની ગયો હતો. વૈદિક ધર્મના સત્યોને છૂપાવીને વેદના સિદ્ધાંતો અને વિભાવનાઓના નામે, હિંદુ ધર્મના વિવિધ સંપ્રદાયો અને કહેવાતાં ધર્મગુરુઓ અંધશ્રદ્ધા અને જડતા ફેલાવી રહ્યા હતાં અને ભારતવર્ષ વિકટ બૌદ્ધિક, આધ્યાત્મિક અને સામાજિક ઉથલપાથલમાંથી પસાર થઈ રહ્યું હતું. હિંદુ ધર્મ અથવા વૈદિક ધર્મ માત્ર વિસ્તૃત ધાર્મિક વિધિઓનું પ્રદર્શન બની ગયું હતું. હિંદુ ધર્મમાં હજારો દેવતાઓને સમર્પિત ઘણા અસહિષ્ણુ સંપ્રદાયો વિકસી આવ્યા હતા. ધર્મના નામે અનેક દુષણો, અસંતોષ અને ભ્રષ્ટાચાર હતા. સનાતન ધારા વિશેની ભ્રામક ભ્રમણા અને અધોગતિની સ્થિતિમાં, સનાતન પરંપરાના તારણહાર બની શંકરાચાર્યે જીવનનું તત્વજ્ઞાન, અદ્વૈત વેદાંતના શુદ્ધિકરણ અને એકીકરણને આગળ લાવી સનાતન પરંપરાના વિકૃત થઈ રહેલા ખોળિયામાં નવું સત્વ ઉમેરી તેને નવજીવન આપ્યું. સનાતન ધર્મમાં નવપ્રાણ ફૂંકીને આદિ શંકરાચાર્યએ જે મહાન યોગદાન આપ્યું છે, તે ભારતીય ચેતનાની મહાધારાને પ્રવાહપૂર્ણ બનાવી રાખે છે. માત્ર બત્રીસ વર્ષનીઅલ્પાયુમાં શંકરાચાર્યએ તેમના જીવનમાં જે પુરુષાર્થ કર્યો તે સમગ્ર સંસ્કૃતિનો વાહક બની ગયો. લોકોને વેદની વિભાવનાની સાચી સમજ આપવી, શાસ્ત્રાર્થ દ્વારા અણીશુદ્ધ તથ્યોને સિદ્ધ કરવા તેમજ વેદો તથા અન્ય વૈદિક સાહિત્ય પર અનેક ભાષ્યોની રચના કરી તેમણે એ તથ્યને લોકો સુધી પહોચાડ્યું.

આ ઉપરાંત મઠોની સ્થાપના, દશનામ સંન્યાસપ્રથાને સુવ્યવસ્થિત બનાવી, સગુણ-નિર્ગણના ભેદને નાબૂદ કરવાના પ્રયાસો, હરિહર નિષ્ઠાની સ્થાપના, આ કાર્યો તેમને ’જગદ્ગુરુ’ના પદ સુધી પહોંચાડે છે. ધર્મ, સંસ્કૃતિ અને દેશની સુરક્ષા માટે, ભારતની સાંસ્કૃતિક અને આધ્યાત્મિક એકતા માટે આદિ શંકરાચાર્યે વિશેષ વ્યવસ્થારુપે ભારતવર્ષમાં ચાર ભાગમાં અધ્યાત્મના કેન્દ્ર સમાં ચાર મઠ(પીઠ)ની સ્થાપના કરી હતી.

- Advertisement -

મઠ એટલે એવાં ધાર્મિક સંસ્થાન કે જ્યાં ગુરુ પોતાના શિષ્યોને શિક્ષણ, ઉપદેશ વગેરે આપે છે તેમના દ્વારા આપવામાં આવેલ શિક્ષણ મુખ્યત્વે આધ્યાત્મિક હોય છે, આ ઉપરાંત સામાજિક-નૌતિક મૂલ્યો, સમાજ સેવા અને સાહિત્ય વગેરે પણ મઠનાં કાર્યક્ષેત્ર છે. જે પ્રકારે બ્રહ્માના ચાર મુખ છે અને તેમના દરેક મુખમાંથી એક વેદની ઉત્પત્તિ થાય છે. પૂર્વના મુખથી ઋગ્વેદ, દક્ષિણથી યર્જુર્વેદ, પશ્ચિમથી સામવેદ અને ઉત્તરથી અથર્વવેદની ઉત્ત્પત્તિ થઇ છે. આ આધારે આ ચારેય પીઠ એક-એક વેદ સાથે જોડાયેલી છે. ઋગ્વેદથી ગોવર્ધન પુરી મઠ એટલે જગન્નાથ પુરી, યજુર્વેદથી શ્રંગેરી જે રામેશ્વરના નામથી ઓળખાય છે. સામવેદથી શારદા મઠ, જે દ્વારકામાં છે અને અથર્વવેદથી જ્યોતિર્મઠ જોડાયેલ છે. જે બદ્રીનાથમાં છે.દરેક મઠના મઠાધિપતિ શંકરાચાર્ય કહેવાય છે. જે સ્વાભાવિક રીતે જ આદિ શંકરાચાર્યએ દર્શાવેલા અધ્યાત્મના માર્ગે ચાલીને લોકોને આપણી સમૃદ્ધ પરંપરા વિશે જ્ઞાન આપે છે. સનાતન ધારાની ગુરુ -શિષ્ય અને સન્યાસ પરંપરામાં શંકરાચાર્યનું પદ ખૂબ જ મહત્વપૂર્ણ રહ્યું છે. શંકરાચાર્યને હિંદુઓને આધ્યાત્મિક તેમજ જીવન વિષયક માર્ગદર્શન આપવાનો વિશેષાધિકાર રહ્યો છે. ચાર મઠના શંકરાચાર્ય અને તમામ વૈષ્ણવાચાર્ય મહાભાગો સનાતન મૂલ્યોને પુન:સ્થાપિત કરવામાં સક્રિય છે.આદિ શંકરાચાર્યે શરુ કરેલી આ મઠ પરંપરા આજ સુધી અસ્ખલિતપણે વહી રહી છે અને સમયે સમયે અલગ- અલગ મઠાધિપતિઓએ (શંકરાચાર્ય) ચારેય પીઠને શોભાવતા રહ્યાં છે.
આદિ શંકરાચાર્ય સ્થાપેલી ઉપરોક્ત પરંપરાનાં વાહક એવાં સ્વામી સ્વરૂપાનંદ 1981થી જ્યોતિર્મઠ તેમજ શારદા પીઠનાં સંયુકત મઠાધિપતિ/શંકરાચાર્ય પદે બિરાજમાન હતાં જેઓ, તાજેતરમાં જ બ્રહ્મલિન થયાં છે. એમના વિશે થોડુંક….

સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીજીનો જન્મ મધ્યપ્રદેશના સિવની જિલ્લાના દિઘોરી ગામમાં 2 સપ્ટેમ્બર 1924ના રોજ સનાતન હિન્દુ પરંપરાના બ્રાહ્મણ પરિવારમાં થયો. બાળપણમાં તેમનું નામ પોથીરામ હતું, જે તેમના માતા-પિતાએ વિદ્વાનના આગ્રહથી રાખ્યું હતું. સાત વર્ષની ઉંમરે પિતાનું અવસાન થયું. નવ વર્ષની ઉંમરે ઘર છોડીને ધર્મની ખોજમાં યાત્રાએ નીકળી પડેલા સ્વામીજી ભારતના પ્રસિદ્ધ તીર્થસ્થળ અને સંતોની મુલાકાત લેતા કાશી પહોંચ્યા, ત્યાં સ્વામી કરપાત્રી મહારાજના સંપર્કમાં આવ્યા અને તેમની પાસેથી શાસ્ત્ર અને વેદ વેદાંગનું શિક્ષણ મેળવ્યું હતું.
આ દરમિયાન ભારતને અંગ્રેજી આધિપત્યમાંથી મુક્ત કરાવવા સ્વાતંત્ર સંગ્રામ ચાલી રહ્યો હતો. 1942ના ભારત છોડો આંદોલનમાં ઓગણીસ વર્ષના આ સ્વામીજીએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ ઉપરાંત સ્વામીજીને 1942માં વારાણસીમાં બનારસ હિંદુ યુનિવર્સિટીના સત્યાગ્રહી વિદ્યાર્થીઓની સુરક્ષા માટે એક યોજના બનાવી જેમાં, વાયર કાપવાના આરોપમાં નવ મહિનાની જેલની સજા પણ કરવામાં આવી હતી. વળી, મધ્યપ્રદેશમાં પણ તેમને છ મહિનાની જેલની સજા કરવામાં આવી હતી. ત્યારથી તેઓ ક્રાંતિકારી સાધુ તરીકે પ્રખ્યાત થયા.તેઓ કરપાત્રી મહારાજની ’રામ રાજ્ય પરિષદ’ના પ્રમુખ પણ રહ્યા. 1950માં, સ્વામીજીએ બ્રહ્મલિન શંકરાચાર્ય સ્વામી બ્રહ્માનંદ સરસ્વતી પાસે દંડી સંન્યાસની દીક્ષા લીધી, ત્યારબાદ તેઓ સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતી તરીકે ઓળખાયા અને 1981માં તેમને શંકરાચાર્યની પદવી મળી. ત્યારથી મૃત્યુપર્યંત તેમણે ઉપરોક્ત બન્ને મઠની ગાદીને શોભાવી.
સ્વામી સ્વરૂપાનંદનાં કાર્યફલક વિશે વાત કરીએ તો,ધાર્મિક-અધ્યાત્મિક પ્રવૃતિઓ ઉપરાંત તેમનું કાર્યફલક અતિ વિશાળ રહ્યું છે. શંકરાચાર્ય તરીકે, તેમણે આજ સુધી જે જે સામાજિક- દેશહિતના કાર્ય કર્યા છે એવુ કોઈ સંસ્થા કે વ્યક્તિએ સ્વતંત્રપણે કર્યું નથી.

સ્વામી સ્વારૂપનંદ તેમના સ્પષ્ટવક્તાપણા તેમજ વિવાદાસ્પદ વિધાનોને કારણે હંમેશા ઓળખાતા રહ્યા છે…. શંકરાચાર્ય તરીકે, તેમણે આજ સુધી જે જે સામાજિક- દેશહિતના કાર્ય કર્યા છે એવુ કોઈ સંસ્થા કે વ્યક્તિએ સ્વતંત્રપણે કર્યું નથી

શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ ઉપરાંત તેમના માર્ગદર્શનમાં તેમના અનેક શિષ્યો દેશભરમાં વિવિધ પ્રકારના સેવાકીય અભિયાન શરુ કર્યા, જેના કારણે કરોડો ગરીબ લોકો, સંતો, વિદ્યાર્થીઓ વગેરે ભોજન, વસ્ત્ર, શિક્ષણ, દવા, આવાસનો લાભ લઈ રહ્યા છે

ગૌરક્ષા આંદોલનમાં ધર્મ સમ્રાટ સ્વામી કરપાત્રીજીના નેતૃત્વના કરવા બાબતે સ્વામી સ્વરૂપાનંદ ત્રણ વખત જેલમાં ગયા અને એક વખત રામ મંદિર માટે પણ તેઓએ જેલવાસ ભોગવ્યો છે
શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ ઉપરાંત તેમના માર્ગદર્શનમાં તેમના અનેક શિષ્યો દેશભરમાં વિવિધ પ્રકારના સેવાકીય અભિયાન શરુ કર્યા, જેના કારણે કરોડો ગરીબ લોકો, સંતો, વિદ્યાર્થીઓ વગેરે ભોજન, વસ્ત્ર, શિક્ષણ, દવા, આવાસનો લાભ લઈ રહ્યા છે. ઉપરાંત અનેક ગૌશાળાઓ પણ ચલાવવામાં આવી રહી છે. વળી, ધાર્મિક-આધ્યાત્મિક અભિયાન હેઠળ અનેક પ્રકલ્પ નિર્માણાધીન છે, જેમાં આશ્રમો, મંદિરો, દવાખાનાઓ, વેદ અને સંસ્કૃત શાળાઓ, વગેરેનું નિર્માણ ચાલી રહ્યું છે. જે થોડા વર્ષોમાં પૂર્ણ થશે. સ્વામીજીના મોટાભાગના આશ્રમો વનવિસ્તાર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં સ્થિત છે. આ તમામ આશ્રમોમાં જરૂરિયાતમંદને મફત ભોજન અને રહેવાની વ્યવસ્થા પુરી પાડવામાં આવે છે.
હિંદુઓના આસ્થાસ્થાન એવા રામજન્મભૂમિ સ્થળના વિવાદમાં હિંદુ શ્રદ્ધાને ઉચિત ન્યાય મળ્યો એમાં શંકરાચાર્યજીનો ખુબ જ મહત્વપૂર્ણ અને મોટો ફાળો રહ્યો છે. તેઓએ ત્રીસ વર્ષ સુધી રામ મંદિર માટે આંદોલનો કર્યા, ન્યાયિક લડત આપી અને આ અંતર્ગત અનેક કેસ લડીને હિંદુઓને વિજય અપાવ્યો. સ્વાભાવિક છે કે તેમની આ લડત, કશા પણ રાજનૈતિક લાભની અપેક્ષારહિત , અણીશુદ્ધ રીતે આપણી પ્રાચીન ગરિમાને ન્યાય આપવાની હતી. અહીં એક મહત્વની વાત છે કે સ્વામી સ્વરૂપાનંદને કોંગ્રેસ વિચારધારાનાં પ્રખર સમર્થક માનવામાં આવે છે. અલબત્ત, કોંગ્રેસ જેના વિશે ક્યારેય ન્યાય કરવા રાજી ન હતી તેવા, રામમંદિર તેમજ તેના જેવા અસંખ્ય બીજા મુદ્દે કે જેનો પ્રત્યક્ષ સંબંધ હિન્દુત્વ કે સનાતન ધારા સાથે રહયો હોય, બધા માટે કોંગ્રેસની વિચારધારા વિરુદ્ધના મુદ્દે પણ તેઓએ આજીવન લડત આપી છે આ બાબત તેમના વલણને સ્પષ્ટ કરે છે કે તેઓ પ્રાચીન ધરોહર કે આધ્યાત્મિક મૂલ્યો બાબતમાં રાજકારણ ભળવા દેતા નથી. રામ સેતુ, ગંગા શુદ્ધિકરણ તેમજ ગૌ સંરક્ષણ માટેના તેમના જંગી આંદોલન વિશે સૌ જાણે છે. તેઓએ ભારતના નકલી(!) શંકરાચાર્યો સામે આંદોલન કર્યું, કાશીના મંદિરો માટે આંદોલન કર્યા છે

સ્વામી સ્વારૂપનંદ તેમના સ્પષ્ટવક્તાપણ તેમજ વિવાદાસ્પદ વિધાનોને કારણે હંમેશા ઓળખાતા રહ્યા છે.
23 જાન્યુઆરી 2014ના રોજ જ્યારે જબલપુરમાં એક પત્રકારે તેમને પૂછ્યું કે ’નરેન્દ્ર મોદી અને અરવિંદ કેજરીવાલ, બન્નેમાં શ્રેષ્ઠ વડાપ્રધાન કોણ?’ તો તેઓ ગુસ્સે થઈ ગયા અને તે પત્રકાર સાથે ખૂબ જ અણછાજતું વર્તન કર્યું હતું. તેઓએ સાઈ બાબા વિશે પણ વિવાદાસ્પદ વિધાનો કર્યા હતાં. જ્યારે સુપ્રીમ કોર્ટે મહિલાઓને મહારાષ્ટ્રના શનિ શિંગણાપુર મંદિરમાં પ્રવેશવાની મંજૂરી આપી ત્યારે સ્વામીજીએ કહ્યું હતું કે “શનિ એક પાપગ્રહ છે. તેમની શાંતિ માટે પ્રયત્નો કરવામાં આવે છે. મહિલાઓએ મંદિરમાં પ્રવેશ લેવાનું ટાળવું જોઈએ કારણ શનિ પૂજા મહિલા માટે દુર્ભાગ્ય લાવશે અને તેમની સામેના ગુનાઓ, બળાત્કાર, અન્યાય, અત્યાચાર અને ગેરરીતિની ઘટનાઓમાં વધારો થશે! તેઓ વર્તમાન સરકારે રામજન્મભૂમિ મુદ્દાનો રાજનૈતિક લાભ માટે જ ઉપયોગ કર્યો તેનાથી ખૂબ જ નારાજ હતા. તેઓના મતે રાજકારણ અને ધર્મકારણ બન્ને અલગ બાબત છે, જેના પર રાજકારણ ન થવું જોઈએ!

અલબત્ત, સ્વામી સ્વરૂપાનંદ, સનાતન એટલે કે વિશ્વના સૌથી સહિષ્ણુ, ઉદાર અને ઉદાત ધારાના, સાર્વત્રિક સંવાદિતાના હિમાયતી રહ્યા છે. તેમણે જનહિતના તેમજ સંસ્કૃતિ હિતના અનેક ભગિરથકાર્ય કર્યા છે. તેમની પવિત્ર ચેતના થકી હજારો હૃદયમાં જ્ઞાનદીપ પ્રજ્વલિત કર્યા છે. આપણા શંકરાચાર્યો અને ધાર્મિક ગુરુઓએ હંમેશા ભેદભાવ નાબૂદ કરવા અને સર્વધર્મ સમભાવની ભાવનાને મજબૂત કરવાનું કામ કર્યું છે. તેથી જ શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદજી માટે લોકોને વિશેષ આદર છે, જે હંમેશા હંમેશા રહેશે..અસ્તુ…..

 

 

You Might Also Like

અહંકાર વિરુદ્ધ આત્મસન્માન: ટીવી પત્રકારત્વના પતન સામે શિક્ષકોનો બુલંદ અવાજ

બાબા બાગેશ્ર્વરની કથાને લઈ આટલી બધી બબાલ કેમ?

ધુરંધર અને પ્રોપેગંડા

Delulu is solulu મોજમાં રહેવાનું વિજ્ઞાન

શ્રદ્ધાનું ઘોડાપૂર કે વિનાશનું આમંત્રણ?

TAGGED: AdiShankaracharya, Mathtradition, SwamiSwarupanandaSaraswati
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article Free Essay Typer Review
Next Article આઝાદ તમને જકડી લેશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

વિશ્ર્વ પર્યાવરણ દિવસ નિમિત્તે મનપા દ્વારા 18 સ્થળોએ 750થી વધુ વૃક્ષોનું વાવેતર

Khaskhabar Editor Khaskhabar Editor 16 hours ago
રાજકોટ સાયકલ ક્લબના 11મા દિવસની ઉજવણી નિમિત્તે નાઇટ સિટી રાઈડ યોજાઇ
રાજકોટમાં સનાતન સેતુ હનુમંત કથા પૂર્વે ભવ્ય અક્ષત કળશ યાત્રા યોજાઈ
રાજકોટ મનપાની સ્ટે. કમિટીની બેઠકમાં 86.54 કરોડના વિકાસ કામોને લીલીઝંડી
ઇંગ્લેન્ડ-ન્યુઝીલેન્ડ ટેસ્ટમાં પિચે તબાહી મચાવી: પ્રથમ દિવસે જ પડી 16 વિકેટ
રણમાં ટ્રક બગડતાં પાણીની તરસથી તરફડીને 49 લોકોના મોત, 2નો ચમત્કારીક બચાવ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Hemadri Acharya Dave

અહંકાર વિરુદ્ધ આત્મસન્માન: ટીવી પત્રકારત્વના પતન સામે શિક્ષકોનો બુલંદ અવાજ

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
Bhavy Raval

બાબા બાગેશ્ર્વરની કથાને લઈ આટલી બધી બબાલ કેમ?

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
Author

ધુરંધર અને પ્રોપેગંડા

Khaskhabar Editor Khaskhabar Editor 7 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?