By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    હોર્મુઝ સ્ટ્રેટ ખૂલ્યા બાદ પણ યુદ્ધના ભણકારા! ટ્રમ્પનું ઈરાનને અલ્ટિમેટમ- ડીલ કરો નહીંતર ફરી થશે હુમલો
    14 hours ago
    મિડલ ઈસ્ટમાં ‘શાંતિ સ્થાપના’ના 5 સંકેત! ટ્રમ્પની મોટી જાહેરાત- ઈરાન ‘ન્યુક્લિયર ડસ્ટ’ પરત કરવા તૈયાર
    2 days ago
    તોઈબાના આતંકી હાફિઝ સઈદના ‘રાઈટ હેન્ડ’ને પાકિસ્તાનમાં અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારી
    3 days ago
    માલદીવમાં અમેરિકન રાજદૂતનું ‘અપમાન’? પ્રમુખ મુઈજ્જુએ મુલાકાત ન કરી, ટ્રમ્પ ગુસ્સે ભરાશે!
    4 days ago
    અમેરિકાનું ‘ડ્રગ્સ ઝોમ્બી ઝોન’ માનવતા હારી અને નશો જીત્યો
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પનકલા નરસિંહ મંદિરમાં ભગવાન માત્ર ગોળનું પાણી જ ગ્રહણ કરે છે
    12 hours ago
    પુણેમાં એરફોર્સના વિમાનનું હાર્ડ લેન્ડિંગ
    12 hours ago
    આજે રાત્રે 8:30 વાગ્યે ઙખ મોદી દેશને સંબોધિત કરશે
    12 hours ago
    મહિલા અનામત બિલ મામલે ભાજપનું દેશવ્યાપી વિરોધ પ્રદર્શન
    12 hours ago
    ટ્રમ્પ: જૂઠાણાંની ફેક્ટરી
    12 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બુમરાહ-સૂર્યા-તિલકનું પત્તું કપાશે? પંજાબ સામે હારતાં હાર્દિકનો પારો સાતમા આસમાને, કહ્યું – જવાબદારી તો લેવી પડશે
    2 days ago
    RCBની જીત બાદ વિવાદ: પ્લેયર ઓફ ધ મેચ મુદ્દે આકાશ ચોપડાએ કહ્યું- યુવા ખેલાડી સાથે થયો અન્યાય
    3 days ago
    અજિંક્યા રહાણેની કેપ્ટન્સી છીનવાઈ શકે, રિંકુ સિંહ પણ સદંતર નિષ્ફળ, KKR માટે માથાનો દુઃખાવો
    4 days ago
    સતત ફ્લોપ રહ્યા બાદ ધોનીની એક સલાહે નૂર અહેમદને બનાવ્યો ગેમ ચેન્જર, KKR જોતી જ રહી ગઈ
    4 days ago
    IPL ડેબ્યુની પ્રથમ ઓવરમાં 3 વિકેટ ઝડપનાર વિશ્વનો પ્રથમ બોલર: જાણો કોણ છે પ્રફુલ હિંગે
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    3 days ago
    ‘ધુરંધર’એ રચ્યો વધુ એક ઈતિહાસ, 3000 કરોડ કમાનારી ભારતની પ્રથમ ફિલ્મ ફ્રેન્ચાઈઝી બની!
    4 days ago
    ‘ધૂરંધર 2’નો બોક્સ ઓફિસ પર ધમાકો: એક જ ભાષામાં 1000 કરોડ પાર કરનાર પહેલી ફિલ્મ બની…
    1 week ago
    હોલિવૂડ સ્ટાર મેથ્યુ પેરી મોત કેસમાં ભારતીય મૂળની મહિલાને 15 વર્ષની સજા! કોર્ટમાં રડી પડી ‘કેટામાઇન ક્વીન’
    1 week ago
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    6 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    5 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    6 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સનાતન વિરુધ્ધનાં ષડ્યંત્રોને ઉઘાડાં કરતું અદ્ભૂત પુસ્તક
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > સનાતન વિરુધ્ધનાં ષડ્યંત્રોને ઉઘાડાં કરતું અદ્ભૂત પુસ્તક
રાજકોટ

સનાતન વિરુધ્ધનાં ષડ્યંત્રોને ઉઘાડાં કરતું અદ્ભૂત પુસ્તક

Khaskhabar Editor
Last updated: 2025/01/31 at 4:58 PM
Khaskhabar Editor 1 year ago
Share
6 Min Read
SHARE

‘નકલી નારાયણનો પ્રપંચી સંપ્રદાય’

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

- Advertisement -

હિંદુ સનાતન ધર્મ પ્રારંભથી જ લવચીક રહ્યો છે. જે ધર્મના પાયામાં જ ઉદાર ભાવના સમાયેલી હોય, જ્યાં વિવિધ મત, પંથ અને વિચારધારાને સહજપણે સ્વીકારી તેને એક માળામાં મણકાની જેમ પરોવીને અદ્વૈતની ઊંચાઈએ પહોંચાયું હોય – તે શ્રેષ્ઠતમ હોય તેમાં કોઈ બે મત નથી. સનાતન ધર્મ અનેકવિધ મત અને સંપ્રદાયમાં વહેંચાયેલો દેખાય છે, પણ અંતે તો સાકાર પંચદેવની ઉપાસના દ્વારા નિરાકાર પરબ્રહ્મની પ્રાપ્તિ જ હિંદુ ધાર્મિક વ્યક્તિનો ધ્યેય હોય છે.
પણ સનાતનની આ જ વિશેષતાનો દૂરુપયોગ કરી અમુક સ્વાર્થી વ્યક્તિઓ સંપ્રદાયના નામે પોતાના વ્યક્તિગતલાભ કે સત્તા લાલસા માટે ધર્મ વિરુદ્ધ, શાસ્ત્ર વિરુદ્ધ અને સત્ય વિરુદ્ધ એક અલગ વિચારધારા સર્જી લોકસમૂહને છળ દ્વારા અધર્મ – પાપના માર્ગે દોરી જાય છે. ભૂતકાળમાં પણ વખતોવખત આવા ધર્મ વિરુદ્ધના કાર્યોનો વિરોધ લોકો દ્વારા થયેલ. જેમ કે પુષ્ટીમાર્ગ સંપ્રદાયમાં પ્રવેશેલાં અનિષ્ટો વિરુદ્ધ કરસનદાસ મૂળજીએ અવાજ ઉઠાવેલો (મહારાજ લાયબલ કેસ) જેના પરિણામરૂપ લોકોને પુન: સનાતનના માર્ગે પરત લાવવામાં સફળતા મળી હતી.
આજે ફરીથી સનાતન ધર્મ વિરુદ્ધ ષડ્યંત્ર રચાયું છે. જેને ખુલ્લું પાડવા આ પુસ્તક કોણ સ્વામી અને કોણ નારાયણ? સામે આવ્યું છે. વૈષ્ણવ સંપ્રદાયની જેમ જ કૃષ્ણભક્તિ ઉપર આધારિત ઉદ્ધવ સંપ્રદાય જે કાળક્રમે સ્વામિનારાયણ સંપ્રદાય તરીકે પરિવર્તન પામ્યો, તે સ્વામિનારાયણ સંપ્રદાયમાં સનાતન ધર્મના શાસ્ત્રોમાં છેડખાની કરી કેવું સનાતન વૈદિક ધર્મ વિરોધી સ્વરૂપ ઉત્પન્ન કરવામાં આવ્યું તે આ પુસ્તક વિગતે જણાવે છે. વીસ પ્રકરણોમાં ફેલાયેલ આ પુસ્તકમાં પોતાના ઈષ્ટદેવ કૃષ્ણને સાઈડમાં ધકેલીને સહજાનંદ સ્વામી ‘સર્વોપરી ભગવાન’ કેવી રીતે બની ગયા કે બનાવી દેવાયા તેનો પ્રમાણ સહિત ઇતિહાસ છે. કઈ રીતે ગુજરાતના હિંદુઓને આ સંપ્રદાય દ્વારા પંચદેવ પૂજાથી વિમુખ કરવામાં આવે છે અને સંપ્રદાય કઈ રીતે પોતાની મૂળ હિંદુ સનાતન ધર્મની વિચારસરણીથી ભટકી ગયેલ છે? – આ બધાં પ્રશ્ર્નોનો જવાબ આ પુસ્તકમાંથી મળી રહે છે. લેખકે સંપ્રદાયના પ્રારંભથી આજદિન સુધીની તમામ બાબતો આવરી લીધી છે. કૃષ્ણભક્ત સંતથી અવતાર અને પછી સર્વોપરી ભગવાન, અક્ષરધામનું જૂઠ, પ્રગટ બ્રહ્મ સ્વરૂપ, અંગ્રેજો અને ખ્રિસ્તી પાદરીઓની મદદથી સ્વામિનારાયણ સંપ્રદાયનો પાયો સ્થપાવો, શાસ્ત્રોના નકલી પુરાવાઓ, પુરાણોના વિકૃત અર્થઘટનો, સોશિયલ મીડિયા પર સનાતનીઓની જાગૃતિથી ઉભુ થયેલું જન આંદોલન, સંઘ અને શંકરાચાર્ય, પરંપરાવાદી સંતો અને સંઘ સમર્થિત સંતો તેમજ સંપ્રદાય વિરુદ્ધ જાગૃતિ માટે સનાતનીઓ દ્વારા આજદિન સુધી થયેલા પ્રયત્નો અને તમામ બાબતોની વિસ્તૃત છણાવટ છે.

લેખક ડો. કૌશિક ચૌધરી જે હિંદુ આધ્યાત્મ અને આઘુનિક વિજ્ઞાનને જોડતા પુસ્તકોના લેખક અને ગુજરાત સમાચાર તેમજ લોકસત્તા જનસત્તા જેવા વર્તમાન પત્રોના કોલમિસ્ટ છે, તેમણે આ વિષય પર પોતાના સંસ્મરણોની એક કથા રૂપે આખો વિષય વર્ણવ્યો છે. અને તે કથા તેમાં આવતા પ્રમાણભૂત સંદર્ભો, વિડિયો અને પુસ્તકોની વેબ લિંકો તેમજ તેમના આ વિષય પર લખાયેલા ગહન લેખો વડે એટલી અદભુત રીતે ગુંથવામાં આવ્યું છે કે વાચક પુસ્તક એકવાર પકડે એટલે નવ દસ પ્રકરણ એકસાથે વાંચી નાખે. પુસ્તક એટલી સખત રીતે તેના પ્રવાહમાં તમને ઝકડી રાખે છે, કે કોઈ અગત્યના સામાજિક-ધાર્મિક મુદ્દા પર ઉપલબ્ધ થનાર એક મહત્વપૂર્ણ દસ્તાવેજ સાથે એક સ્વતંત્ર પુસ્તક તરીકે પણ રસપ્રદ, રોચક અને સફળ સાબિત થાય છે.
પુસ્તકમાં હિંદુ ધર્મના શાસ્ત્રો સાથેના પ્રમાણો એટલા સખત રીતે અપાયા છે કે કોઈ એમ ના સમજી શકે કે લેખક દ્વારા સંપ્રદાય પ્રત્યે દ્વેષભાવ કે ઈર્ષાના કારણે હવા-હવાઈ વાતો લખાઈ છે. દરેક પ્રકરણમાં પોતાની વાત અને તર્ક માટે શાસ્ત્ર સંમત સત્ય પણ દર્શાવ્યુ છે. સંપ્રદાયના સનાતન વિરોધી સ્વરૂપ અને ગતિવિધિઓના વિષયને પંદર પ્રકરણોનો પહેલો ખંડ જુએ છે, અને પછી એ તમામ મુદ્દે જ્યાં સંપ્રદાય દ્વારા ધાર્મિક ભ્રષ્ટાચાર અને જૂઠ, પ્રપંચ નિર્માણ કરાયા છે ત્યાં વેદ અને પુરાણોમાં શું કહેવાયું છે તેને વેદો અને પુરાણોની શ્લોક સંખ્યા સાથે બીજા ખંડમાં કહેવાયું છે. વેદોના ભગવાન વિષ્ણુ, શિવ, શક્તિ, સૂર્ય અને ગણેશનું સ્વરૂપ શું છે, અને પુરાણોમાં તેમનું સ્વરૂપ કઈ રીતે સાકાર બનાવી પંચદેવ ઉપાસના સ્થાપિત કરાઈ છે તેનું સુંદર શાસ્ત્રોક્ત જ્ઞાન બીજા ખંડમાં મળે છે.
આમ, એક સાચા સનાતનીને આ પુસ્તક ના ફક્ત એક સંપ્રદાય વડે હિંદુ ધર્મ વિરૂધ્ધ થયેલા આક્રમણ અને પ્રપંચનું જ્ઞાન આપે છે, પણ તેને હિંદુ ધર્મના તત્વજ્ઞાન, અને તેના સાકાર નિરાકાર દેવી દેવતાઓના સ્વરૂપનું પણ ગહન જ્ઞાન આપે છે. તે અસત્ય બતાવીને સત્ય શું છે તે સ્થાપિત કરે છે, અને એજ આ પુસ્તકને એક ઉચ્ચતમ કોટિનું પુસ્તક બનાવે છે. સનાતનીઓ જેમને કઢીભગત કહે છે તેવા હરિભક્તોએ સાચો ‘હરિ’ કોણ છે એ જાણવા અને હરિભક્તો જેમને ટનાટની કહે છે તેવા સનાતનીઓ એ પોતાના વિરોધ માટે જરૂરી પુરાવા અને તર્ક મેળવવા આ પુસ્તક અવશ્ય વાંચવું જોઈએ.
પાખંડમાં જોડાયેલા અને અજાણતા ષડ્યંત્રનો ભાગ બની ગયેલા આપણા જ હિંદુ સનાતની ભાઈ બહેનો આ પુસ્તકના માધ્યમથી પૂન: જાગૃત થઇ સંપ્રદાયમાં ફેલાયેલા સડાને દૂર કરવામાં મદદરૂપ થાય. તેમજ ઉદ્ધવ (સ્વામિનારાયણ) સંપ્રદાય પુન: કૃષ્ણ ભક્તિના સનાતન હિંદુ માર્ગે પરત ફરે તેવા શુભ હેતુથી લખાયેલ પુસ્તકને હું આવકારું છું. હજારો સનાતનીઓની (અને સંપ્રદાયના કેટલાક આશ્રિતોની પણ) ભાવનાને વાચા આપવા બદલ લેખકને અનેકોઅનેક ધન્યવાદ.
જાગૃતિ માટે પ્રયત્નશીલ હજ્જારો સનાતની યોધ્ધાઓની મહેનત સફળ થાય તેવી પ્રભુ પ્રાર્થના.

કઈ રીતે ગુજરાતના હિંદુઓને આ સંપ્રદાય દ્વારા પંચદેવ પૂજાથી વિમુખ કરવામાં આવે છે અને સંપ્રદાય કઈ રીતે પોતાની મૂળ હિંદુ સનાતન ધર્મની વિચારસરણીથી ભટકી ગયો છે? – બધાં પ્રશ્ર્નોનો જવાબ પુસ્તકમાંથી મળી રહે છે

- Advertisement -

પુસ્તકના લેખક ડૉ. કૌશિક ચૌધરી મો. 99985 69500

You Might Also Like

ન્યાયાધીશો અને વકીલો વચ્ચે જંગ, વકીલોની જીત

અથાણાંનો અસ્સલ ટેસ્ટ માણવા, ઈલાબેનના અથાણાં ચાખવા પડે!

17.87 લાખ શ્રદ્ધાળુએ રજિસ્ટ્રેશન કરાવ્યું

પ્રચારનું આખરી સપ્તાહ: ભાજપ સૌરાષ્ટ્રમાં નેતાઓને ઉતારશે

માનવને મોજમાં રહેવાના સૂત્રો સાથે સ્વઉત્કર્ષની યાત્રાનો આરંભ કરાવતા અપૂર્વમુનિ સ્વામી

TAGGED: SANATAN, નકલી નારાયણનો પ્રપંચી સંપ્રદાય
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article નવા ફોજદારી કાનૂનના અમલમાં ગુજરાત રાજ્ય શ્રેષ્ઠ: અમિત શાહ
Next Article દાહોદમાં મહિલા પર અમાનવીય અત્યાચાર: મહિલાને નિર્વસ્ત્ર કરી બાઇક પાછળ બાંધીને રોડ પર ઢસડી દંડા માર્યા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

જનાર્દનથી જોર્ડનની સફર

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
શિવકૃપાનંદ સ્વામી ફાઉન્ડેશનની પહેલને વૈશ્ર્વિક માન્યતા: ઞગ દ્વારા 21 ડિસેમ્બર ‘વિશ્ર્વ ધ્યાન દિવસ’ જાહેર
અમેરિકા હાર્યું! ખરેખર ?
પોતાની જાત સાથે પ્રેમ, આત્મવિશ્ર્વાસ, પહેરવેશ વિશે સભાનતા
ઉપચાર કરતાં નિવારણ શ્રેષ્ઠ છે
પરંપરા જ્યારે રૂઢિચુસ્તતા બને
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

ન્યાયાધીશો અને વકીલો વચ્ચે જંગ, વકીલોની જીત

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
રાજકોટ

અથાણાંનો અસ્સલ ટેસ્ટ માણવા, ઈલાબેનના અથાણાં ચાખવા પડે!

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
રાજકોટ

17.87 લાખ શ્રદ્ધાળુએ રજિસ્ટ્રેશન કરાવ્યું

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?