By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    દુબઈમાં કેરળ સમુદાય દ્વારા પાકિસ્તાનના શાહિદ આફ્રિદીનું સ્વાગત કરવામાં આવતા લોકોમાં રોષ: ‘શરમજનક’
    1 hour ago
    ટ્રમ્પની ટેરિફ વોર: અમેરિકામાં વિદેશી સ્ટીલ પર 50 ટકા ટેરિફ લાદવામાં આવ્યું
    3 hours ago
    બલુચિસ્તાન લિબરેશન આર્મીએ પાકિસ્તાનના સુરાબ શહેર પર કબજો કર્યો
    3 hours ago
    1 જુલાઈથી ફ્રાન્સમાં જાહેરમાં ધુમ્રપાન કરવા પર પ્રતિબંધ, નિયમ ભંગ કરનારને 13 હજાર રૂપિયાનો દંડ કરાશે
    3 hours ago
    આજે વિશ્વ તમાકુ નિષેધ દિવસ: ધૂમ્રપાન ગર્ભાશયનું કેન્સર, ફેફસાના રોગ અને હૃદય રોગને આમંત્રણ આપે છે
    4 hours ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઉત્તર પશ્ચિમ ભારતમાં પશ્ચિમી વિક્ષેપ સાથે આગામી 4-5 દિવસ સુધી ગાજવીજ અને તેજ પવન સાથે વરસાદ પડશે
    2 hours ago
    ‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન પાકિસ્તાને સૌથી પહેલા સંપર્ક કરી સીઝફાયરની રજૂઆત કરી હતી: પૂર્વ વિદેશ મંત્રી સલમાન ખુર્શીદ
    2 hours ago
    PM મોદી ભોપાલમાં, દેવી અહલ્યાબાઈ મહિલા શક્તિકરણ મહાસંમેલનમાં ભાગ લીધો
    2 hours ago
    થરૂરની નારાજગી બાદ કોલંબિયાએ પાકિસ્તાન અંગેનું નિવેદન પાછું ખેંચ્યું
    2 hours ago
    ઉત્તરાખંડમાં વરસાદની ચેતવણી: કેદારનાથ હાઇવે પર ભૂસ્ખલન, એક શ્રદ્ધાળુનું મોત, પાંચ લોકો ઘાયલ થયા
    3 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    દક્ષિણ આફ્રિકા અને બાંગ્લાદેશના ખેલાડીઓ વચ્ચે બબાલ, મેદાનમાં બાખડ્યા
    2 days ago
    PBKS vs RCB: આજની મેચમાં જે ટીમ જીતશે એ સીધી ફાઇનલમાં, અને જે ટીમ હારશે એને એક મોકો મળશે
    2 days ago
    55 વર્ષીય કામી રીતા શેરપાએ 31 વખત માઉન્ટ એવરેસ્ટ ચઢીને પોતાનો જ રેકોર્ડ તોડ્યો
    3 days ago
    પંજાબનું સ્થાન ટોપ-ટુમાં ફાઈનલ : મુંબઈ 4થા ક્રમે, એલિમિનેટર રમવો પડશે
    4 days ago
    IPL 2025 ના સમાપન સમારોહ દરમિયાન BCCI ભારતીય સશસ્ત્ર દળોનું સન્માન કરશે
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    લગ જા ગલે નામની ફિલ્મમાં ટાઈગર સાથે જાહ્નવી દેખાશે! લોકોએ કરી ટીકા
    1 day ago
    ગુજરાતના થિયેટર કિંગ કૌસ્તુભ ત્રિવેદીનું 69 વર્ષની વયે નિધન!
    3 days ago
    આ કારણથી પ્રભાસની સ્પિરિટ ફિલ્મમાં દીપિકાને રિપ્લેસ કરવામાં આવી
    4 days ago
    ગૌહર ખાન સાથે બ્રેકઅપને લઈને કુશાલ ટંડનએ ખુલાસો કર્યો
    4 days ago
    કાન ફિલ્મ ફેસ્ટિવલ: ભારતીય ફેશન ડિઝાઇનર તરીકે ટીના રંકાએ ગુજરાતનો ડંકો વગાડ્યો
    5 days ago
  • ધર્મ
    ધર્મShow More
    આટલું ધ્યાન રાખાશો તો નિર્જળા એકાદશીનું વ્રત નહિ તૂટે
    1 day ago
    આજે શનિજયંતી અને સોમવતી અમાસ
    5 days ago
    આ વખતે 2 દિવસ નિર્જળા એકાદશી છે, જાણો પારણાનો સમય કયો છે
    2 weeks ago
    બલુચિસ્તાન સ્વતંત્ર થશે તો લોહાણા, સિંધી ભક્તજનો માટે બે ઐતિહાસિક હિન્દુ મંદિરોના દ્વાર ખુલશે…
    2 weeks ago
    જાણો આજે ઉજવાતા બુદ્ધ પૂર્ણિમા ત્યોહારના મહત્વ વિશે…
    3 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    3 days ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    1 week ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    3 weeks ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    3 weeks ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સનાતન વિરુધ્ધનાં ષડ્યંત્રોને ઉઘાડાં કરતું અદ્ભૂત પુસ્તક
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > સનાતન વિરુધ્ધનાં ષડ્યંત્રોને ઉઘાડાં કરતું અદ્ભૂત પુસ્તક
રાજકોટ

સનાતન વિરુધ્ધનાં ષડ્યંત્રોને ઉઘાડાં કરતું અદ્ભૂત પુસ્તક

Khaskhabar Editor
Last updated: 2025/01/31 at 4:58 PM
Khaskhabar Editor 4 months ago
Share
6 Min Read
SHARE

‘નકલી નારાયણનો પ્રપંચી સંપ્રદાય’

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

- Advertisement -

હિંદુ સનાતન ધર્મ પ્રારંભથી જ લવચીક રહ્યો છે. જે ધર્મના પાયામાં જ ઉદાર ભાવના સમાયેલી હોય, જ્યાં વિવિધ મત, પંથ અને વિચારધારાને સહજપણે સ્વીકારી તેને એક માળામાં મણકાની જેમ પરોવીને અદ્વૈતની ઊંચાઈએ પહોંચાયું હોય – તે શ્રેષ્ઠતમ હોય તેમાં કોઈ બે મત નથી. સનાતન ધર્મ અનેકવિધ મત અને સંપ્રદાયમાં વહેંચાયેલો દેખાય છે, પણ અંતે તો સાકાર પંચદેવની ઉપાસના દ્વારા નિરાકાર પરબ્રહ્મની પ્રાપ્તિ જ હિંદુ ધાર્મિક વ્યક્તિનો ધ્યેય હોય છે.
પણ સનાતનની આ જ વિશેષતાનો દૂરુપયોગ કરી અમુક સ્વાર્થી વ્યક્તિઓ સંપ્રદાયના નામે પોતાના વ્યક્તિગતલાભ કે સત્તા લાલસા માટે ધર્મ વિરુદ્ધ, શાસ્ત્ર વિરુદ્ધ અને સત્ય વિરુદ્ધ એક અલગ વિચારધારા સર્જી લોકસમૂહને છળ દ્વારા અધર્મ – પાપના માર્ગે દોરી જાય છે. ભૂતકાળમાં પણ વખતોવખત આવા ધર્મ વિરુદ્ધના કાર્યોનો વિરોધ લોકો દ્વારા થયેલ. જેમ કે પુષ્ટીમાર્ગ સંપ્રદાયમાં પ્રવેશેલાં અનિષ્ટો વિરુદ્ધ કરસનદાસ મૂળજીએ અવાજ ઉઠાવેલો (મહારાજ લાયબલ કેસ) જેના પરિણામરૂપ લોકોને પુન: સનાતનના માર્ગે પરત લાવવામાં સફળતા મળી હતી.
આજે ફરીથી સનાતન ધર્મ વિરુદ્ધ ષડ્યંત્ર રચાયું છે. જેને ખુલ્લું પાડવા આ પુસ્તક કોણ સ્વામી અને કોણ નારાયણ? સામે આવ્યું છે. વૈષ્ણવ સંપ્રદાયની જેમ જ કૃષ્ણભક્તિ ઉપર આધારિત ઉદ્ધવ સંપ્રદાય જે કાળક્રમે સ્વામિનારાયણ સંપ્રદાય તરીકે પરિવર્તન પામ્યો, તે સ્વામિનારાયણ સંપ્રદાયમાં સનાતન ધર્મના શાસ્ત્રોમાં છેડખાની કરી કેવું સનાતન વૈદિક ધર્મ વિરોધી સ્વરૂપ ઉત્પન્ન કરવામાં આવ્યું તે આ પુસ્તક વિગતે જણાવે છે. વીસ પ્રકરણોમાં ફેલાયેલ આ પુસ્તકમાં પોતાના ઈષ્ટદેવ કૃષ્ણને સાઈડમાં ધકેલીને સહજાનંદ સ્વામી ‘સર્વોપરી ભગવાન’ કેવી રીતે બની ગયા કે બનાવી દેવાયા તેનો પ્રમાણ સહિત ઇતિહાસ છે. કઈ રીતે ગુજરાતના હિંદુઓને આ સંપ્રદાય દ્વારા પંચદેવ પૂજાથી વિમુખ કરવામાં આવે છે અને સંપ્રદાય કઈ રીતે પોતાની મૂળ હિંદુ સનાતન ધર્મની વિચારસરણીથી ભટકી ગયેલ છે? – આ બધાં પ્રશ્ર્નોનો જવાબ આ પુસ્તકમાંથી મળી રહે છે. લેખકે સંપ્રદાયના પ્રારંભથી આજદિન સુધીની તમામ બાબતો આવરી લીધી છે. કૃષ્ણભક્ત સંતથી અવતાર અને પછી સર્વોપરી ભગવાન, અક્ષરધામનું જૂઠ, પ્રગટ બ્રહ્મ સ્વરૂપ, અંગ્રેજો અને ખ્રિસ્તી પાદરીઓની મદદથી સ્વામિનારાયણ સંપ્રદાયનો પાયો સ્થપાવો, શાસ્ત્રોના નકલી પુરાવાઓ, પુરાણોના વિકૃત અર્થઘટનો, સોશિયલ મીડિયા પર સનાતનીઓની જાગૃતિથી ઉભુ થયેલું જન આંદોલન, સંઘ અને શંકરાચાર્ય, પરંપરાવાદી સંતો અને સંઘ સમર્થિત સંતો તેમજ સંપ્રદાય વિરુદ્ધ જાગૃતિ માટે સનાતનીઓ દ્વારા આજદિન સુધી થયેલા પ્રયત્નો અને તમામ બાબતોની વિસ્તૃત છણાવટ છે.

લેખક ડો. કૌશિક ચૌધરી જે હિંદુ આધ્યાત્મ અને આઘુનિક વિજ્ઞાનને જોડતા પુસ્તકોના લેખક અને ગુજરાત સમાચાર તેમજ લોકસત્તા જનસત્તા જેવા વર્તમાન પત્રોના કોલમિસ્ટ છે, તેમણે આ વિષય પર પોતાના સંસ્મરણોની એક કથા રૂપે આખો વિષય વર્ણવ્યો છે. અને તે કથા તેમાં આવતા પ્રમાણભૂત સંદર્ભો, વિડિયો અને પુસ્તકોની વેબ લિંકો તેમજ તેમના આ વિષય પર લખાયેલા ગહન લેખો વડે એટલી અદભુત રીતે ગુંથવામાં આવ્યું છે કે વાચક પુસ્તક એકવાર પકડે એટલે નવ દસ પ્રકરણ એકસાથે વાંચી નાખે. પુસ્તક એટલી સખત રીતે તેના પ્રવાહમાં તમને ઝકડી રાખે છે, કે કોઈ અગત્યના સામાજિક-ધાર્મિક મુદ્દા પર ઉપલબ્ધ થનાર એક મહત્વપૂર્ણ દસ્તાવેજ સાથે એક સ્વતંત્ર પુસ્તક તરીકે પણ રસપ્રદ, રોચક અને સફળ સાબિત થાય છે.
પુસ્તકમાં હિંદુ ધર્મના શાસ્ત્રો સાથેના પ્રમાણો એટલા સખત રીતે અપાયા છે કે કોઈ એમ ના સમજી શકે કે લેખક દ્વારા સંપ્રદાય પ્રત્યે દ્વેષભાવ કે ઈર્ષાના કારણે હવા-હવાઈ વાતો લખાઈ છે. દરેક પ્રકરણમાં પોતાની વાત અને તર્ક માટે શાસ્ત્ર સંમત સત્ય પણ દર્શાવ્યુ છે. સંપ્રદાયના સનાતન વિરોધી સ્વરૂપ અને ગતિવિધિઓના વિષયને પંદર પ્રકરણોનો પહેલો ખંડ જુએ છે, અને પછી એ તમામ મુદ્દે જ્યાં સંપ્રદાય દ્વારા ધાર્મિક ભ્રષ્ટાચાર અને જૂઠ, પ્રપંચ નિર્માણ કરાયા છે ત્યાં વેદ અને પુરાણોમાં શું કહેવાયું છે તેને વેદો અને પુરાણોની શ્લોક સંખ્યા સાથે બીજા ખંડમાં કહેવાયું છે. વેદોના ભગવાન વિષ્ણુ, શિવ, શક્તિ, સૂર્ય અને ગણેશનું સ્વરૂપ શું છે, અને પુરાણોમાં તેમનું સ્વરૂપ કઈ રીતે સાકાર બનાવી પંચદેવ ઉપાસના સ્થાપિત કરાઈ છે તેનું સુંદર શાસ્ત્રોક્ત જ્ઞાન બીજા ખંડમાં મળે છે.
આમ, એક સાચા સનાતનીને આ પુસ્તક ના ફક્ત એક સંપ્રદાય વડે હિંદુ ધર્મ વિરૂધ્ધ થયેલા આક્રમણ અને પ્રપંચનું જ્ઞાન આપે છે, પણ તેને હિંદુ ધર્મના તત્વજ્ઞાન, અને તેના સાકાર નિરાકાર દેવી દેવતાઓના સ્વરૂપનું પણ ગહન જ્ઞાન આપે છે. તે અસત્ય બતાવીને સત્ય શું છે તે સ્થાપિત કરે છે, અને એજ આ પુસ્તકને એક ઉચ્ચતમ કોટિનું પુસ્તક બનાવે છે. સનાતનીઓ જેમને કઢીભગત કહે છે તેવા હરિભક્તોએ સાચો ‘હરિ’ કોણ છે એ જાણવા અને હરિભક્તો જેમને ટનાટની કહે છે તેવા સનાતનીઓ એ પોતાના વિરોધ માટે જરૂરી પુરાવા અને તર્ક મેળવવા આ પુસ્તક અવશ્ય વાંચવું જોઈએ.
પાખંડમાં જોડાયેલા અને અજાણતા ષડ્યંત્રનો ભાગ બની ગયેલા આપણા જ હિંદુ સનાતની ભાઈ બહેનો આ પુસ્તકના માધ્યમથી પૂન: જાગૃત થઇ સંપ્રદાયમાં ફેલાયેલા સડાને દૂર કરવામાં મદદરૂપ થાય. તેમજ ઉદ્ધવ (સ્વામિનારાયણ) સંપ્રદાય પુન: કૃષ્ણ ભક્તિના સનાતન હિંદુ માર્ગે પરત ફરે તેવા શુભ હેતુથી લખાયેલ પુસ્તકને હું આવકારું છું. હજારો સનાતનીઓની (અને સંપ્રદાયના કેટલાક આશ્રિતોની પણ) ભાવનાને વાચા આપવા બદલ લેખકને અનેકોઅનેક ધન્યવાદ.
જાગૃતિ માટે પ્રયત્નશીલ હજ્જારો સનાતની યોધ્ધાઓની મહેનત સફળ થાય તેવી પ્રભુ પ્રાર્થના.

કઈ રીતે ગુજરાતના હિંદુઓને આ સંપ્રદાય દ્વારા પંચદેવ પૂજાથી વિમુખ કરવામાં આવે છે અને સંપ્રદાય કઈ રીતે પોતાની મૂળ હિંદુ સનાતન ધર્મની વિચારસરણીથી ભટકી ગયો છે? – બધાં પ્રશ્ર્નોનો જવાબ પુસ્તકમાંથી મળી રહે છે

- Advertisement -

પુસ્તકના લેખક ડૉ. કૌશિક ચૌધરી મો. 99985 69500

You Might Also Like

PGVCLની કામગીરી સામે લોકોમાં ભારે રોષ

જૂનાગઢના સાઈબર ક્રાઈમના આરોપી વિશાલભાઈ લાલભાઈ વાણંદના જામીન મંજૂર કરતી કોર્ટ

RMCની સ્ટેન્ડિંગ કમિટીમાં 116 કરોડની 76 દરખાસ્ત મંજુર કરાઇ

રાજકોટ સિવિલમાં ફાયર સેફ્ટીના નામે કરોડો રૂપિયાના બિલ પાસ, છતાં સુવિધાના નામે મીંડું

વિશ્ર્વભરમાં તમાકુંથી થતાં કેન્સર માટે જાગૃતિ લાવવા 31મી મે ‘તમાકું નિષેધ દિવસ’ તરીકે ઉજવાય છે

TAGGED: SANATAN, નકલી નારાયણનો પ્રપંચી સંપ્રદાય
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article નવા ફોજદારી કાનૂનના અમલમાં ગુજરાત રાજ્ય શ્રેષ્ઠ: અમિત શાહ
Next Article દાહોદમાં મહિલા પર અમાનવીય અત્યાચાર: મહિલાને નિર્વસ્ત્ર કરી બાઇક પાછળ બાંધીને રોડ પર ઢસડી દંડા માર્યા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીય

દુબઈમાં કેરળ સમુદાય દ્વારા પાકિસ્તાનના શાહિદ આફ્રિદીનું સ્વાગત કરવામાં આવતા લોકોમાં રોષ: ‘શરમજનક’

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
ઉત્તર પશ્ચિમ ભારતમાં પશ્ચિમી વિક્ષેપ સાથે આગામી 4-5 દિવસ સુધી ગાજવીજ અને તેજ પવન સાથે વરસાદ પડશે
‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન પાકિસ્તાને સૌથી પહેલા સંપર્ક કરી સીઝફાયરની રજૂઆત કરી હતી: પૂર્વ વિદેશ મંત્રી સલમાન ખુર્શીદ
PM મોદી ભોપાલમાં, દેવી અહલ્યાબાઈ મહિલા શક્તિકરણ મહાસંમેલનમાં ભાગ લીધો
થરૂરની નારાજગી બાદ કોલંબિયાએ પાકિસ્તાન અંગેનું નિવેદન પાછું ખેંચ્યું
ઉત્તરાખંડમાં વરસાદની ચેતવણી: કેદારનાથ હાઇવે પર ભૂસ્ખલન, એક શ્રદ્ધાળુનું મોત, પાંચ લોકો ઘાયલ થયા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

PGVCLની કામગીરી સામે લોકોમાં ભારે રોષ

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
રાજકોટ

જૂનાગઢના સાઈબર ક્રાઈમના આરોપી વિશાલભાઈ લાલભાઈ વાણંદના જામીન મંજૂર કરતી કોર્ટ

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
રાજકોટ

RMCની સ્ટેન્ડિંગ કમિટીમાં 116 કરોડની 76 દરખાસ્ત મંજુર કરાઇ

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?