ઈન્ડોનેશિયાની રાજધાની જકાર્તા બાદ હવે સોલોમન ટાપુ પર ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.0ની નોંધાઈ છે.
સોલોમન ટાપુ પર મંગળવારે ભૂકંપના તેજ આંચકા અનુભવાયા છે. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.0 નોંધાઈ છે. જોરદાર ભૂકંપ બાદ સોલોમન ટાપુઓ પર સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે. સોલોમનમાં ભૂકંપ એવા સમયે આવ્યો છે જ્યારે એક દિવસ પહેલા ઈન્ડોનેશિયાની રાજધાની જકાર્તામાં આવેલા ભૂકંપથી 162 લોકોના મોત થયા હતા.
- Advertisement -
ભૂકંપે ઈન્ડોનેશિયામાં મચાવી ભારે તબાહી
ઈન્ડોનેશિયાની રાજધાની જકાર્તામાં સોમવારે આવેલા ભૂકંપના કારણે ઘણી મોટી ઈમારતો ધરાશાયી થઈ ગઈ હતી. ભૂકંપના કારણે અહીં અત્યાર સુધીમાં 162 લોકોના મોત થયા છે. સેંકડો લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ભૂકંપની તીવ્રતા 5.6 હતી. અહીં હજુ પણ અનેક લોકો ઈમારતોના કાટમાળ નીચે દટાયેલા છે. તેમને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે.
An earthquake with a magnitude of 7.0 on the Richter Scale hit Southwest of Malango, Solomon Islands today at 07:33:07 am (UTC): USGS Earthquakes pic.twitter.com/8n6DKeCIgg
— ANI (@ANI) November 22, 2022
- Advertisement -
ફુટપાથ પર દર્દીઓને અપાઈ સારવાર
ભૂકંપનું કેન્દ્ર ઇન્ડોનેશિયાના સૌથી વધુ વસ્તી ધરાવતા પ્રાંતના એક પહાડી વિસ્તારમાં આવેલા સિયાનજુર શહેરની નજીક હતું. સોમવારે બપોરે આવેલા ભૂકંપના આંચકાને કારણે લોકો ભયભીત થઈ ગયા હતા અને પોત-પોતાના ઘરોમાંથી નીકળીને રસ્તાઓ પર દોડી આવ્યા હતા. ભૂકંપના કારણે ઈમારતો ધરાશાયી થઈ ગઈ હતી. સિયાનજુરમાં હોસ્પિટલની પાર્કિંગ આખી રાત પીડિતોથી ભરાયેલી રહી. કેટલાકને અસ્થાયી ટેન્ટમાં સારવાર આપવામાં આવી, જ્યારે કેટલાકને ફુટપાથ પર સારવાર આપવામાં આવી. જ્યારે આરોગ્ય કર્મચારીઓએ ટોર્ચનો ઉપયોગ કરીને દર્દીઓને ટાંકા લગાવ્યા હતા.
2004માં આવ્યો હતો ભયાનક ભૂકંપ
રાજધાની જકાર્તામાં લગભગ 75 કિમી (45 માઇલ) દૂર ભૂકંપ અનુભવાયો હતો. ઓછામાં ઓછા 2,200 ઘરોને નુકસાન થયું અને 5,000 થી વધુ લોકો વિસ્થાપિત થયા હતા. જણાવી દઈએ કે, ઈન્ડોનેશિયામાં વિનાશકારી ભૂકંપનો ઈતિહાસ રહ્યો છે. 2004માં ઉત્તર ઇન્ડોનેશિયાના સુમાત્રા ટાપુ પર 9.1 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેણે 14 દેશોને પ્રભાવિત કર્યા હતા. હિન્દ મહાસાગરના કિનારે લાખો લોકો મૃત્યુ પામ્યા હતા.