જય ભોલેનાથ ગ્રુપ દ્વારા બે દિવસ નિ:શુલ્ક ભોજન વ્યવસ્થા
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ ભાદરવી અમાસનું અનેરું મહત્વ હોઈ છે ત્યારે ગીરનાર તળેટીમાં આવેલ અતિ પ્રાચીન દામોદર કુંડ ખાતે પિતૃ તર્પણ અને પીપળે પાણી રેડી કુંડમાં સ્નાન વિધિનો અનેરો મહિમા છે આ વર્ષે બે અમાસ હોવાને કારણે આજે અને આવતીકાલ લાખો ભાવિકો દામોદર કુંડમાં પિતૃ કાર્ય કરવા પધારે છે આજ વેહલી સવારથી ભાવિકો દામોદર કુંડ ખાતે ઘસારો જોવા મળી રહ્યો હતો જયારે હજારો અને લાખોની સંખ્યામાં આવતા શ્રદ્ધાળુ માટે જૂનાગઢના જય ભોલેનાથ ગ્રુપ દ્વારા તા.14 અને 15 સપ્ટેમ્બર બે દિવસ સુધી અન્નક્ષેત્ર સેવા શરુ કરવામાં આવી છે અમાસ નિમિતે પિતૃ તર્પણ કરવા આવતા ભાવિકો માટે ગિરનાર રોડ પર આવેલ સ્મશાનગૃહનાં પાર્કિંગ વિભાગમાં નિ:શુલ્ક ભોજન, પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે તેમ જય ભોલેનાથ ગ્રુપના આયોજન કરનાર અશ્વિનભાઈ મણીયારે સૌ ભાવિકોને ભોજન-પ્રસાદલેવા અપીલ કરી છે.