રશિયા–યુક્રેન યુદ્ધ હવે તેના સૌથી વિનાશક તબક્કામાં છે. છેલ્લા 7 દિવસમાં રશિયાએ યુક્રેન પર ભીષણ બોમ્બ ધડાકા કર્યા છે. આમાં 5000થી વધુ લોકોના મોત થયા છે. તે જ સમયે, આ ગોળીબારમાં વિદેશથી મળેલા હથિયારો, જે યુક્રેનને આપવામાં આવ્યા હતા, તે પણ નાશપામ્યા છે.રશિયા–યુક્રેન યુદ્ધમાં કેટલીક જગ્યાઓ પર ઈમારતો ધરાશાયી થઈ ગઈ હતી અને કેટલીક જગ્યાએ મકાનો આગની વાળાઓમાં સળગતા જોવા મળ્યા હતા. કયાંક સૈન્યના ઠેકાણાઓ ધ્વસ્ત થયા તો કયાંક શક્રોના ભંડાર આકાશી વિનાશમાં નષ્ટ્ર થયા.
યુદ્ધનો સૌથી વિનાશક તબક્કો ટોચ પર છે, છેલ્લા કેટલાક કલાકોમાં યુક્રેનનો દરેક ખૂણો રશિયન સંરક્ષણ દ્રારા લેન્ડમાઇન હત્પમલામાં નાશ પામ્યો છે. ડોનેટસકથી ખેરસન અને કુપિયનસ્કથી ઝાપોરિઝિયા સુધી, રશિયાએ ખૂબ જ વિનાશક રીતે હત્પમલો કર્યેા. પુતિનના બદલાના કારણે યુદ્ધનો સૌથી વિનાશક તબક્કો ચરમસીમાએ છે. છેલ્લા 7 દિવસમાં યુક્રેનમાં પ્રચડં નરસંહાર થયો છે, જેમાં 5000થી વધુ યુક્રેનની સેનાના સૈનિકો થોડા જ સમયમાં માર્યા ગયા છે
- Advertisement -
શું પુતિને યુક્રેનનો નાશ કરવાની પ્રતિજ્ઞા લીધી છે?
જો કે રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા 550 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે, પરંતુ છેલ્લા 7 દિવસમાં એવું લાગી રહ્યું છે કે પુતિને યુક્રેનની સેનાને ખતમ કરવાની પ્રતિજ્ઞા લીધી છે. છેલ્લા 7 દિવસ યુક્રેન માટે ખૂબ જ ભયાનક રહ્યા છે, કારણ કે રશિયાએ ત્રણેય યુદ્ધ મોરચે યુક્રેન પર સૌથી વિનાશક હત્પમલો કર્યેા છે. જેના કારણે યુક્રેનના જ નોર્થ ડોંસ્ક વિસ્તારમાં 1490 યુક્રેનિયન સૈનિકોના મોત થયા હતા.દક્ષિણ ડોન્સ્ક વિસ્તારમાં રશિયન હત્પમલામાં યુક્રેન સશક્ર દળના લગભગ 820 સૈનિકો માર્યા ગયા છે.
- Advertisement -
યુધ્ધમાં યુક્રેનને નુકસાન
-યુક્રેનના લગભગ 466 ફાઈટર પ્લેન નાશ પામ્યા છે
-247 હેલિકોપ્ટર પણ નાશ પામ્યા છે
-રશિયન સેનાએ યુક્રેનના 6,152 ડ્રોનને પણ તોડી પાડા છે
-લગભગ 433 એન્ટી એરક્રાટ મિસાઈલોને પણ નષ્ટ્ર કરવામાં આવી છે.
-યુક્રેનની 11527 ટેન્ક નાશ પામી છે
-રશિયા દ્રારા 1419 આર્ટિલરીનો પણ નાશ કરવામાં આવ્યો છે
હવે યુક્રેનની આશા માત્ર એફ–૧૬ પર જ ટકી છે, જેની ડિલિવરી હાલમાં થોડા મહિના દૂર છે. આવી સ્થિતિમાં યુક્રેનની આગામી યોજના શિયાળા સુધી યુદ્ધને ખેંચવાની છે. જેથી પશ્ચિમી દેશોમાંથી એફ–૧૬નું કન્સાઈનમેન્ટ કિવ પહોંચે અને તરત જ યુક્રેન આ સ્કાય ફાઈટર વડે રશિયા પર હત્પ