હર હર મહાદેવ, બમ બમ ભોલેના નાદ ગુંજી ઊઠ્યા શિવાલયો
શિવમંદિરોમાં આસ્થા, આરાધના અને આરોગ્યનો ત્રિવેણી સંગમ યોજાશે
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ ચૂક્યો છે. 30 દિવસ સુધી મંદિરોમાં હર હર મહાદેવ, બમ બમ ભોલેના નાદ ગુંજી ઊઠશે.
રાજકોટમાં રામેશ્વર, પંચનાથ, ધારેશ્વર, જાગનાથ સહિત 200થી વધુ શિવમંદિરમાં શ્રાવણ માસની વિશેષ ઉજવણી થશે. ત્યારે આજે સ્વયંભૂ પ્રગટ થયેલા રામનાથ મહાદેવને લાઈટિંગનો શણગાર કરાયો હતો.
- Advertisement -
આ સિવાય શ્રાવણ દરમિયાન શિવમંદિરોમાં શ્રાવણ માસ નિમિત્તે ધાર્મિક કાર્યક્રમો ઉપરાંત બ્લડ ડોનેશન, હેલ્થ ચેકઅપ કેમ્પ સહિત આરોગ્યલક્ષી કેમ્પ અને બ્રહ્મ ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આમ શિવમંદિરોમાં આસ્થા, આરાધના અને આરોગ્યનો ત્રિવેણી સંગમ યોજાશે.
શ્રાવણમાં ભક્તો માટે રામનાથ મંદિર 24 કલાક ખુલ્લું રહેશે. સવારના ભાગમાં પૂજા કરી શકાશે. ભક્તો માટે ફળાહારના પ્રસાદનું વિતરણ કરાશે. રામનાથ મહાદેવ મંદિરે આખો દિવસ ધ્વજા ચડાવી શકાશે.