By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    મદદ કરવી એ ભારતની પરંપરા : મોહન ભાગવત
    15 hours ago
    નેપાળ પૂર હોનારતમાં 950 નાગરિકના મોત : અત્યાર સુધી 4200થી વધુ લોકો ગુમ : મૃતદેહોને દફનાવવાનું શરૂ
    17 hours ago
    અમેરિકા અને ઇરાન વચ્ચે ફરી યુદ્ધ શરૂ
    17 hours ago
    નેપાળના પૂરમાં 9 બેકો તણાઈ ગઈ! 26 કર્મચારી ગૂમ
    5 days ago
    નેપાળમાં પૂરથી વિનાશ : 200થી વધુના મોત
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    સોનાની ઇમ્પોર્ટ ડયુટી 6% કરવાની વિચારણા
    17 hours ago
    દિલ્હીમાં ફરી નિર્ભયાકાંડ : ચાલુ બસમાં 11મા ધોરણની વિદ્યાર્થિની પર રેપ
    17 hours ago
    બ્લિકિટ-સ્વિગી, ડીમાર્ટથી 5 કિલોથી વધુ ખાંડ નહીં મળે
    5 days ago
    સરકારી અનાજ યોજનામાં મોટું કૌભાંડ આવકવેરો ભરનારા 56 લાખ, GST રજીસ્ટર્ડ 7 લાખ વેપારી ‘લાભાર્થી’
    5 days ago
    નેપાળમાં ભયાનક પૂર બાદ બિહાર-UPમાં હાઈએલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
    5 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    2 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    3 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    4 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    4 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 month ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 month ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ખુલ્લો પત્ર: તમારા શાસનમાં સૌરાષ્ટ્રનાં શિક્ષણની ભયાનક દૂર્દશા!
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > TALK OF THE TOWN > મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ખુલ્લો પત્ર: તમારા શાસનમાં સૌરાષ્ટ્રનાં શિક્ષણની ભયાનક દૂર્દશા!
TALK OF THE TOWNખાસ-ખબરગુજરાત

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ખુલ્લો પત્ર: તમારા શાસનમાં સૌરાષ્ટ્રનાં શિક્ષણની ભયાનક દૂર્દશા!

Khaskhabar Editor
Last updated: 2022/10/14 at 6:26 PM
Khaskhabar Editor 4 years ago
Share
8 Min Read
SHARE

ભૂપેન્દ્રભાઈ પટેલ.. આપશ્રીના નામ ‘ભૂપેન્દ્ર’નો એક અર્થ થાય છે, રાજા. આપ આ રાજ્યના રાજા છો, મુખ્યપ્રધાન છો. જેમ કોઈપણ રાજ્યની પ્રજા તેમના રાજા પાસે એક આશા-અપેક્ષા રાખે છે તેમ અમારી પણ આપની પાસે એક આશા-અપેક્ષા છે. ગુજરાતના પ્રધાન અને ગુજરાતીઓના જનપ્રતિનિધિ તરીકે આપશ્રી સૌરાષ્ટ્રની શૈક્ષણિક વ્યવસ્થા અને વિદ્યાર્થીઓના વર્તમાન સાથે ચેડા કરનારા પર કોઈપણ કાળે કડક કાર્યવાહી કરો. સરકારી શૈક્ષણિક સંસ્થાઓને ભ્રષ્ટ કુલપતિ, રજીસ્ટ્રાર, ચેરમેન, શાસનાધિકારીથી મુક્ત કરો. આપશ્રી સૌરાષ્ટ્રમાં શિક્ષણની કથળતી સ્થિતિને ફરીથી સુવ્યવસ્થિત બનાવશો એવી દરેકની દિલીઈચ્છા છે.

આજથી એક વર્ષ અગાઉ જ્યારે તમારી મુખ્યમંત્રી તરીકે નિયુક્તિ થઈ હતી ત્યારે તરત જ વિચાર આવ્યો હતો હવે કેન્દ્રમાં નરેન્દ્ર અને રાજ્યમાં ભૂપેન્દ્ર.. વિજયભાઈ રૂપાણીની ખોટ ભૂપેન્દ્રભાઈ પટેલ સાલવા નહીં દે. ગુજરાતના સૂકાની તરીકે સંવેદનશીલ મુખ્યમંત્રીની જગ્યાએ દયાળુ મુખ્યમંત્રી આવ્યા છે. આપશ્રી ગુજરાતના મુખ્યમંત્રી બની ગયા અને એક વર્ષથી મુખ્યમંત્રીનો પદભાર પણ સંભાળતા આવ્યા છો. અમને એવું જાણવા મળ્યું છે કે, આપ દયાળુ દાદા તરીકે ઓળખાવ છો, આપની કાર્યપદ્ધતિમાં દયાભાવના જોવા મળે છે પરંતુ અફસોસ આપની દયાભાવનાથી કેટલાક દાનવોનો જન્મ થયો છે. સરસ્વતીના ધામમાં જન્મેલા દાનવોને ડામવા આપશ્રી શિક્ષણની પાળ પીટી નાખનારાઓ પ્રત્યે દયાભાવ છોડી કઠોરભાવ દાખવો એવી અમારી પ્રાર્થના છે.

- Advertisement -

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં પેપર ફૂટવાથી માંડીને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુધી જ્યાં જુઓ ત્યાં શિક્ષણનું ચિરહરણ

એક તરફ આપ ડબલ એન્જિન સરકારની વાત કરો છો, બીજી તરફ આપની જ પાર્ટીનાં ભ્રષ્ટ લોકો પાટાં જ ઉખેડી રહ્યાં છે, ટ્રેન ચાલશે શેનાં પર?

મુખ્યમંત્રીજી.. અત્યંત દુ:ખ સાથે જણાવવું પડે છે કે, આપશ્રીના શાસનાકાળમાં સૌરાષ્ટ્રમાં શિક્ષણની દુર્દશા થઈ રહી છે. સૌરાષ્ટ્રની સરકારી શૈક્ષણિક સંસ્થાઓ, સંકુલો અને કચેરીઓ ગરબડ, ગોટાળા અને ગોલમાલનો ગઢ બની ગયા છે. આ પાછળ જવાબદાર માત્રને માત્ર તમારી સરકાર, તમારા પક્ષના કાર્યકરો-કર્મચારીઓ પ્રત્યે તમારી દયા-માયા જ કહેવાય છે. આપને ખ્યાલ હશે સૌરાષ્ટ્રના શિક્ષણ-જગતમાં શું ચાલી રહ્યું છે. રાજકોટની એક સદી જૂની શાળા હમણાં ખાનગી ટ્રસ્ટને સોંપાઈ ગઈ. રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હોય કે જૂનાગઢની કૃષિ યુનિવર્સિટી કે પછી અહીંની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ.. જ્યાં જૂઓ ત્યાં માત્ર ગેરરીતિ અને ગેરવહીવટ જ જોવા મળી રહ્યો છે. આપ અને આપના મંત્રીશ્રીઓ, સચિવશ્રીઓ, અધિકારીશ્રીઓ સુધી વારંવાર આ અંગે અનેક રજૂઆત પણ કરવામાં આવી છે છતાં હજુ સુધી પરિણામ શૂન્ય છે. એક વર્ષમાં આપશ્રીને એકવાર પણ એકપણ રજૂઆત ધ્યાનમાં લેવાનો સમય મળ્યો નહીં? અરે આ તો અન્યાય સહન કરી રહેલાઓને ન્યાય અપાવી પુણ્ય મેળવવાનો અવસર છે. જો રાજા જ પ્રજાનું નહીં સાંભળે તો પ્રજાનો ભરોસો રાજા પરથી ઉઠી જશે. અને તમે જ કશું નહીં કરો તો કોણ કરશે?

- Advertisement -

તમારી સરકારના શિક્ષણમંત્રી ફૂલટાઈમ પ્રવક્તાની ભૂમિકામાં હોય છે, શિક્ષણનું સ્તર સુધારવામાં તેઓને જરા પણ રસ નથી. તેઓ રાજકોટના પ્રભારી મંત્રી છે છતાં તેમની આંખ આડા કાન અને મોં આડા હાથ કરવાની નીતિને પ્રતાપે અહીં શિક્ષણ સાથે સંકળાયેલી આખી વ્યવસ્થા અસ્ત, વ્યસ્ત, ભ્રષ્ટ થઈ ચૂકી છે. તમે થોડી તપાસ કરી જોશો તો જ્યાં જૂઓ ત્યાં માત્ર ગેરરીતી – ગેરવહીવટ જ ચાલતો નજરે પડશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં છાશવારે પેપર ફૂટે છે, વિચાર્યા પણ ન હોય એવા નીતનવા કાંડ થાય છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કાયમી કુલપતિની નિમણૂંક કરવા આપશ્રીની સરકારને એક વર્ષથી કોઈ લાયક વ્યક્તિ મળી રહી નથી અને ઈન્ચાર્જ કુલપતિના નેતૃત્વમાં સૌરાષ્ટ્ર યુનિ. માત્રને માત્ર ભ્રષ્ટાચારની યુનિવર્સિટી બની ગઈ છે. અહીંથી થોડે દૂર આવેલી જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી જેવી જ સ્થિતિ છે. અહીં તમારી સરકારે કુલપતિની નિમણૂંક તો કરી પણ ગેરકાયદે. કૃષિ યુનિવર્સિટીના કુલપતિ પોતાની નિમણૂંક યોગ્ય સાબિત કરી શકતા નથી. ખેર એ છોડો, રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ તો હવે કૌભાંડોની સમિતિ તરીકે પંકાઈ ચૂકી છે.ત્યાં પણ ભાજપ સરકાર કશી કાર્યવાહી કેમ ન કરી શકી?

એક વર્ષમાં આપને એકપણ રજૂઆત ધ્યાનમાં લેવાનો સમય મળ્યો નહીં?

આ તમામ બાબતો જગજાહેર છે છતાં આપશ્રીની જાણમાં છે કે નહીં તેનો ખ્યાલ નથી પણ હા, વારંવાર અમરેલીની કોલેજોમાં જે કંઈપણ થાય છે તે કોલેજોમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઈન્ચાર્જ કુલપતિની સાઠગાંઠ છે, તેનું મૂળ-કુળ અમરેલીમાં જ છે. એક સમયના ગ્રંથપાલ રજીસ્ટ્રાર બની બેઠા છે. કૃષિ યુનિવર્સિટીના વર્તમાન કુલપતિ પણ પોતાના પદ પર લાયક નથી, તેમની નિમણૂંકમાં ગજબની ગોબાચાળી થઈ છે. રાજકોટ શિક્ષણ સમિતિમાં આપના પક્ષ દ્વારા એક કાર્યકરને ચેરમેન બનાવી વાનરના હાથમાં નિસરણી આપી દીધી હોય એવો ઘાટ છે. અહીં શાસનાધિકારી અને શિક્ષક સંઘના પ્રમુખ સાથે મળી તેણે કૌભાંડો કરવામાં પંડિતાઈ હાંસલ કરી લીધી છે. રાજકોટ શિક્ષણ સમિતિનાં ચેરમેન અતુલ પંડિત, શાસનાધિકારી કિરીટ પરમાર અને શિક્ષક સંઘના પ્રમુખ દિનેશ સદાદિયાએ રાજકોટ મહાપાલિકાની સરકારી શાળાઓમાં ભ્રષ્ટાચાર કરી લાખો રૂપિયા ચાઉં કરી લીધાં છે. આગળ જતાં આ તમામ મહાશયો આપના પક્ષને ફાયદારૂપ થઈ શકે છે પરંતુ શિક્ષણના ક્ષેત્રમાં આજ સુધીનું આ સૌથી મોટું દૂષણ કહેવાય રહ્યા છે. ભૂપેન્દ્રભાઈ યાદ રાખજો.. શિક્ષણની દુર્દશા કરનારાઓ પ્રત્યે દયા-માયા રાખી કશું ન કરવાથી ફક્ત તમારી સરકાર કે તમારા પક્ષની આબરૂનું ધોવાણ નથી થઈ રહ્યું, લાખો વિદ્યાર્થીઓનું વર્તમાન ગોબરું અને ભાવી ધૂંધળું થઈ રહ્યું છે માત્રને માત્ર આપશ્રીની શિક્ષણના શૈતાનોને સજા ન કરવાની ઢીલાશ, આળશ કે પછી નરમાશને કારણે..

સમાચારોમાં સરકારી શૈક્ષણિક ખાતાઓની પોલ ખૂલે છે એટલે આપશ્રીને અને આપના મંત્રીશ્રીને ફરજિયાત તપાસના આદેશ કરવા પડે છે, સમગ્ર મામલે અહેવાલ સોંપવાની સૂચના આપવી પડે છે. જવાબદારને છોડવામાં નહીં આવે એવી બાહેંદરી આપવી પડે છે. આ નાટકોના અંતે શું થાય છે? તમારા શાસનમાં ભ્રષ્ટાચારીને સજા થાય તો ભ્રષ્ટાચાર થયો કહેવાય. તમારા શાસનમાં તો કોઈ ભ્રષ્ટાચાર કરતું જ નથી એટલે ભ્રષ્ટાચારીઓને સજા મળવાની વાત જ ક્યાં આવી.. ખરું ને? આપણે દિલ્હીની સરકારી શાળા-કોલેજોની વાત કરીએ છીએ પણ આપણા રાજ્યની શાળા-કોલેજો કેવી છે? શું સુધાર કે બદલાવની જરૂર છે એની ચર્ચા આપણે કરતા નથી. ચૂંટણી આવે છે એટલે કેટલાંકના ચહિતા થવા શિક્ષણમંત્રી શિક્ષકો ભરતી કરવાની ખાલીખોટી જાહેરાત કરે છે, હકીકતમાં આપ યુનિવર્સિટીમાં કાયમી પ્રોફેસર કે શિક્ષણ સમિતિમાં ક્લાર્કની ખાલી જગ્યાઓ પર સામાન્ય ભરતી પણ કરી શકતા નથી. આવું તો કેટકેટલુંય છે અને આ બધેબધું તો આપશ્રીને ખબર નહોય, આપની જાણમાં નહોય એવું ન બની શકે.

હમણાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી રાજકોટ આવી રહ્યા છે. આપ પણ મુખ્યમંત્રી તરીકે તેમની સાથે જ હશો અને રાજકોટ આવશો. એ પછી પણ ઘણીવાર સૌરાષ્ટ્રમાં આવશો જ. એકવાર ભ્રષ્ટાચારનો ભોગ બનેલા આ સ્થળ કે પીડિતોની પણ મુલાકાત લેશો. તમને એ પણ જણાવી દઈએ કે હમણાં આપશ્રી રાજકોટમાં જે જગ્યા પર પધારી ભરોસાની ભાજપ સરકારનું સૂત્ર પોકારવાના છો એ જગ્યાની પાસે જ તમારી સરકાર અને તમારા પક્ષના કેટલાંક લોકો શિક્ષણના ક્ષેત્રમાં ભયંકર કૌભાંડો આચરી બેઠા છે. ગવર્મેન્ટ ગ્રાન્ટનો દુરુપયોગ કરી રહ્યા છે. ભૂલકાઓના ભાગનું પોતે ભોગવી રહ્યા છે. જો આપની અંદર થોડીપણ માસૂમ બાળકો અને નિર્દોષ વિદ્યાર્થીઓ માટે કરુણા હોય તો સૌરાષ્ટ્રની ધરતી પર પધારતા પહેલા કઠોરભાવ દાખવી એ ભ્રષ્ટાચારીઓ પર પગલાં ભરી ખરા અર્થમાં ભરોસાની ભાજપ સરકારનું સૂત્ર સાર્થક કરશો અને અમારો તમારા પરનો ભરોસો અકબંધ રાખશો..

દાદા ભગવાનની અસીમ કૃપા આપની પર બની રહે.. દાદા ભગવાનના જય જયકાર..

You Might Also Like

ભક્તિના રંગે રંગાશે ભાવિકો : 22 કિલોમીટર લાંબી શોભાયાત્રા નીકળશે, લાખો શ્રદ્ધાળુ જોડાશે

રંગ છે મેઘાણી : રાજકોટમાં રાષ્ટ્રીય શાયર મેઘાણીના જીવન-સાહિત્યને નાટ્યરૂપે કરાયું જીવંત નિરૂપણ

જન્માષ્ટમી પર્વનો પ્રારંભ : આજે બોળચોથ, કાલે નાગપાંચમ, રાંધણ છઠ્ઠથી સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળો ખુલ્લો મુકાશે

NCC કેમ્પનો 100% ખર્ચ હવે સરકાર ભોગવશે

ગુજરાતમાં છેલ્લાં 3 વર્ષમાં રૂ.3707 કરોડના સાયબર ફ્રોડ

TAGGED: assemblyelection, bhupendrapatel, Gujarat, letter, saurashtra
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ગોપાલને ભરત બોઘરાની ચેતવણી
Next Article ચોંકાવનારો ખુલાસો: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એક પણ પેપરનાં સીલ તૂટ્યા ન હતા છતાં પેપર ફૂટી ગયું

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
CRIME

રાજકોટમાં રીક્ષા ગેંગે વૃદ્ધાના ગળામાંથી 1.20 લાખનો ચેઇન સેરવી લીધો 

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
મદદ કરવી એ ભારતની પરંપરા : મોહન ભાગવત
ભક્તિના રંગે રંગાશે ભાવિકો : 22 કિલોમીટર લાંબી શોભાયાત્રા નીકળશે, લાખો શ્રદ્ધાળુ જોડાશે
રંગ છે મેઘાણી : રાજકોટમાં રાષ્ટ્રીય શાયર મેઘાણીના જીવન-સાહિત્યને નાટ્યરૂપે કરાયું જીવંત નિરૂપણ
મહીસાગર કાંઠે વસેલું વાલવોડ ગામ : આસ્થા, ઇતિહાસ અને લોક પરંપરાઓનો અનોખો સંગમ
જન્માષ્ટમી પર્વનો પ્રારંભ : આજે બોળચોથ, કાલે નાગપાંચમ, રાંધણ છઠ્ઠથી સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળો ખુલ્લો મુકાશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

ભક્તિના રંગે રંગાશે ભાવિકો : 22 કિલોમીટર લાંબી શોભાયાત્રા નીકળશે, લાખો શ્રદ્ધાળુ જોડાશે

Khaskhabar Editor Khaskhabar Editor 16 hours ago
રાજકોટ

રંગ છે મેઘાણી : રાજકોટમાં રાષ્ટ્રીય શાયર મેઘાણીના જીવન-સાહિત્યને નાટ્યરૂપે કરાયું જીવંત નિરૂપણ

Khaskhabar Editor Khaskhabar Editor 16 hours ago
રાજકોટ

જન્માષ્ટમી પર્વનો પ્રારંભ : આજે બોળચોથ, કાલે નાગપાંચમ, રાંધણ છઠ્ઠથી સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળો ખુલ્લો મુકાશે

Khaskhabar Editor Khaskhabar Editor 16 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?