By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    મેહુલ ચોક્સીના પ્રત્યાર્પણનો માર્ગ મોકળો: બેલ્જિયમ કોર્ટે આપી મંજૂરી
    13 hours ago
    બ્રિટનના રોયલ એરફોર્સ (RAF) ફાઇટર પાઇલોટ્સ ઇન્ડિયન એર ફોર્સ પાસેથી તાલીમ લેશે
    15 hours ago
    પાકિસ્તાન અફઘાનિસ્તાન સાથે વાતચીત માટે તૈયાર છે, કાયમી સંઘર્ષ વિરામનો નિર્ણય હવે તાલિબાન શાસન પર નિર્ભર : PM શરીફ
    2 days ago
    ભારત હવે રશિયા પાસેથી તેલ નહીં ખરીદે: ડોનાલ્ડ ટ્રમ્પનો દાવો
    3 days ago
    ભારત 7મી વખત યુએન માનવાધિકાર પરિષદમાં ચૂંટાયું
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    તમામ કેસોમાં CBI તપાસનો આદેશ આપી ન શકાય : સુપ્રીમ
    12 hours ago
    દિલ્હીવાસીઓએ 2025માં સાયબર ગુનાઓમાં 1000 કરોડ ગુમાવ્યા
    12 hours ago
    મહારાષ્ટ્રના નંદુરબારમાં મંદિરેથી પાછા આવતા શ્રદ્ધાળુઓને લઈ જતી પિકઅપ પલટી, 8નાં મોત
    12 hours ago
    દિલ્હીમાં સાંસદોના ફ્લેટમાં લાગી આગ
    12 hours ago
    પાકિસ્તાની હવાઈ હુમલામાં 3 અફઘાન ક્લબ ક્રિકેટર અને 14 નાગરિકનાં મોત
    12 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રવિવારે પર્થમાં પહેલી વન-ડેથી શરૂ થશે ત્રણ મેચની સિરીઝ
    1 day ago
    ક્રિકેટના ‘કિંગ’ વિરાટ કોહલીએ ગુરુગ્રામની ‘વિકેટ’ ભાઈને સોંપી!
    2 days ago
    વન-ડે સીરિઝમાં હવે કેમેરોન ગ્રીનના સ્થાને માર્નસ લાબુશેનને ટીમમાં સામેલ કરવામાં આવ્યો
    2 days ago
    કેન વિલિયમસન IPL 2026 પહેલા લખનૌ સુપર જાયન્ટ્સમાં જોડાયો, પરંતુ એક ખેલાડી તરીકે નહીં…
    3 days ago
    મલેશિયાના જોહર બાહરુંમાં આયોજિત સુલતાન જોહર કપમાં ભારતની અને પાકિસ્તાની હોકી ટીમે હાથ મિલાવ્યા
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ત્રીજી વખત કપિલ શર્માના કેનેડાના કેફેમાં ફાયરિંગ
    2 days ago
    મહાભારતના કર્ણના અવસાન પર દ્રૌપદીનું પાત્ર ભજવનાર અભિનેત્રી ભાવુક થયા
    3 days ago
    હવે સેન્સર બોર્ડે બીફના ઉલ્લેખ પર કાયમી પ્રતિબંધ મુકાશે
    5 days ago
    કામ કરો, કોઈને તમારી વાતોમાં રસ નથી અભિનવ કશ્યપને સલમાન ખાનનો જવાબ
    6 days ago
    શિલ્પા શેટ્ટીને વિદેશ જવું હોય તો 60 કરોડ ચૂકવવા પડશે
    1 week ago
  • ધર્મ
    ધર્મShow More
    લક્ષ્મી પૂજનના દિવસે મહાલક્ષ્મી માતાજીનું અલૌકિક સ્વરૂપ: રાજાશાહી આભૂષણોમાં દર્શન
    14 hours ago
    આજે ધનતેરસ સાંજે કરો આ ઉપાય, ક્યારેય ધનની કમી નહિ થાય
    14 hours ago
    આ વખતે ધનતેરસના દિવસે સોનું ખરીદવાના ત્રણ શુભ મુહૂર્ત છે
    4 days ago
    ધનતેરસના દિવસે આ વસ્તુઓ ખરીદવી શુભ માનવામાં આવે છે
    4 days ago
    દિવાળીના તહેવારમાં જો આવા સંકેત દેખાય તો સમજી લેજો કે તમારા પર માતા લક્ષ્મીની કૃપા છે
    2 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    2 days ago
    રીબડાનાં અમિત ખૂંટ આપઘાત કેસમાં રાજદીપસિંહના જામીન ફગાવતી સુપ્રીમ
    5 days ago
    હનન ચાવડાએ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર જન્નત મિરને ધમકી આપી
    1 week ago
    ‘ઝીરો મેકિંગ ચાર્જ’ ના નામે મોટી બ્રાન્ડની જ્વેલરીમાં ભયંકર છેતરપિંડી
    1 week ago
    રાજકોટની ભંગાર રેફ્યુજી કોલોની બની દારૂડિયા, ગંજેરી, લુખ્ખાઓનો અડ્ડો
    1 week ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ખુલ્લો પત્ર: તમારા શાસનમાં સૌરાષ્ટ્રનાં શિક્ષણની ભયાનક દૂર્દશા!
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > TALK OF THE TOWN > મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ખુલ્લો પત્ર: તમારા શાસનમાં સૌરાષ્ટ્રનાં શિક્ષણની ભયાનક દૂર્દશા!
TALK OF THE TOWNખાસ-ખબરગુજરાત

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ખુલ્લો પત્ર: તમારા શાસનમાં સૌરાષ્ટ્રનાં શિક્ષણની ભયાનક દૂર્દશા!

Khaskhabar Editor
Last updated: 2022/10/14 at 6:26 PM
Khaskhabar Editor 3 years ago
Share
8 Min Read
SHARE

ભૂપેન્દ્રભાઈ પટેલ.. આપશ્રીના નામ ‘ભૂપેન્દ્ર’નો એક અર્થ થાય છે, રાજા. આપ આ રાજ્યના રાજા છો, મુખ્યપ્રધાન છો. જેમ કોઈપણ રાજ્યની પ્રજા તેમના રાજા પાસે એક આશા-અપેક્ષા રાખે છે તેમ અમારી પણ આપની પાસે એક આશા-અપેક્ષા છે. ગુજરાતના પ્રધાન અને ગુજરાતીઓના જનપ્રતિનિધિ તરીકે આપશ્રી સૌરાષ્ટ્રની શૈક્ષણિક વ્યવસ્થા અને વિદ્યાર્થીઓના વર્તમાન સાથે ચેડા કરનારા પર કોઈપણ કાળે કડક કાર્યવાહી કરો. સરકારી શૈક્ષણિક સંસ્થાઓને ભ્રષ્ટ કુલપતિ, રજીસ્ટ્રાર, ચેરમેન, શાસનાધિકારીથી મુક્ત કરો. આપશ્રી સૌરાષ્ટ્રમાં શિક્ષણની કથળતી સ્થિતિને ફરીથી સુવ્યવસ્થિત બનાવશો એવી દરેકની દિલીઈચ્છા છે.

આજથી એક વર્ષ અગાઉ જ્યારે તમારી મુખ્યમંત્રી તરીકે નિયુક્તિ થઈ હતી ત્યારે તરત જ વિચાર આવ્યો હતો હવે કેન્દ્રમાં નરેન્દ્ર અને રાજ્યમાં ભૂપેન્દ્ર.. વિજયભાઈ રૂપાણીની ખોટ ભૂપેન્દ્રભાઈ પટેલ સાલવા નહીં દે. ગુજરાતના સૂકાની તરીકે સંવેદનશીલ મુખ્યમંત્રીની જગ્યાએ દયાળુ મુખ્યમંત્રી આવ્યા છે. આપશ્રી ગુજરાતના મુખ્યમંત્રી બની ગયા અને એક વર્ષથી મુખ્યમંત્રીનો પદભાર પણ સંભાળતા આવ્યા છો. અમને એવું જાણવા મળ્યું છે કે, આપ દયાળુ દાદા તરીકે ઓળખાવ છો, આપની કાર્યપદ્ધતિમાં દયાભાવના જોવા મળે છે પરંતુ અફસોસ આપની દયાભાવનાથી કેટલાક દાનવોનો જન્મ થયો છે. સરસ્વતીના ધામમાં જન્મેલા દાનવોને ડામવા આપશ્રી શિક્ષણની પાળ પીટી નાખનારાઓ પ્રત્યે દયાભાવ છોડી કઠોરભાવ દાખવો એવી અમારી પ્રાર્થના છે.

- Advertisement -

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં પેપર ફૂટવાથી માંડીને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુધી જ્યાં જુઓ ત્યાં શિક્ષણનું ચિરહરણ

એક તરફ આપ ડબલ એન્જિન સરકારની વાત કરો છો, બીજી તરફ આપની જ પાર્ટીનાં ભ્રષ્ટ લોકો પાટાં જ ઉખેડી રહ્યાં છે, ટ્રેન ચાલશે શેનાં પર?

મુખ્યમંત્રીજી.. અત્યંત દુ:ખ સાથે જણાવવું પડે છે કે, આપશ્રીના શાસનાકાળમાં સૌરાષ્ટ્રમાં શિક્ષણની દુર્દશા થઈ રહી છે. સૌરાષ્ટ્રની સરકારી શૈક્ષણિક સંસ્થાઓ, સંકુલો અને કચેરીઓ ગરબડ, ગોટાળા અને ગોલમાલનો ગઢ બની ગયા છે. આ પાછળ જવાબદાર માત્રને માત્ર તમારી સરકાર, તમારા પક્ષના કાર્યકરો-કર્મચારીઓ પ્રત્યે તમારી દયા-માયા જ કહેવાય છે. આપને ખ્યાલ હશે સૌરાષ્ટ્રના શિક્ષણ-જગતમાં શું ચાલી રહ્યું છે. રાજકોટની એક સદી જૂની શાળા હમણાં ખાનગી ટ્રસ્ટને સોંપાઈ ગઈ. રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હોય કે જૂનાગઢની કૃષિ યુનિવર્સિટી કે પછી અહીંની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ.. જ્યાં જૂઓ ત્યાં માત્ર ગેરરીતિ અને ગેરવહીવટ જ જોવા મળી રહ્યો છે. આપ અને આપના મંત્રીશ્રીઓ, સચિવશ્રીઓ, અધિકારીશ્રીઓ સુધી વારંવાર આ અંગે અનેક રજૂઆત પણ કરવામાં આવી છે છતાં હજુ સુધી પરિણામ શૂન્ય છે. એક વર્ષમાં આપશ્રીને એકવાર પણ એકપણ રજૂઆત ધ્યાનમાં લેવાનો સમય મળ્યો નહીં? અરે આ તો અન્યાય સહન કરી રહેલાઓને ન્યાય અપાવી પુણ્ય મેળવવાનો અવસર છે. જો રાજા જ પ્રજાનું નહીં સાંભળે તો પ્રજાનો ભરોસો રાજા પરથી ઉઠી જશે. અને તમે જ કશું નહીં કરો તો કોણ કરશે?

- Advertisement -

તમારી સરકારના શિક્ષણમંત્રી ફૂલટાઈમ પ્રવક્તાની ભૂમિકામાં હોય છે, શિક્ષણનું સ્તર સુધારવામાં તેઓને જરા પણ રસ નથી. તેઓ રાજકોટના પ્રભારી મંત્રી છે છતાં તેમની આંખ આડા કાન અને મોં આડા હાથ કરવાની નીતિને પ્રતાપે અહીં શિક્ષણ સાથે સંકળાયેલી આખી વ્યવસ્થા અસ્ત, વ્યસ્ત, ભ્રષ્ટ થઈ ચૂકી છે. તમે થોડી તપાસ કરી જોશો તો જ્યાં જૂઓ ત્યાં માત્ર ગેરરીતી – ગેરવહીવટ જ ચાલતો નજરે પડશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં છાશવારે પેપર ફૂટે છે, વિચાર્યા પણ ન હોય એવા નીતનવા કાંડ થાય છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કાયમી કુલપતિની નિમણૂંક કરવા આપશ્રીની સરકારને એક વર્ષથી કોઈ લાયક વ્યક્તિ મળી રહી નથી અને ઈન્ચાર્જ કુલપતિના નેતૃત્વમાં સૌરાષ્ટ્ર યુનિ. માત્રને માત્ર ભ્રષ્ટાચારની યુનિવર્સિટી બની ગઈ છે. અહીંથી થોડે દૂર આવેલી જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી જેવી જ સ્થિતિ છે. અહીં તમારી સરકારે કુલપતિની નિમણૂંક તો કરી પણ ગેરકાયદે. કૃષિ યુનિવર્સિટીના કુલપતિ પોતાની નિમણૂંક યોગ્ય સાબિત કરી શકતા નથી. ખેર એ છોડો, રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ તો હવે કૌભાંડોની સમિતિ તરીકે પંકાઈ ચૂકી છે.ત્યાં પણ ભાજપ સરકાર કશી કાર્યવાહી કેમ ન કરી શકી?

એક વર્ષમાં આપને એકપણ રજૂઆત ધ્યાનમાં લેવાનો સમય મળ્યો નહીં?

આ તમામ બાબતો જગજાહેર છે છતાં આપશ્રીની જાણમાં છે કે નહીં તેનો ખ્યાલ નથી પણ હા, વારંવાર અમરેલીની કોલેજોમાં જે કંઈપણ થાય છે તે કોલેજોમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઈન્ચાર્જ કુલપતિની સાઠગાંઠ છે, તેનું મૂળ-કુળ અમરેલીમાં જ છે. એક સમયના ગ્રંથપાલ રજીસ્ટ્રાર બની બેઠા છે. કૃષિ યુનિવર્સિટીના વર્તમાન કુલપતિ પણ પોતાના પદ પર લાયક નથી, તેમની નિમણૂંકમાં ગજબની ગોબાચાળી થઈ છે. રાજકોટ શિક્ષણ સમિતિમાં આપના પક્ષ દ્વારા એક કાર્યકરને ચેરમેન બનાવી વાનરના હાથમાં નિસરણી આપી દીધી હોય એવો ઘાટ છે. અહીં શાસનાધિકારી અને શિક્ષક સંઘના પ્રમુખ સાથે મળી તેણે કૌભાંડો કરવામાં પંડિતાઈ હાંસલ કરી લીધી છે. રાજકોટ શિક્ષણ સમિતિનાં ચેરમેન અતુલ પંડિત, શાસનાધિકારી કિરીટ પરમાર અને શિક્ષક સંઘના પ્રમુખ દિનેશ સદાદિયાએ રાજકોટ મહાપાલિકાની સરકારી શાળાઓમાં ભ્રષ્ટાચાર કરી લાખો રૂપિયા ચાઉં કરી લીધાં છે. આગળ જતાં આ તમામ મહાશયો આપના પક્ષને ફાયદારૂપ થઈ શકે છે પરંતુ શિક્ષણના ક્ષેત્રમાં આજ સુધીનું આ સૌથી મોટું દૂષણ કહેવાય રહ્યા છે. ભૂપેન્દ્રભાઈ યાદ રાખજો.. શિક્ષણની દુર્દશા કરનારાઓ પ્રત્યે દયા-માયા રાખી કશું ન કરવાથી ફક્ત તમારી સરકાર કે તમારા પક્ષની આબરૂનું ધોવાણ નથી થઈ રહ્યું, લાખો વિદ્યાર્થીઓનું વર્તમાન ગોબરું અને ભાવી ધૂંધળું થઈ રહ્યું છે માત્રને માત્ર આપશ્રીની શિક્ષણના શૈતાનોને સજા ન કરવાની ઢીલાશ, આળશ કે પછી નરમાશને કારણે..

સમાચારોમાં સરકારી શૈક્ષણિક ખાતાઓની પોલ ખૂલે છે એટલે આપશ્રીને અને આપના મંત્રીશ્રીને ફરજિયાત તપાસના આદેશ કરવા પડે છે, સમગ્ર મામલે અહેવાલ સોંપવાની સૂચના આપવી પડે છે. જવાબદારને છોડવામાં નહીં આવે એવી બાહેંદરી આપવી પડે છે. આ નાટકોના અંતે શું થાય છે? તમારા શાસનમાં ભ્રષ્ટાચારીને સજા થાય તો ભ્રષ્ટાચાર થયો કહેવાય. તમારા શાસનમાં તો કોઈ ભ્રષ્ટાચાર કરતું જ નથી એટલે ભ્રષ્ટાચારીઓને સજા મળવાની વાત જ ક્યાં આવી.. ખરું ને? આપણે દિલ્હીની સરકારી શાળા-કોલેજોની વાત કરીએ છીએ પણ આપણા રાજ્યની શાળા-કોલેજો કેવી છે? શું સુધાર કે બદલાવની જરૂર છે એની ચર્ચા આપણે કરતા નથી. ચૂંટણી આવે છે એટલે કેટલાંકના ચહિતા થવા શિક્ષણમંત્રી શિક્ષકો ભરતી કરવાની ખાલીખોટી જાહેરાત કરે છે, હકીકતમાં આપ યુનિવર્સિટીમાં કાયમી પ્રોફેસર કે શિક્ષણ સમિતિમાં ક્લાર્કની ખાલી જગ્યાઓ પર સામાન્ય ભરતી પણ કરી શકતા નથી. આવું તો કેટકેટલુંય છે અને આ બધેબધું તો આપશ્રીને ખબર નહોય, આપની જાણમાં નહોય એવું ન બની શકે.

હમણાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી રાજકોટ આવી રહ્યા છે. આપ પણ મુખ્યમંત્રી તરીકે તેમની સાથે જ હશો અને રાજકોટ આવશો. એ પછી પણ ઘણીવાર સૌરાષ્ટ્રમાં આવશો જ. એકવાર ભ્રષ્ટાચારનો ભોગ બનેલા આ સ્થળ કે પીડિતોની પણ મુલાકાત લેશો. તમને એ પણ જણાવી દઈએ કે હમણાં આપશ્રી રાજકોટમાં જે જગ્યા પર પધારી ભરોસાની ભાજપ સરકારનું સૂત્ર પોકારવાના છો એ જગ્યાની પાસે જ તમારી સરકાર અને તમારા પક્ષના કેટલાંક લોકો શિક્ષણના ક્ષેત્રમાં ભયંકર કૌભાંડો આચરી બેઠા છે. ગવર્મેન્ટ ગ્રાન્ટનો દુરુપયોગ કરી રહ્યા છે. ભૂલકાઓના ભાગનું પોતે ભોગવી રહ્યા છે. જો આપની અંદર થોડીપણ માસૂમ બાળકો અને નિર્દોષ વિદ્યાર્થીઓ માટે કરુણા હોય તો સૌરાષ્ટ્રની ધરતી પર પધારતા પહેલા કઠોરભાવ દાખવી એ ભ્રષ્ટાચારીઓ પર પગલાં ભરી ખરા અર્થમાં ભરોસાની ભાજપ સરકારનું સૂત્ર સાર્થક કરશો અને અમારો તમારા પરનો ભરોસો અકબંધ રાખશો..

દાદા ભગવાનની અસીમ કૃપા આપની પર બની રહે.. દાદા ભગવાનના જય જયકાર..

You Might Also Like

અપહરણ-પોક્સો કેસમાં આરોપીનો ગુજરાત હાઈકોર્ટે જામીન પર છુટકારો

ગુજરાતનું એક માત્ર મહાલક્ષ્મીજીનું મંદિર કે જ્યાં સાવરણી અર્પણ કરવાથી દૂર થાય છે ઘરની દરિદ્રતા

કૌભાંડ અને વિવાદે મુકેશ પટેલ, બચુ ખાબડ અને ભીખુસિંહ પરમારનો ભોગ લીધો

સાબરકાંઠાના મજરા ગામે હિંસક જૂથ અથડામણ

જય જલિયાણ ગ્રુપ દ્વારા 29મીએ દીપ પ્રાગટય, મહાઆરતી, છપ્પન ભોગ સહિતનું આયોજન

TAGGED: assemblyelection, bhupendrapatel, Gujarat, letter, saurashtra
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ગોપાલને ભરત બોઘરાની ચેતવણી
Next Article ચોંકાવનારો ખુલાસો: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એક પણ પેપરનાં સીલ તૂટ્યા ન હતા છતાં પેપર ફૂટી ગયું

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

અપહરણ-પોક્સો કેસમાં આરોપીનો ગુજરાત હાઈકોર્ટે જામીન પર છુટકારો

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
ગુજરાતનું એક માત્ર મહાલક્ષ્મીજીનું મંદિર કે જ્યાં સાવરણી અર્પણ કરવાથી દૂર થાય છે ઘરની દરિદ્રતા
ભારતનું ગોલ્ડ રિઝર્વ પ્રથમવાર 100 અબજ ડોલર
તમામ કેસોમાં CBI તપાસનો આદેશ આપી ન શકાય : સુપ્રીમ
દિલ્હીવાસીઓએ 2025માં સાયબર ગુનાઓમાં 1000 કરોડ ગુમાવ્યા
કૌભાંડ અને વિવાદે મુકેશ પટેલ, બચુ ખાબડ અને ભીખુસિંહ પરમારનો ભોગ લીધો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

અપહરણ-પોક્સો કેસમાં આરોપીનો ગુજરાત હાઈકોર્ટે જામીન પર છુટકારો

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
રાજકોટ

ગુજરાતનું એક માત્ર મહાલક્ષ્મીજીનું મંદિર કે જ્યાં સાવરણી અર્પણ કરવાથી દૂર થાય છે ઘરની દરિદ્રતા

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
અમદાવાદગુજરાત

કૌભાંડ અને વિવાદે મુકેશ પટેલ, બચુ ખાબડ અને ભીખુસિંહ પરમારનો ભોગ લીધો

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?