ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તંત્ર પણ મતદાન જાગૃતિ અને વધુને વધુ લોકો મતદાન કરવા પ્રેરાય તેવા પગલાં લઇ રહ્યું છે. રાજકીય પક્ષ ધર્મ, જાતિ, પ્રાંત અને સંપ્રદાયની વાતો તો કરે છે પરંતુ લોકો પાસેથી સાચી જરૂરિયાત પૂરી થતી ન હોવાની ફરિયાદ ઉઠતી રહે છે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લાના નવસર્જન ટ્રસ્ટ દ્વારા મતદારોમાં જાગૃતિ માટે અનોખું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.
જેમાં રાજકીય પક્ષો દ્વારા થતા આભડછેટ નાબૂદ કરવા ચુંટણી ઢંઢેરો જાહેર કરવાની માંગ સાથે મોરબી અને હળવદમાં પ્રદર્શન યોજાયું હતું.