મનોરંજન જગતમાંથી તાજેતરમાં દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. જાણીતા કોમેડિયન રાજુ શ્રીવાસ્તવનું નિધન થયું છે. તેમણે દિલ્હીની AIIMS હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા છે.
ખ્યાતનામ કોમેડિયન રાજૂ શ્રીવાસ્તવનું નિધન થઈ ગયું છે. તે 58 વર્ષના હતા. હાર્ટ અટેક આવ્યા બાદ તેમને દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં ભરતી કરાવ્યા હતા. 10 ઓગસ્ટના રોજ એઈમ્સમાં ભરતી થયા બાદ તેમની તબિયતમાં કોઈ સુધારો દેખાતો નહોતો. વર્કઆઉટ કરતી વખતે કોમેડિયન અચાનક ઢળી પડ્યા હતા. કાર્ડિયક અરેસ્ટ થયા બાદ રાજૂ શ્રીવાસ્તવના મગજ પર પણ અસર થઈ, જેના કારણે તેમનું બ્રેન ડેમેજ થઈ ગયું.
- Advertisement -
Comedian Raju Srivastava passes away in Delhi at the age of 58, confirms his family.
He was admitted to AIIMS Delhi on August 10 after experiencing chest pain & collapsing while working out at the gym.
(File Pic) pic.twitter.com/kJqPvOskb5
- Advertisement -
— ANI (@ANI) September 21, 2022
વર્કઆઉટ દરમિયાન અચાનક ઢળી પડ્યા હતા
જણાવી દઈએ કે રાજુ દિલ્હીની એક હોટલમાં રોકાયા હતા અને તેના જીમમાં વર્કઆઉટ કરતી વખતે અચાનક તબિતય લથડતા ઢળી પડ્યા હતા. ત્યારબાદ રાજુને તરત જ એમ્સમાં દાખલ કરવામાં આવ્યો, જ્યાં તેની કાર્ડિયોલોજી વિભાગમાં સારવાર ચાલી રહી હતી. રાજુના નજીકના મિત્રોએ તેને મગજમાં ઈજા થઈ હોવાની માહિતી આપી હતી. હાર્ટ એટેક આવ્યા બાદ પડી ગયા બાદ લાંબા સમય સુધી મગજમાં ઓક્સિજન પહોંચ્યો ન હતો.
કોણ હતા રાજુ શ્રીવાસ્તવ ?
રાજુ વિશે તમને જણાવી દઈએ કે તેણે ઘણા લોકપ્રિય શોમાં કામ કર્યું છે. તેઓ દેશના લોકપ્રિય કોમેડિયન છે. તેણે ધ ગ્રેડ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જ, બિગ બોસ, શક્તિમાન, કોમેડી સર્કસ, ધ કપિલ શર્મા શોમાં તેમણે લોકોને હસાવ્યા હતા. આ સિવાય તેણે મૈંને પ્યાર કિયા, તેઝાબ, બાઝીગર જેવી બોલિવૂડ ફિલ્મોમાં કામ કર્યું છે. હાલમાં જ તે ઈન્ડિયન લાફ્ટર ચેમ્પિયનમાં સ્પેશિયલ ગેસ્ટ તરીકે પણ જોવા મળેલ.