ત્રણ દિવસ સુધી ખારવા સમાજના લોકો અહીં જ રહે છે
ખાસ-ખબર સંવાદદાતા
ચોરવાડ ખાતે સમસ્ત ખારવા સમાજ, સાગરપુત્ર ફાઉન્ડેશનનો પરંપરાગત ઝુંડ ભવાની માતાજીનો મેળો યોજાયો હતો. ચોરવાડ ખાતે આવેલા ઝુંડ ભવાની માતાજી ખારવા સમાજના કુળદેવી હોવાથી શ્રાવણ વદ તેરસથી ઝુંડ માતાજી મંદિરના સાનિઘ્યમાં મેળો યોજાય છે . જેમાં ખારવા સમાજના ભાઇ – બહેનો , વડીલો સહિત દરેક લોકો માથું નમાવી પુજા – અર્ચના કરે છે.ત્યાર બાદ માછીમારી કરવા માટે માછીમારો દરિયા ખેડવા જાય છે.આ મેળામાં ખારવા સમાજના દરેક પરીવારો આસ્થાભેર ભેગા થાય છે અને માતાજીની આરાધના સાથે રાસ – ગરબા સહીતના સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવે છે .ઉપરાંત લોકો ટેન્ટ બાંધીને ત્રણ દિવસ સુધી અહીં જ રોકાય છે.ભાદરવા સુદ એકમના રવિવારે સવારે સાગરપુત્ર ફાઉન્ડેશન ખારવા સમાજનાં પટેલ કીરીટભાઇ ફોફંડી, અધ્યક્ષ લખમભાઇ ભેંસલા,સી ફૂડ એક્ષપોર્ટ એસો. પ્રમુખ જગદીશભાઈ ફોફંડી ,સી ફૂડ એક્ષપોર્ટ એસો.ગુજરાત પ્રમુખ કેતનભાઈ સુયાણી, પાલીકા પ્રમુખ પિયુષભાઈ ફોફંડી, બોટ એસો.પ્રમુખ તુલસીભાઈ ગોહેલ , લોધી સમાજ પટેલ ચુનીભાઈ ગોહેલ સહીતના આગેવાનોના હસ્તે ઝુંડ ભવાની માતાજીને પૂજાવિધિ કરી હતી. રાત્રિનાં આરતી થયા બાદ મેળાનું સમાપન થયું હતું.