વન અને પર્યાવરણ સંસદીય સમિતિ ગીરની મુલાકાતે
સમિતિના ચેરમેન જયરામ રમેશ, રાજ્યસભાના સાંસદ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના કોર્પોરેટ અફેર્સના ડાયરેકટર અને વન્યજીવ પ્રેમી પરિમલ નથવાણી, સાંસદ સાક્ષી મહારાજ વંદના ચાવન સહિતનાએ સક્કરબાગ ઝૂની મુલાકાત લીધી : માલધારીઓને પણ મળ્યાં
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ગિરનારની પર્વતમાળાની નજીક 84 હેક્ટરમાં પથરાયેલા જૂનાગઢ સ્થિત સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયની વન, પર્યાવરણ અને ટેક્નોલોજી વિભાગ સંબંધિત સંસદિય સ્થાયી સમિતિએ આજે અભ્યાસ મુલાકાત લીધી હતી. આ સમિતિના ચેરમેન જયરામ રમેશ, રાજ્યસભાના સાંસદ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના કોર્પોરેટ અફેર્સના ડાયરેકટર અને વન્યજીવ પ્રેમી પરિમલભાઇ નથવાણી, સાંસદ સાક્ષી મહારાજ વંદના ચાવન, નબમ રેબિયા, રજની પાટીલ, ગુહરામ અજગેલ, સુદર્શન ભગત, ડો.જયંતાકુમાર રોય, શ્રીરામ શીરોમણી વર્મા, જોગીની પાલી સંતોષ કુમાર, કોથા પ્રભાકર રેડ્ડી સહિત સમિતિના સભ્યોએ સક્કરબાગના તમામ વિભાગની મુલાકાત લઇ ઝૂ સુપ્રિન્ટેન્ડન્ટ અભિષેક કુમાર અને વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ પાસેથી તલસ્પર્શી વિગતો મેળવી હતી.
1863 થી કાર્યરત સક્કરબાગ ઝૂ એશિયાઇ સિંહ માટેનું મુખ્ય આકર્ષણનું કેન્દ્ર છે. અહીં એશિયાઇ સિંહ માટેનું એકમાત્ર બ્રિડીંગ સેન્ટર છે. તેમજ વર્ષ 2010 થી વલ્ચર બ્રિડીંગ સેન્ટર પણ અહીં શરૂ કરાયેલ છે. અહીં રાખવામાં આવેલ વન્યપ્રાણીઓ પક્ષીઓ, મગર સહિતના માટે ફાઇવસ્ટાર હોટેલમાં જેટલી વાનગીની જરૂર ના પડે તેનાથી વધુ વિવિધતા ધરાવતી વાનગીઓની આવશ્યકતા રહેશે. વન્યપ્રાણીઓ માટે માંસાહાર, શાકાહાર, તૃણભક્ષી પ્રાણીઓ માટે ઘાસચારો, પક્ષીઓ માટે ફળ સહિત ખોરાક આપવામાં આવે છે.સમિતિના સભ્યોએ સક્કરબાગમાં કાર્યરત અધ્યતન હોસ્પીટલ અને લેબોરેટરીનીની પણ મુલાકાત લઇ વન્યપ્રાણીઓ પક્ષીઓની ખોરાકની ટેવો તેમને અપાતો ખોરાકની ઝીણવટભરી માહિતી મેળવવા સાથે પ્રાણીઓની ગર્ભ અવસ્થામાં આપવામાં આવતા ખોરાકની પણ જાણકારી મેળવી હતી.