દાનની રકમ સામે હવે ડિડકશનનો દાવો કરી શકશે
ખાસ-ખબર સંવાદદાતા
- Advertisement -
વિશ્ર્વ વિખ્યાત સોમનાથ મહાદેવ મંદિરની તમામ દાનની રકમને કરમુકત મંજુરી અપાઇ છે.આવકવેરા કાયદા હેઠળ સોમનાથ મંદિરને ઐતિહાસીક મહત્વ ધરાવતા અને વિખ્યાત જાહેર ધર્મસ્થળનો દરજજો બહાલ કરવામાં આવતાં મંદિરને મળતાં તમામ દાન કરમુકત થશે.
સોમનાથ મંદિર ટ્રસ્ટને રોકડ રકમ અને સોનામાં દાન મળી રહ્યું છે. ત્યારે સોમનાથ મંદિરને મળતા દાનની રકમમાંથી કરમુકત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટર ટેક્સિસ (સીબીડીટી)એ આવકવેરા કાયદાની કલમ 80જી હેઠળ નોટિફિકેશન બહાર પાડયું છે. જેમાં અમુક ભંડોળમાં અપાતા દન અને ચેરીટેબલ સંસ્થાઓને મળતા દાન આ કલમ હેઠળ મુકતી મળશે. કોઇ પણ કરદાતા સોમનાથ મંદિરમાં અપાયેલા દાનની રકમ સામે ડિડકશન માટે દાવો કરી શકશે. તેમા વ્યક્તિગત કરદાતા, કંપનીઓ કે સંસ્થાઓ ચેક,ડ્રાફટ અથવા કેશમાં ચૂકવાયેલી દાનની રકમ સામે કરમાં રાહતનો દાવો કરી શકશે.
ઉલ્લેખનીય છે કે, દેશનાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સોમનાથ મંદિર ટ્રસ્ટનાં ચેરમેન છે. તાજેતરમાં ગુજરાતનાં પ્રવાસે આવ્યાં હતાં ત્યારે ટ્રસ્ટની મીટીંગ પણ મળી હતી. જોકે સીબીડીટીનાં નોટિફિકેશનમાં દેશનાં અન્ય મંદિરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.


