આરોગ્ય મંત્રાલયની ચેતવણી, દિલ્હીમાં 27 ટકા કેસ વધી ગયા, નોઈડામાં સ્કૂલના 13 વિદ્યાર્થી પોઝિટિવ
દેશમાં ફરીથી કોરોનાવાયરસ મહામારી નો ખતરો વધી શકે છે અને અલગ-અલગ રાજ્યોમાં નવા કેસમાં વધારો થઇ રહ્યો છે ત્યારે કેન્દ્રનું આરોગ્ય મંત્રાલય પણ ચિંતામાં મૂકાયાં છે અને નવી પરિસ્થિતિને લઇને આરોગ્ય મંત્રાલય દ્વારા એક ચેતવણી જારી કરવામાં આવી છે.આરોગ્ય મંત્રાલય તમામ રાજ્ય સરકારોને ચેતવણી આપી છે અને નવેસરથી કોરોનાવાયરસ મહામારી પરેશાન કરી શકે તે માટે તમામ નિયમો આ અંગે નવેસરથી સમીક્ષા પણ કરવી પડશે.
છેલ્લા થોડા સમયથી દેશમાં દરરોજ નવા કેસ માં ઘટાડો થઈ રહ્યો હતો પરંતુ પાછલા એક સપ્તાહથી કેટલાક રાજ્યોમાં નવા કેસ બહાર આવી રહ્યા છે.દિલ્હી થી મળેલા અહેવાલો મુજબ અહીં 27 ટકા જેટલો કેસમાં વધારો થઇ ગયો છે. નોઈડા ખાતે આવેલી સ્કૂલના 13 વિદ્યાર્થીઓ અને ત્રણ શિક્ષકો પણ પોઝિટિવ નીકળ્યા છે અને સ્કૂલના તમામ વિદ્યાર્થીઓ તથા શિક્ષકોના ટેસ્ટિંગની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને હાલ તરત સ્કૂલને બંધ કરી દેવામાં આવી છે.કેન્દ્રના આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરાયેલા અહેવાલમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે દેશમાં કોરોનાવાયરસ મહામારી થી વધુ 6 લોકોના મૃત્યુ થયા છે ત્યારે ચિંતા ફેલાઇ છે અને ફરીવાર દેશમાં કોરોનાવાયરસ મહામારી નો ખતરો વધી ગયો છે અને નવા કેસ અન્ય રાજ્યોમાં પણ ફેલાઇ શકે છે.એવો સવાલ પણ પૂછવામાં આવી રહ્યો છે કે દેશમાં કોરોનાવાયરસ મહામારીની ચોથી લહેર શરૂ થઈ ગઈ છે કે કેમ. જોકે આ બારામા હજુ સુધી આરોગ્ય નિષ્ણાંતો અને વૈજ્ઞાનિકોએ ફાઇનલ રિપોર્ટ આપ્યો નથી અને ચોથી લહેર અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન જારી કર્યું નથી.