‘…એ દરબાર કોણ છે, તેને કહેજો કે આ વિસ્તારમાં ખેલ નાખવાનું બંધ કરે’
તાલુકા પંચાયત સદસ્યના પતિ ભવાન સરવૈયાને કહ્યું- પૈસા માગી અને RTI કરશો તો ખાવાનો વારો આવશે, ધમકીભર્યો ઓડિયો વાઇરલ
- Advertisement -
ગામમાં પાણી અને ગટરના નબળા કામમાં RTI માગતા બાવળિયા લાલઘૂમ
ગુજરાતના શિક્ષણમંત્રી જિતુ વાઘાણીએ ગઇકાલે રાજકોટમાં ભાન ભૂલ્યા હોય તેમ નિવેદન આપ્યું હતું. તેઓએ કહ્યું હતું કે, જેને ગુજરાતમાં શિક્ષણ સારું ન લાગતું હોય તે જે રાજ્ય કે દેશમાં જવું હોય તો જતા રહો. વાઘાણી બાદ હવે કુંવરજી બાવળિયા ભાન ભૂલ્યા હોય તેમ એની એક ઓડિયોક્લિપ વાઇરલ થઇ છે. જેમાં તાલુકા પંચાયતના સદસ્યના પતિને ધમકી આપતા હોય તે રીતે વાત કરી રહ્યા છે. તાલુકા પંચાયતના સદસ્યના પતિને કહે છે કે, પૈસા માગી અને છઝઈં કરશો તો ખાવાનો વારો આવશે. જોકે આ અંગે કુંવરજી બાવળિયાનો સંપર્ક કરતા તેનો સંપર્ક થઈ શક્યો નહોતો. વીંછિયા તાલુકાના ઓરી તાલુકા પંચાયતના સદસ્યના પતિ ભવાન સરવૈયાને ગામની અંદર ચાલતા પાણી અને ગટરલાઇનમાં નબળુ કામ થયાનું જણાતા છઝઈંની માહિતી માગતા હતા. પરંતુ જસદણ-વીંછિયા તાલુકાના ધારાસભ્ય કુંવરજી બાવળિયા ફોનમાં ખુલ્લી ધમકી આપતા હોવાની ઓડિયોક્લિપ વાઇરલ થઈ છે.
બાવળિયા અને સરવૈયા વચ્ચે થયેલી વાતચીત શબ્દશ:
બાવળિયા: એ દરબાર કોણ છે, એને કહેજો કે આ વિસ્તારની અંદર ખેલ નાખવાનું બંધ કરે, અહીં ધારાસભ્ય કુંવરજીભાઈ છે, ભવાન-બવાન તમે ત્યાં ખોટી વાતો કરો, આ પાઇપલાઇન નથી નાખી અને પેલી નથી નાખી, તમારા લોકોએ જ કરી છે.
સરવૈયા: સાહેબ દરબારોએ કંઇ કહ્યું નથી.
બાવળિયા: જી
સરવૈયા: મેં જ રિક્વેસ્ટ કરેલી છે.
બાવળિયા: સાંભળો…ભવાનભાઈ ચંદ્રસિંહરાજ, ઉકાભાઈ, કુંડીવાળુ કરી ગયો એ ભાઈ આ બધાને બોલાવોને હું આવું, ગામ વચ્ચે ચોકમાં આપણે મિટિંગ રાખીએ.
સરવૈયા: હું સાહેબ નહીં આવી શકું.
બાવળિયા: કેમ શું કામ ન આવી શકો?
સરવૈયા: હું નહીં આવી શકું.
બાવળિયા: મિટિંગ હું રાખવાનો છું, સાંભળો તમે આવો ત્યાં હુ ખુલ્લા પાડી દેવાનો છું કે આ પાઇપલાઇન નથી નાખી એવી વાતો કરો છો પાછા.
સરવૈયા: હું વાતો નથી કરતો
બાવળિયા: બજાર વચ્ચે ભવાન હોય, ચંદ્રરાજસિંહ હોય, વસ્તાભાઈ હોય એકેયમાં આપણે શરમ નથી રાખવી હાલો.
સરવૈયા: હા તો વાંધો નહીં, શરમ ન રાખવી હોય તો હું આવીશ.
બાવળિયા: ના ના ચોકમાં જ મિટિંગ રાખવી છે, 43 લાખ રૂપિયાનું કામ મંજૂર કરાવ્યું હોય અને તમે બધા ભાગબટાઈની વાતો કરો છો. ફરિયાદ કરો કેમ કામ થાય છે. હું આ મિટિંગ ચોકમાં જ રાખવાનો છું.
સરવૈયા: અઢી ફૂટની આપણે ગટગ કરવાની હતી, RTI કરવાનો છું.
બાવળિયા: સાંભળો, બધાની વચ્ચે આપણે બધી વાત કરી લઇશું.
સરવૈયા: બોલાવજો પછી પણ પહેલા હું RTI કરી નાખું.
બાવળિયા: ના ના હવે કંઇ કરવું નથી.
સરવૈયા: એ કુંવરજી કાકા, એવું નથી પોસાય તેવું.
બાવળિયા: હું તારો કાકો નથી થાતો
સરવૈયા: તો દાદા
બાવળિયા: હા, બરાબર
સરવૈયા: દાદા કાલે મારે એવું નથી થાય તેમ
બાવળિયા: કાલે નહીં પરમદિવસે, હું બે-ત્રણ દિવસમાં જ આવવાનો છું.
સરવૈયા: કાલે હું RTI કરવાનો છું
બાવળિયા: તો ખાવાનો વારો આવે, પૈસા તમે માગો અને RTI કરો તો ખાવાનો વારો આવે, છઝઈં કરો તોય કંઇ ન થઇ જાય.
- Advertisement -
કુંવરજી બાવળિયાએ ગૌચરની 200 વીઘા જમીન દબાવી!
વિંછીયા પંથકમાં રાજગૃપ સર્વજ્ઞાાતિ સેવાશક્તિ દ્વારા કલેક્ટર,મુખ્યમંત્રીને ફરિયાદ
ભાજપ શાસિત રાજ્ય સરકારના પૂર્વ કેબીનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ વિંછીયાના અમરાપુર, કોટડા અને વિંછીયાની સીમમાં સ્કૂલ અને સ્ટોન ક્રશર (ભરડીયાના) નામે ગૌચરની 200 વિઘા જેટલી જમીન દબાવી દીધાનો આક્ષેપ કરતી વધુ એક રજૂઆત સરકારને થઈ છે. જસદણ વિંછીયા પંથકના રાજગૃપ સર્વજ્ઞાાતિ સેવાશક્તિ નામની સંસ્થાએ જણાવ્યા પ્રમાણે આ કેસમાં કુંવરજીભાઈ સામે પોલીસ કેસ પણ થયો છે પરંતુ, પક્ષપલ્ટો કરી ભાજપમાં જઈને પૂર્વ સરપંચ સાથે સમાધાન કરીને પ્રકરણ દબાવી દીધું છે. આ કેસની તટસ્થતાથી તપાસ કરીને જમીન ખાલી કરાવવા અને કાયદેસરની કાર્યવાહી કરવા માંગણી કરાઈ છે. પૂર્વ કેબીનેટ મંત્રી અને હાલના ધારાસભ્યને અમરાપુરની સીમમાં સંકુલ માટે માત્ર 4 એકર (10 વિઘા) જમીન અને ભરડીયા માટે 10 ગુંઠા જમીન મંજુર થયેલી હતી.ત્યારે હાલ સરકાર જો જમીનનો સર્વે કરાવે તો આ કૌભાંડ પ્રતિપાદિત થાય તેમ છે તેમ મુખ્યમંત્રી, જિલ્લા કલેક્ટર વગેરેને થયેલી રજૂઆતમાં જણાવાયું છે.



