મુખ્યમંત્રી, રાજ્યપાલ, હાઈવે ઓથોરિટી સ્ટેટ સેક્રેટરીને લેખિત રજુઆત કરાઇ
ખાસ-ખબર સંવાદદાતા
- Advertisement -
ગુજરાત રાજ્યમાં અને ખાસ કરીને જૂનાગઢ જિલ્લામાં જિઓ કંપનીએ અન્ડર ગ્રાઉન્ડ કેબલ નાખેલ છે. હજારો કિમી કેબલ લાઈન પાથરેલ છે, જેમાં અનેક ગેરરીતી કરી સરકારી મિલકતોને નુકશાન પહોચાડવામાં આવ્યું છે. રાજયપાલ, મુખ્યમંત્રી સહિતનાંને કરેલી રજુઆતમાં જણાવ્યું હતું કે, કેબલ લાઈન સ્ટેટ રોડથી 11 થી 15 મીટર મીટર દુર, નેશનલ હાઈવે ઉપર 22 મીટર દુર, ગ્રામ્ય માર્ગો ઉપર 7 મીટર દુર નાખવાની મંજૂરી હોય તેમજ મહાનગર પાલિકા વિસ્તારમાં કુલ કેટલા મીટર કેબલ લાઈન નાખવાની મંજુરી આપવામાં આવી છે અને ખરેખર કેટલા મીટર કેબલ છે તેની વિગત તપાસવામા આવે તો મસમોટું કોભાંડ પણ બહાર આવે તેમ છે, પરંતુ રાજ્ય કે જૂનાગઢ જિલ્લામાં ક્યાય પણ નિયમો મુજબ કામ થયું નથી અને રોડની સાઈડ પટ્ટી અથવા સોલ્ડર પર નાખેલ છે. રોડ પર આવેલા પુલો પર નડતર પૂર્વક કોઈ પણ પાસેથી મંજૂરી લીધા વગર કોંક્રીટ અને પાઈપ દ્વારા કેબલ નાખી દીધા છે.માળીયા તાલુકાનાં ખોરાસાગીર ગામે તો પાણી પુરવઠા બોર્ડની હયાત પાઈપ લાઈનમાં ભંગાણ કરીને કેબલ લાઈન નાખવામાં આવી છે.જેમાં પણ પાણી પુરવઠા બોર્ડની કોઈ પણ મંજૂરી લીધેલ નથી.
નેશનલ સ્ટેટ જિલ્લા પંચાયતના રોડ પર કોઈ પણ મંજૂરી લીધા વિના ક્રોસિંગ કરીને કેબલો નાખ્યાં છે. રાજ્ય અને જૂનાગઢ જિલ્લામાં ઘણી બધી જગ્યાએ પાણીની પાઈપલાઈન સાથે કે તેની ઉપર નીચે પણ કેબલ લાઈનો પાથરેલા છે. વન વિભાગના વિસ્તારોમાં પણ કોઈ મંજૂરી વગર કેબલ લાઈનો નાખવામાં આવી છે.એક જ ડકની મંજુરી આપી હોઈ તેના બદલે ત્રણ નાખી નિયમ મુજબ ક્યાંય જરૂરી ઊંડાઈ તો કરી જ નથી.
આમ ગેરકાનૂની રીતે રાજ્ય તથા જૂનાગઢ જિલ્લામાં કેબલ લાઈન નાખેલ હોવાથી રોડના સોલ્ડર અને પાણીની પાઈપ લાઇનો તૂટી જવાથી ગંભીર અકસ્માતો થઈ રહ્યા છે. રાજયમાં ઘણાં લોકોએ જીવ ગુમાવ્યા છે. આવી અનેક હાલાકીઓ આ કંપનીની બેજવાબદારીને લીધે પડી રહી છે. તો નિયમ વિરુદ્ધ જે કેબલ લાઇન હાલ અન્ડર ગ્રાઉન્ડ નાખેલ છે, તે દુર કરાવી અને કંપનીથી કરેલુ સરકારી મિલ્કતોનું નુકશાન કંપની પાસે વસુલવા માંગ છે અને જવાબદાર અધિકારીઓ, જીયા કંપનીના અધિકારીઓ ઉપર નમુનારૂપ કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગ છે. તેમજ દિવસ દસની અંદર આ કેબલો હટાવવાની કામગીરી ચાલુ કરવામાં નહી આવે તો રાજ્યના લોકોના હિતમાં ગુજરાત હાઈકોર્ટમાં કંપની અને તેના અધિકારીઓ અને જવાબદાર સરકારી તંત્ર સામે કાનૂની પગલા ભરવા જાહેર હિતની અરજી પણ કરીશું.