શાંતિ દેવી એક જાણીતા સામાજીક કાર્યકર્તા હતા. તેમનો જન્મ 18 એપ્રિલ 1934માં બાલાસોર જિલ્લાના એક જમીનદાર પરિવારમાં થયો હતો.
સામાજિક કાર્યકર્તા અને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત શાંતિ દેવીનું ઓડિશાના રાયગડા જિલ્લાના ગુનુપુરમાં તેમના નિવાસસ્થાન પર નિધન થયું છે. તેમના નિધન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કર્યો છે. ટ્વીટર પર તેમણે લખ્યું કે, ‘શાંતિ દેવીજીને ગરીબો અને વંચિતોની અવાજ તરીકે યાદ કરવામાં આવશે. તેમણ દુ:ખોને દુર કરીને અને એક સ્વસ્થ ન્યાયપૂર્ણ સમાજ બનાવવા માટે નિસ્વાર્થ ભાવથી કામ કર્યુ. તેમના નિધનથી હું ખુબ દુ:ખી છું. મારા વિચારો તેમના પરિવાર અને તેમના અસંખ્ય ચાહકો સાથે છે. શાંતિ દેવીએ સમાજ માટે ઘણા સારા કાર્યો કર્યા છે. જે હંમેશા યાદ રહેશે.’
- Advertisement -
શાંતિ દેવી 1952માં કોરાપુટ જિલ્લામાં જમીન સત્યાગ્રહ આંદોલન સાથે પણ જોડાયા હતા.
ત્યારે તેમને જમીનદારો દ્વારા જબરદસ્તીથી પકડવામાં આવ્યા. આદિવાસી લોકોની જમીનને છોડાવવા માટે સંઘર્ષ કર્યો. ત્યારબાદ તે બોલનગીર, કાલાહાંડી અને સંબલપુર જિલ્લામાં ભૂદાન આંદોલનમાં સામેલ થયા હતા. તેમણે ગોપાલનબાડી સ્થિત આશ્રમમાં ભૂદાન કાર્યકર્તાઓને પ્રશિક્ષણ આપ્યું. જેની સ્થાપના માલતી દેવી જેઓ ઓડિશાના પૂર્વ મુખ્યપ્રધાન નબા કુષ્ણ ચૌધરીની પત્નીએ કરી હતી.
2021માં મળ્યો પદ્મશ્રી એવોર્ડ
- Advertisement -
શાંતિ દેવી ગાંધીવાદી અનુયાયી આચાર્ય વિનોબા ભાવેને 1955-56માં મળ્યા હતા. તેમની વિચારધારાથી પ્રેરિત થઈ, તેમણે આદિવાસીઓ, નિરાશ્રિત મહિલાઓ અને અનાથ છોકરીઓના વિકાસ માટે કામ કરવાનું શરૂ કર્યુ, અને તેમના ભૂદાન આંદોલનમાં ભાગ લીધો. તેમણે અનાથો અને ગરીબ બાળકોના પુનર્વસન માટે સેવા સમાજ આશ્રમની સ્થાપના 1964માં રાયગઢ જિલ્લાના ગુનુપુર ખાતે કરી હતી.
તેમણે ગનપુરમાં પણ એક આશ્રમ સ્થાપિત કર્યો. શાંતિદેવીએ આદિવાસી છોકરીઓને આગળ વધારવા માટે ખુબ કામ કર્યુ. તેમણે શિક્ષણ દ્વારા આદિવાસી છોકરીઓના ઉત્થાન માટે તેમનું અમૂલ્ય યોગદાન આપ્યું હતું. સમાજ સેવામાં ઉત્કૃષ્ટ કાર્ય માટે વર્ષ 2021માં તેમને દેશનો સૌથી પ્રતિષ્ઠિત નાગરિક એવોર્ડમાંથી એક પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા.


