By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમેરિકા પાક.માં ઓઇલ ક્ષેત્રે રોકાણ કરશે
    14 hours ago
    રશિયાનો ભારે હવાઈ હુમલો: યુક્રેન પર એકસાથે 309 હુમલાઓ, 11નાં મોત
    14 hours ago
    ટ્રમ્પે 70 દેશો માટે ટેરિફ દરોમાં ફેરફાર કર્યા. પાકિસ્તાન, બાંગ્લાદેશ પર ઓછા ટેક્સનું ભારણ
    17 hours ago
    સાઉદી અરેબિયામાં એમ્યુઝમેન્ટ પાર્કમાં રાઇડ તૂટી, 23 લોકો ઇજાગ્રસ્ત થયા
    18 hours ago
    બ્રિટનની સંસદીય સમિતિએ ભારતને ‘આંતરરાષ્ટ્રીય દમન’ ચલાવતા 12 દેશોની યાદીમાં સામેલ કર્યું?
    18 hours ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    કર્ણાટકની મહિલામાં નવા ‘દુર્લભ’ પ્રકારનું બ્લડ ગ્રૂપ મળ્યું, “CRIB’ને આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા મળી
    13 hours ago
    રાજસ્થાનમાં વરસાદે 69 વર્ષનો રેકોર્ડ તોડ્યો
    13 hours ago
    ભારત પર 25% US ટેરિફ 7 દિવસ ટળ્યો
    13 hours ago
    ‘મોહન ભાગવતની ધરપકડ કરવાનું કહેવામાં આવ્યું હતું’: માલેગાંવ ચુકાદા પછી ભૂતપૂર્વ ATS અધિકારીનો દાવો
    16 hours ago
    ઓગસ્ટથી થશે આ મોટા ફેરફાર, સામાન્ય માણસના ખિસ્સાને અસર કરશે
    16 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ICC ઓલરાઉન્ડર્સ રેન્કિંગ્સમાં જાડેજા સતત 1239 દિવસથી નંબર-1
    2 days ago
    આવતીકાલથી ઓવલ ટેસ્ટ : ભારત માટે ‘કરો યા મરો’નો મુકાબલો
    3 days ago
    ‘બેન સ્ટોક્સ બગડેલા બાળક જેવું વર્તન કરતો હતો… બગાડી નાખે તેવી રમત’
    5 days ago
    ત્રીજા દિવસે ઇંગ્લેન્ડે સાત વિકેટે 544 રન કર્યા, ભારત સામે 186 રનની લીડ મેળવી
    7 days ago
    ભારતીય ક્રિકેટ ટીમને મોટો ઝટકો: રિષભ પંત ચાલુ મેચમાં થયો ઈજાગ્રસ્ત, 6 સપ્તાહ સુધી આરામ કરશે
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    પ્રભાસની ‘ધ રાજા સાબ’ની રિલીઝ તારીખ મુલતવી રાખવામાં આવી
    17 hours ago
    કોલકાતામાં બાંગ્લાદેશી અભિનેત્રીની 2 આધાર કાર્ડ અને અન્ય ભારતીય દસ્તાવેજો સાથે ધરપકડ કરાઈ
    18 hours ago
    ચંપક ચાચા ખૂબ મોટા પ્રેંકસ્ટર…. મુનમુન દત્તા
    2 days ago
    ‘અવતાર 3’નું જોરદાર ટ્રેલર રિલીઝ, ફરી એકવાર પેન્ડોરાની જાદુઈ દુનિયામાં લઈ જશે
    3 days ago
    તારક મહેતા શૉના સેટ પર ટોર્ચર……..જેનિફર મિસ્ત્રીએ પ્રોડક્શન હાઉસની પોલ ખોલી
    3 days ago
  • ધર્મ
    ધર્મShow More
    શ્રાવણ શુક્લ સપ્તમીએ આદિ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવને પીળા પુષ્પોથી અલંકૃત કરાયા
    14 hours ago
    નાગ પંચમીના દિવસે અપનાવશો આ ઉપાય તો નાગ દેવતા થશે પ્રસન્ન
    4 days ago
    વિશ્ર્વનું એકમાત્ર કાચબા મંદિર : જીવંત કાચબા છે શિવજીનું પ્રતીક
    5 days ago
    શ્રેષ્ઠ ફળ પ્રાપ્ત કરવા માટે શિવલિંગ પર જળ ચડાવતી વખતે આ મંત્રોના જાપ કરો
    5 days ago
    શ્રાવણ 2025 : શ્રાવણમાં ઉપવાસ કરો છો ત્યારે આ વાતોનું ખાસ ધ્યાન રાખો
    1 week ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ RTOનું નવુ બિલ્ડિંગ તૈયાર પરંતુ R&B પાપે ખંઢેર બન્યું !
    4 days ago
    રાજકોટની શાળા નં.19માં શોષણકાંડની ભોગ બનેલી પીડિતા સગીરા હોવાનો ધડાકો
    2 weeks ago
    વીજકરંટથી જ મોરનું મોત થયું હોવાનો PM રીપોર્ટમાં ઘટસ્ફોટ
    2 weeks ago
    વડાળી ગામે નદીમાંથી વીજપોલ હટાવી લેવા પવનચક્કીની વિન્ડ વર્લ્ડ કંપનીને નોટિસ ફટકારી
    3 weeks ago
    રાતોરાત રૈયા સર્કલ પર રસ્તા પર પેચવર્કની કામગીરી શરૂ
    4 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: કિન્નર-પતિ એરાવણનો વિવાહ-સમારોહ!
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Parakh Bhatt > કિન્નર-પતિ એરાવણનો વિવાહ-સમારોહ!
AuthorParakh Bhattધર્મ

કિન્નર-પતિ એરાવણનો વિવાહ-સમારોહ!

Khaskhabar Editor
Last updated: 2022/01/08 at 2:22 PM
Khaskhabar Editor 4 years ago
Share
7 Min Read
SHARE

દક્ષિણ ભારતનાં કિન્નરોને લોકો આજે પણ એરાવણી (ઇરાવણી)નાં નામથી બોલાવે છે, એરાવણ અને કિન્નરોનો સંબંધ વિશેષ એટલા માટે છે, કારણકે દર વર્ષે તેઓ એક દિવસ માટે લગ્નગ્રંથિથી જોડાય છે! લગ્નના બીજા દિવસે એરાવણનું મૃત્યુ થઈ જવાને લીધે કિન્નરોનાં વૈવાહિક જીવનનો અંત પણ આવી જાય છે.

-પરખ ભટ્ટ

સામાન્ય રીતે મા બહુચરાને કિન્નરોની જનની તથા આદ્યદેવી માનવામાં આવે છે, પરંતુ તેમના દેવતા એરાવણ (જેને ઇરાવણ તેમજ અરાવણ પણ કહે છે) અંગે ઘણા ઓછા લોકોને માહિતી છે. તમિલનાડુમાં એરાવણનાં મંદિરો જોવા મળે છે. દક્ષિણ ભારતનાં ક્ધિનરોને લોકો આજે પણ એરાવણી (ઇરાવણી)નાં નામથી બોલાવે છે. એરાવણ અને ક્ધિનરોનો સંબંધ વિશેષ એટલા માટે છે, કારણકે દર વર્ષે તેઓ એક દિવસ માટે લગ્નગ્રંથિથી જોડાય છે! લગ્નના બીજા દિવસે એરાવણનું મૃત્યુ થઈ જવાને લીધે કિન્નરોનાં વૈવાહિક જીવનનો અંત પણ આવી જાય છે. અહીં એ સવાલ થવો સ્વાભાવિક છે કે એરાવણ આખરે છે કોણ અને શા માટે તેઓ ફક્ત એક દિવસ માટે લગ્ન કરે છે? આ તમામ પ્રશ્ર્નોનો જવાબ મહાભારતના પાનાં વચ્ચે દફન છે.

Contents
દક્ષિણ ભારતનાં કિન્નરોને લોકો આજે પણ એરાવણી (ઇરાવણી)નાં નામથી બોલાવે છે, એરાવણ અને કિન્નરોનો સંબંધ વિશેષ એટલા માટે છે, કારણકે દર વર્ષે તેઓ એક દિવસ માટે લગ્નગ્રંથિથી જોડાય છે! લગ્નના બીજા દિવસે એરાવણનું મૃત્યુ થઈ જવાને લીધે કિન્નરોનાં વૈવાહિક જીવનનો અંત પણ આવી જાય છે.-પરખ ભટ્ટ

- Advertisement -

અર્જુન અને નાગકન્યા ઉલુપીની કથા
મહાભારતની એક કથા અનુસાર, પાંચેય પાંડવોએ એકબીજાને વચન આપ્યું હતું કે દ્રૌપદી એમની સાથે એક-એક વર્ષ વીતાવશે. દ્રૌપદી જ્યારે કોઈ એક પાંડવ સાથે રાજમહેલમાં સમય વીતાવી રહી હોય, એ દરમિયાન અન્ય પાંડવભાઈ માટે રાજમહેલમાં પ્રવેશ નિષેધ ગણાશે, પરંતુ અર્જુન દ્વારા એક વખત આ વચનનો ભંગ થતાં તેને ઇન્દ્રપ્રસ્થ છોડી તીર્થયાત્રા પર જતાં રહેવાનો આદેશ અપાય છે. રાજમહેલમાંથી એક વર્ષ માટે નિષ્કાસિત થયા બાદ અર્જુન ઉત્તર-પૂર્વ ભારત તરફ ભ્રમણ શરૂ કરે છે, જ્યાં તેની મુલાકાત એક વિધવા નાગ રાજકુમારી ઉલુપી સાથે થાય છે. બંનેને એકબીજા સાથે પ્રેમ થઈ જતાં થોડા સમયની અંદર તેઓ વિવાહનાં બંધનમાં બંધાઈને ઘર-સંસાર માંડી દે છે. અમુક મહિનાઓ બાદ ઉલુપીને પેટે એક પુત્રરત્ન અવતરે છે, જેનું નામ રાખવામાં આવે છે: એરાવણ! અર્જુનના અપરાધને એક વર્ષ પૂરું થવાની તૈયારીમાં હોય છે જેથી તે ઉલુપી અને એરાવણને એકલા મૂકી ઇન્દ્રપ્રસ્થ જવા રવાના થઈ જાય છે. બીજી બાજુ, માતા સાથે નાગલોકમાં વસવાટ કરી રહેલો એરાવણ ધીરે-ધીરે મોટો થતો જાય છે. યુવાનીનો ઉંબરો વટાવતાંની સાથે જ એરાવણ પોતાનાં પિતા પાસે જવાની ઇચ્છા વ્યક્ત કરે છે. નાગલોકમાં જ્યારે આ ઘટના બની રહી છે ત્યારે ઇન્દ્રપ્રસ્થમાં યુધ્ધના ભણકારા વાગી રહ્યા છે. એરાવણ અર્જુન પાસે પહોંચે છે, ત્યારે પાંડવો તેને મહાભારતના યુધ્ધમાં સામેલ થઈ જવા કહે છે. યુધ્ધનાં 18 દિવસ દરમિયાન એક સમય એવો પણ આવે છે, જ્યારે પાંડવોને પોતાની જીત માટે કાલી માતાના ચરણોમાં એક સ્વૈચ્છિક નર-બલિ (રાજકુમાર)ની આવશ્યકતા ઉભી થાય છે! પાંચાલીનાં એકેય પુત્રો પોતાનું બલિદાન આપવા તૈયાર નથી થતાં, એવા સમયે એરાવણ કાલી માતાના ચરણોમાં પોતાનું મસ્તક ધરવા તૈયાર થઈ જાય છે, પરંતુ શરત એટલી કે તે અવિવાહિત નહી મરે! એરાવણની આ આકરી શરતને લીધે સૌ કોઈ ભારે મૂંઝવણમાં મૂકાઈ જાય છે. લગ્ન કર્યાનાં એક દિવસમાં જ એરાવણની પત્ની વિધવા થઈ જશે, એવું જાણતાં હોવા છતાં કયો રાજા પોતાની દીકરીને તેની સાથે પરણાવવા માટે રાજી થાય! કોઈ ઉપાય ન જડતાં, આખરે કૃષ્ણ પોતે મોહિનીનો અવતાર લઈને એરાવણ સાથે લગ્ન કરે છે. શરત અનુસાર, બીજા જ દિવસે એરાવણ કાલી માતાનાં ચરણોમાં પોતાનું મસ્તક અર્પણ કરીને પાંડવો માટે જીતના દ્વાર ખોલી આપે છે! એરાવણનાં મૃત્યુ બાદ મોહિની સ્વરૂપ શ્રીકૃષ્ણ ઘણા સમય સુધી પોતાનાં પતિની યાદમાં વિલાપ કરે છે. પુરૂષ થઈને સ્ત્રીનાં દેહમાં એરાવણ સાથે લગ્ન કરી કિન્નર સમાજનું પ્રતિનિધિત્વ કરનાર કૃષ્ણની પરંપરાને આજે પણ હિજડા-સમાજ એ રીતે જ આગળ વધારી રહ્યો છે.

તમિલનાડુનું સૌથી પ્રાચીન અને મુખ્ય એરાવણ મંદિર અત્યારે તો ભગવાન એરાવણના કંઈ-કેટલાય મંદિરો સમગ્ર તમિલનાડુમાં જોવા મળી શકે છે, પરંતુ તેમનું સૌથી પ્રાચીન મંદિર વિલ્લુપુરમ જિલ્લાનાં કૂવગમ ખાતે સ્થિત છે. ‘કૂથનદવર મંદિર’નાં નામે ઓળખાતું આ ધર્મસ્થળ કિન્નર સમાજ માટે સૌથી પૂજનીય માનવામાં આવે છે. રાજસ્થાનનાં ખાટુશ્યામજીમાં થતી બર્બરિકની પૂજા માફક, અહીં પણ એરાવણનાં મસ્તકની આરાધના થાય છે. કૂવગમ ગામમાં દર તમિલ નૂતનવર્ષની પહેલી પૂનમે અઢાર દિવસો સુધી ચાલનારા ઉત્સવનો પ્રારંભ થાય છે. ભારતનાં ખૂણેખૂણામાંથી કિન્નરો અહીંયા એકત્રિત થઈ એકબીજા સાથે પ્રેમથી હળીમળીને એરાવણની આરાધના કરે છે. શરૂઆતનાં સોળ દિવસો સુધી તેઓ દરેક પ્રકારનાં મધુર સંગીત પર નાચ-ગાનનું આયોજન ગોઠવે છે. ઉત્સવ દરમિયાન તેઓ ગોળાકાર ઘેરો બનાવી તાળીઓ પાડતાં-પાડતાં નૃત્ય-આરાધનામાં લીન થાય છે. ચારે કોર તેમના હાસ્ય-મલકાટ અને ઉત્સાહનાં પડઘા સંભળાય છે. લગ્નની ભરપૂર તૈયારીઓ વચ્ચે તમામ કિન્નરો એકબીજાની તબિયતનું પણ ખાસ ધ્યાન રાખે છે. જેમ-જેમ લગ્નનો દિવસ નજીક આવતો જાય છે તેમ વાતાવરણમાં કપૂર અને ચમેલીનાં ફૂલોની મહેક વધવા માંડે છે. સત્તરમા દિવસે મંદિરનાં પુરોહિત દ્વારા એક વિશેષ-પૂજાનું આયોજન કરવામાં આવે છે, જ્યાં એરાવણ દેવને નારિયેળ ચઢાવી તમામ કિન્નરોનાં ગળામાં મંગળસૂત્ર પહેરાવી દેવામાં આવે છે. ત્યારબાદ, પુરોહિત દ્વારા મંત્રોચ્ચાર અને શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે કિન્નરોને એરાવણની મૂર્તિ સાથે પરણાવી દેવાય છે. એ રાતે પણ વિશેષ ઉત્સવનું આયોજન થયેલું હોય છે, જ્યાં કિન્નરો પોતાનાં વૈવાહિક જીવનને ખૂબ ઉલ્લાસભેર ઉજવે છે. છેલ્લા એટલે કે અઢારમા દિવસે એરાવણની મૂર્તિને આખા ગામમાં નગરયાત્રા કરાવ્યા બાદ એક નિશ્ચિત જગ્યા પર તોડી નંખાય છે. આ સાથે તમામ કિન્નરો પોતાનાં ગળામાં પહેરેલા મંગળસૂત્રોને પણ તોડી નાંખે છે. ચહેરા પર કરવામાં આવેલો સાજ-શૃંગાર મિટાવી તેઓ સફેદ કપડાંમાં પોતાનું દુ:ખ વ્યક્ત કરે છે. એમના હ્રદયની પીડા એટલી વલોવી નાંખે એવી હોય છે કે રૂદનનાં અવાજો આખા ગામમાં સંભળાય છે! આખો કિન્નર સમાજ જોર-જોરથી પોતાની છાતી પીટીને એરાવણ પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરે છે. તેમનાં જીવનની કરૂણતા, વલોપાત અને એક દિવસ માટેનો દુલ્હનનો શૃંગાર તેમની આંખોમાં સ્પષ્ટપણે વર્તાઈ આવે છે, જેને જોઈને ગામનાં લોકોની આંખોમાંથી પણ અશ્રુધારા વહેવા લાગે છે. ઓગણીસમા દિવસે તેમના આરાધના-ઉત્સવનું સમાપન કરી દેવામાં આવે છે. પછીનાં વર્ષની પહેલી પૂનમ પર મળવાનો વાયદો કરી, આખો કિન્નર સમાજ ભારે હ્રદય સાથે પોતપોતાના ઘેર જવા રવાના થઈ જાય છે.

- Advertisement -

આજનાં આધુનિક જમાનામાં આપણે કદાચ એ ભૂલી ગયા છીએ કે કિન્નરોને પણ એક હ્રદય હોય છે, જે લાગણી અનુભવે છે! સુખ-દુ:ખનો અહેસાસ કરવાનું જાણે છે. ‘અસ્મિતા પર્વ-21’માં મોરારિબાપુએ કિન્નર સમાજનાં મહામંડલેશ્વર લક્ષ્મીનારાયણ ત્રિપાઠીને પોતાનો પક્ષ મૂકવા આમંત્રણ આપ્યું હતું, જે ખૂબ સરાહનીય બાબત કહી શકાય. ભારતમાં મંદિરો તો ઘણા મળી આવશે, પરંતુ તેમની અંદર બિરાજેલા ભગવાન સાથે આત્મીયતા બંધાઈ જાય અને જેનાં ખંડન પર હ્રદય ચીસો પાડીને રૂદન કરે એવા ભક્તો ક્યાં છે?

You Might Also Like

શ્રાવણ શુક્લ સપ્તમીએ આદિ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવને પીળા પુષ્પોથી અલંકૃત કરાયા

નાગ પંચમીના દિવસે અપનાવશો આ ઉપાય તો નાગ દેવતા થશે પ્રસન્ન

વિશ્ર્વનું એકમાત્ર કાચબા મંદિર : જીવંત કાચબા છે શિવજીનું પ્રતીક

શ્રેષ્ઠ ફળ પ્રાપ્ત કરવા માટે શિવલિંગ પર જળ ચડાવતી વખતે આ મંત્રોના જાપ કરો

વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સમાં ભારતીય ખેલાડીઓ સાથે વહીવટી છબરડો

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article યશનો જન્મદિવસ: ‘KGF ચેપ્ટર 2’ના નિર્માતાઓએ જબરદસ્ત પોસ્ટર સાથે શુભેચ્છા પાઠવી
Next Article પુરુષ માઈક્રોવેવ, સ્ત્રી ઈલેકટ્રિક ઓવન છે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

સૌના હૃદયસ્થ સ્વ. વિજયભાઈ રૂપાણીનો જન્મદિવસ મનોદિવ્યાંગ બાળકો સાથે ઉજવાશે

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
જૈન વિઝન દ્વારા ગૌ માતાની ‘વિજય’ વંદના
રાજકોટના મઘરવાડા ગામે વૃદ્ધાની જમીન પડાવી લેનાર ત્રિપુટી સામે લેન્ડગ્રેબિંગ
યુવરાજનગરમાંથી એક સપ્તાહથી કારખાનામાં ચાલતા રિફિલિંગ પર LCBનો દરોડો
ગૂડ ન્યૂઝ: રાજકોટને વધુ 100 ઈલેક્ટ્રિક બસની સુવિધા મળશે
સબ રજિસ્ટ્રાર કચેરીમાં IT તપાસ પૂરી, ડેટા અમદાવાદ મોકલાશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ધર્મ

શ્રાવણ શુક્લ સપ્તમીએ આદિ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવને પીળા પુષ્પોથી અલંકૃત કરાયા

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
ધર્મ

નાગ પંચમીના દિવસે અપનાવશો આ ઉપાય તો નાગ દેવતા થશે પ્રસન્ન

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
ધર્મ

વિશ્ર્વનું એકમાત્ર કાચબા મંદિર : જીવંત કાચબા છે શિવજીનું પ્રતીક

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?