ક્ષમા, મન, તપસ્યા…
17 મિનિટના ભાષણમાં કુલ 37વાર ખેડૂતોનું નામ લીધું
પીએમ મોદીએ આજે પોતાના 17 મિનિટના ભાષણમાં કુલ 37 વાર ખેડૂતોનું નામ લીધુ. તેમણે પોતાના ભાષણમાં ખેડૂતો માટે કરેલા પોતાના કામ ગણાવ્યા અને કહ્યું કે દેશમાં ખેડૂતો માટે સંપૂર્ણ તાકાતથી કરતા રહેશે. આજે સવારે અચાનક જેવી પીએમઓએ પીએમ મોદીના રાષ્ટ્રના નામે સંબોધનની જાણકારી ટ્વીટ કરી તો અટકળોએ બજારને ગરમ કરી દીધું. પીએમ મોદીએ પોતાના સંબોધનમાં નાના ખેડૂતોની સમસ્યાનો ઉલ્લેખ કર્યો.
- Advertisement -
પીએમનું દેશવાસીઓને સંબોધન..
હું દેશવાસીઓની ક્ષમા માંગુ છું. સાચા મનથી કહ્યું છે કે કદાચ અમારી તપસ્યામાં કોઈ કમી
રહી રહી હતી. અમે અમારી વાત કેટલાક ખેડૂત ભાઈઓને સમજાવી નથી શક્યા. આજે ગુરુનાનકજીના પ્રકાશ પર્વ છે. આજે હું સમગ્ર દેશને અ જણાવવા આવ્યો છું કે અમે 3 કૃષિ કાયદાને પાછા લેવાનો નિર્ણય કર્યો છે. અમે ત્રણ કૃષિ કાયદાને રદ્દ કરવાના સંવૈધાનિક પ્રક્રિયાને જલ્દી શરુ કરીશું.
5 દશકની રાજનીતિક જીવનનો ઉલ્લેખ
- Advertisement -
પીએમ મોદીના આ ભાષણમાં ખેડૂતોને લઈને પોતાના ભાવને પણ વ્યક્ત કર્યો. પોતાના 5 દશના રાજકીય જીવન અંગે જણાવ્યું કે તેમણે ખેડૂતોના પડકારોને નજીકથી જોયા છે. તેમની સરકાર ખેડૂતોના હિત માટે કાયદો લાવી હતી. તેમણે કહ્યું કે તેમનો હેતુ ખેડૂતોને વધારે લાભ કરાવવાનો હતો.
વડાપ્રધાને વિરોધ કરતા ખેડૂતોને ખેતરમાં પરત ફરવાની અપીલ કરી
હું દેશવાસીઓની માફી માંગુ છું કે અમારા પોતાના પ્રયાસોમાં થોડીક ઉણપ રહી હશે. પીએમએ વિરોધ કરી રહેલા ખેડૂતોને કહ્યું કે ગુરપુરબના અવસર પર તમે તમારા ઘર અને ખેતરમાં પાછા ફરો.
5 મહત્વના મુદ્દા સંબોધનના..
1 પીએમ મોદીએ રાષ્ટ્રજોગ સંબોધનમાં કહ્યું કે, મેં જે કાઈપણ કર્યું તે ખેડૂતો માટે કર્યું છે, જે કાઈ કરી રહ્યો છું તે પણ ખેડૂતો અને દેશવાસીઓ માટે કરવા જઈ રહ્યો છું. દેશવાસીઓના આશિર્વાદથી મેં મારી મહેનતમાં કોઈપણ પ્રકારની કસર છોડી નથી, આજે હું તમને આશ્વાસન આપું છું કે, વધુ મહેનત કરીશ જેથી તમારા અને રાષ્ટ્રના સપના પૂર્ણ કરી શકું.
2 પીએમ મોદીએ કહ્યું કે અમે ત્રણેય કૃષિ કાયદાઓ પાછા ખેંચવાનો નિર્ણય લીધો છે. તેની પ્રક્રિયા આ મહિને સંસદના આગામી સત્રથી શરૂ થશે. હું ખેડૂતોને અપીલ કરું છું કે તેઓ તેમના ઘરે પાછા ફરે અને નવેસરથી શરૂઆત કરે.
3 પીએમે કહ્યું કે અમે ખેડૂતોને સસ્તા ભાવે બીજ આપવાનું કામ કર્યું. સૂક્ષ્મ સિંચાઈ સાથે સિંચાઈ યોજનાઓ શરૂ કરી. 22 કરોડ સોઈલ હેલ્થ કાર્ડ બનાવવામાં આવ્યા હતા. આ બધું કૃષિ ઉત્પાદન વધારવા માટે કરવામાં આવ્યું હતું. તે જ સમયે, અમે પાક વીમા યોજના શરૂ કરી અને તે હેઠળ ખેડૂતોને પણ જોડવામાં આવ્યા.
4 પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંબોધનમાં કહ્યું કે અમે ખેડૂતોને તેમની ઉપજની સંપૂર્ણ અને યોગ્ય કિંમત મળે તે સુનિશ્ચિત કરવા માટે ઘણાં પગલાં લીધાં છે. અમે ગ્રામીણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત કર્યું. અમે માત્ર ખજઙ વધાર્યો જ નહીં પરંતુ સરકારી ખરીદીને પણ રેકોર્ડ ઊંચાઈએ લઈ જઈએ. અમારી સરકાર દ્વારા પાકની ખરીદીએ છેલ્લા દાયકાઓના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે.
5 પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે જ્યારે હું 2014માં વડાપ્રધાન બન્યો ત્યારે અમારી સરકારની પ્રાથમિકતા ખેડૂતો અને ખેડૂતોનું હિત રહેલું છે. અમારી પ્રાથમિકતા તેમનું કલ્યાણ અને વિકાસ હતી. ઘણા લોકો અજાણ છે કે દેશના 100માંથી 80 ખેડૂતો નાના પાયાના છે અને તેમની પાસે 2 હેક્ટરથી ઓછી જમીન છે. આ ખેડૂતોની વસ્તી 10 કરોડથી વધુ છે અને તેમની આજીવિકા પણ આ જમીન છે. વડા પ્રધાને પછી દેહ સિવા બરુ મોહિ ઇહાઈ સુભ કર્મન તે કહૂં ના તોરોં સાથે તેમનું ભાષણ સમાપ્ત કર્યું, જે ગુરુગોવિંદ સિંહની રચના દસમ ગ્રંથના ચંડી ચરિતરનો એક શબ્દ છે.