વંદાઓ આમ પણ માનવજાતનાં છાનાં શત્રુ છે, તેઓ બિમારી લાવે છે, હેલ્થ બગાડે છે
આજે આ પત્ર હું કોઈ રાજકીય પક્ષના કાર્યકર તરીકે નથી લખી રહ્યો. કોઈ વિચારધારાના પ્રતિનિધિ તરીકે પણ નથી લખી રહ્યો. હું લખી રહ્યો છું એક સામાન્ય ભારતીય તરીકે… એક પિતા તરીકે… એક વાલી તરીકે… અને સૌથી પહેલાં એક એવા નાગરિક તરીકે, જેને પોતાના દેશ સાથે પ્રેમ છે.
- Advertisement -
છેલ્લા થોડા દિવસોથી સોશિયલ મીડિયા, ટીવી ચેનલો અને અખબારોમાં જે દૃશ્યો જોયા, તેનાથી હૃદય ભારે થઈ ગયું. દિલ્હીના જંતર-મંતર પર કેટલાક લોકોએ એવા સૂત્રોચ્ચારો કર્યા કે જેને સાંભળીને કરોડો દેશપ્રેમીઓનું માથું શરમથી ઝૂકી જાય. કેટલાક વિવાદાસ્પદ વ્યક્તિઓના સમર્થનમાં અવાજો ઉઠ્યા. આપણા સૈનિકો માટે અપમાનજનક શબ્દો બોલાયા. દેશ માટે જીવન અર્પણ કરનાર જવાનોને ગાળો આપવામાં આવી.
એ દૃશ્યો જોતાં મને તમારા માટે નહીં, પરંતુ ભારત માટે દુ:ખ થયું. મોદીજી, હું આજે તમને માત્ર એક વાતની ખાતરી આપવા માંગું છું. આ અવાજો ભારતનો અવાજ નથી. થોડાક ભટકાયેલા યુવાનો, થોડાક સોશિયલ મીડિયા પ્રભાવિત ચહેરાઓ અથવા કેમેરા સામે ચીસો પાડતાં લોકો આખા ભારતનું પ્રતિનિધિત્વ કરતાં નથી. દેશની સાચી તાકાત હજુ પણ ગામડાની ધૂળમાં છે, સરહદ પર ઊભેલા જવાનમાં છે, મંદિરમાં પ્રાર્થના કરતા વૃદ્ધમાં છે, મહેનત કરતા યુવાનમાં છે અને પોતાના બાળકોને ‘જન ગણ મન’ શીખવતી માતામાં છે.
ભારત આજે પણ તમારી સાથે છે. આજે પણ દેશનો મોટો વર્ગ તિરંગા સાથે ઊભો છે. આજે પણ ભારતીય સૈનિકો પ્રત્યે લોકોના દિલમાં અખૂટ સન્માન છે. આજે પણ ભારત પોતાના રાષ્ટ્રને સર્વોપરી માને છે. અમને ખ્યાલ જ છે, આ માત્ર તમારા વિરુદ્ધ જ નહીં, રાષ્ટ્ર વિરોધનું પણ કાવતરું છે. વંદાઓ આમ પણ માનવજાતનાં છાનાં શત્રુ છે, તેઓ બીમારી લાવે છે, હેલ્થ બગાડે છે. આ વંદાઓ પર જે રીતે બેગોન અને હિટનો સ્પ્રે થઈ રહ્યો છે એ જોઈને ટાઢક થાય છે. આ કોઈ વિદ્યાર્થી આંદોલન નહોતું, બધાં જાણે છે. દેશદ્રોહીઓ, તીડીઓ, નવરાધૂપ શાંતિદૂતો અને લુખ્ખાઓનો ઉત્સવ હતો અને તેના માટે ભારત વિરોધી શક્તિઓનું ફન્ડિંગ હતું. આખા દેશએ આ જોયું- અનુભવ્યું.
- Advertisement -
લોકશાહીનો અર્થ માત્ર સરકારની ટીકા નથી, લોકશાહીનો અર્થ દેશનું અપમાન તો ક્યારેય હોઇ જ શકે નહીં
મોદીજી, ક્યારેક મને આજની પેઢીને જોઈને ગુસ્સો નથી આવતો… દયા આવે છે.
આ જેન ઝીના ઘણા યુવાનોએ કોંગ્રેસના દાયકાઓ સુધી ચાલેલા ભ્રષ્ટાચારના કિસ્સા માત્ર પુસ્તકોમાં વાંચ્યા છે; તેમને તે સમય જીવવો પડ્યો નથી. તેમણે મુંબઈ, દિલ્હી, અમદાવાદ કે અન્ય શહેરોમાં થયેલા આતંકવાદી હુમલાઓ પછી દેશની ગભરાટભરી રાતો જોઈ નથી. તેમણે શહીદોના ઘરમાં પહોંચતા તિરંગામાં લપેટાયેલા પાર્થિવ દેહોને ટેલિવિઝન પર સતત જોયા નથી. તેમણે તે ભારત નથી જોયું જ્યાં સુરક્ષા અને આતંકવાદ દેશના દરેક પરિવારની ચિંતા બનતા હતા અને આવા સમયે સત્તાધિશો માત્ર ઠાલી ધમકીઓ આપીને દુશ્મન દેશની સેનાને ડરાવવા ઠાલાં પ્રયત્નો કરતાં હતાં. આ જનરેશને એ મૌનમોહન જોયાં નથી જે દરેક સમસ્યાઓ પર મૌન ધારણ કરી લેતાં હતાં. આજે તમે દિલ્હીના સિંહાસન પર છો અમે નચિંત, નિશ્ર્ચિંત અને આત્મવિશ્ર્વાસથી છલોછલ છીએ.
જ્યારે દુ:ખનો અનુભવ ન થયો હોય ત્યારે શબ્દો હળવાશથી બોલાઈ જાય છે. જ્યારે ઈતિહાસ માત્ર યુટ્યુબની પાંચ મિનિટની ક્લિપ બની જાય ત્યારે રાષ્ટ્રનો અર્થ પણ ધીમે ધીમે ધૂંધળો પડી જાય છે. હું નથી માનતો કે દરેક યુવાન દેશવિરોધી છે. ઉલટું, ભારતનો મોટાભાગનો યુવાન દેશપ્રેમી છે. કોઈ સેનામાં ભરતી થઈ રહ્યો છે. કોઈ સ્ટાર્ટઅપ બનાવી રહ્યો છે. કોઈ વિજ્ઞાનમાં ભારતનું નામ ઉજ્જવળ કરી રહ્યો છે. કોઈ ઓલિમ્પિકમાં તિરંગો ફરકાવી રહ્યો છે. પરંતુ થોડાક એવા યુવાનો પણ છે, જેમને સ્વતંત્રતાનો અર્થ માત્ર વિરોધ લાગે છે, જવાબદારી નહીં. લોકશાહીનો અર્થ માત્ર સરકારની ટીકા નથી. લોકશાહીનો અર્થ દેશનો અપમાન તો ક્યારેય હોઈ જ શકે નહીં. સૈનિકોની નિંદા કરીને કોઈ ક્રાંતિ થતી નથી. ભારતને ગાળો આપીને કોઈ પ્રગતિ થતી નથી. અને જે લોકો દેશની એકતા સામે ઊભા રહ્યા હોય અથવા જેમના વિચારો અંગે દેશના મોટા વર્ગમાં ગંભીર વિરોધ હોય, તેમની પ્રશંસા કરીને કોઈ આધુનિક બનતું નથી.
જંતરમંતર પર જે દૃશ્યો જોવા મળ્યાં એ નિહાળીને થરથરી જવાયું. એક બેવકૂફ યુવાને સેનાનાં જવાનને પાંચ મિનિટ સુધી અસ્ખલીત ગાળો આપી, બીજાએ પાટલૂનની ચેઈન ખોલીને કહ્યું કે, મેરા લિંગ મેરી મર્ઝી. એક મુર્ખ યુવતીએ ફરમાવ્યું કે ‘ભારતીય સેના પર ફિટકાર છે. તેઓ બોર્ડર પર અમારી સલામતી માટે નહીં, માત્ર નેતાઓની સુરક્ષા માટે તહેનાત છે!’ આપને અને સેનાને બેફામ ભાંડતા પોસ્ટર્સ નગૂણાઓએ લહેરાવ્યા અને બીજી તરફ ઉત્તર ખાલીદ તથા શરજીલ ઈમામ જેવાં દેશદ્રોહી માટે ઝિંદાબાદ ઝિંદાબાદ કહ્યું.
મોદીજી,
આ પત્રનો સૌથી મુશ્કેલ ભાગ હવે લખી રહ્યો છું. હું એક પિતા છું. એક વાલી છું અને તેથી હું આજે તમારી પાસે માફી માંગવા માંગું છું. તે થોડાક ભટકેલાં યુવાનો માટે હું વ્યક્તિગત રીતે જવાબદાર નથી. છતાં પણ, વડીલ પેઢીના એક સભ્ય તરીકે મને લાગે છે કે ક્યાંક અમે ખોટા પડ્યા છીએ. કદાચ અમે બાળકોને ભારતનો ઈતિહાસ પૂરતો સમજાવ્યો નથી. કદાચ અમે તેમને શહીદોની વાર્તાઓ સંભળાવવાનું બંધ કરી દીધું. કદાચ અમે તેમને અધિકારો તો શીખવ્યા, ફરજો શીખવવામાં પાછળ રહી ગયા. કદાચ અમે તેમને મોબાઇલ આપ્યો, પરંતુ માતૃભૂમિનો અર્થ સમજાવ્યો નહીં.
જો એ અમારી ભૂલ છે… તો આજે હું દેશના દરેક જવાબદાર માતા-પિતાની તરફથી તમારા સમક્ષ હાથ જોડીને માફી માંગુ છું. વિશ્વાસ રાખજો… આ થોડાક અવાજોથી ભારતની ઓળખ બદલાતી નથી. ભારત આજે પણ ભગતસિંહનું છે. ભારત આજે પણ સરદાર પટેલનું છે. ભારત આજે પણ સુભાષચંદ્ર બોઝનું છે. ભારત આજે પણ નરેન્દ્ર મોદીનું છે. અને ભારત આજે પણ તે અજાણ્યા સૈનિકનું છે, જેનું નામ કદાચ કોઈને ખબર નથી, પરંતુ જેના કારણે આપણે સુરક્ષિત ઊંઘી શકીએ છીએ.
મોદીજી,
તમારા દરેક નિર્ણય સાથે દરેક વ્યક્તિ સહમત હોય તે જરૂરી નથી. લોકશાહીમાં અસહમતિ સ્વાભાવિક છે. પરંતુ જ્યારે પ્રશ્ર્ન ભારતની અખંડિતતાનો હોય… જ્યારે પ્રશ્ર્ન આપણા તિરંગાનો હોય… જ્યારે પ્રશ્ર્ન આપણા જવાનોના સન્માનનો હોય… ત્યારે દેશનો વિશાળ વર્ગ કોઈ રાજકીય પક્ષ તરીકે નહીં, પરંતુ ભારતીય તરીકે એક થઈને ઊભો રહે છે. આ પત્રનો હેતુ માત્ર એટલો જ છે કે જ્યારે થોડાક લોકો ભારતના નામે શરમજનક વર્તન કરે ત્યારે તમે કરોડો દેશપ્રેમી ભારતીયોના મૌનને તેમની સંમતિ ન માનશો. અમે બોલતા ઓછા હોઈએ છીએ. પરંતુ દેશ માટે ઊભા રહેવામાં ક્યારેય પાછળ પડતા નથી. અમને આપણા દેશ પર ગર્વ છે. અમને આપણા સૈનિકો પર ગર્વ છે. અમને આપણા તિરંગા પર ગર્વ છે. અને સૌથી વધુ ગર્વ એ વાતનો છે કે અમે એક રાષ્ટ્રવાદી નેતાનાં શાસનમાં શ્વસીએ છીએ.
અંતમાં માત્ર એટલું જ…
જો થોડાક લોકો ‘ભારત તેરે ટુકડે…’ જેવા વિચારોમાં વિશ્ર્વાસ રાખે છે, તો કરોડો લોકો ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ના સંકલ્પ સાથે ઊભા છે. જો થોડાક લોકો સૈનિકોને ગાળો આપે છે, તો કરોડો લોકો દરરોજ તેમના માટે પ્રાર્થના કરે છે. અને જો થોડાક લોકો દેશને કમજોર બનાવવા માંગે છે, તો કરોડો લોકો પોતાનું જીવન ભારતને વધુ મજબૂત બનાવવા માટે સમર્પિત કરી રહ્યા છે. આ જ ભારતનું સાચું ચિત્ર છે. આ જ ભારતનો સાચો અવાજ છે અને આ જ અવાજ ક્યારેય દબાવી શકાય એવો નથી.
ભારત માતા કી જય!
વંદે માતરમ્!
સાદર,
એક સામાન્ય ભારતીય,
એક જવાબદાર વાલી,
અને ભારત માતાનો ગર્વિત પુત્ર.




