કુલ 69736 લાભાર્થીઓને 641 કરોડની સબસિડી સીધી ચૂકવી દેવામાં આવી
કલેક્ટરનું અલ્ટિમેટમ: 15 દિવસમાં ગેરકાયદે ડિવાઈડર રિપેર કરો નહીંતર જેલભેગા થવાની તૈયારી રાખજો…
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ જિલ્લા કલેક્ટર ડો.ઓમ પ્રકાશે આજે પ્રેસ કોન્ફરન્સ યોજી માહિતી આપી હતી કે, કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી ‘પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના’ હેઠળ રાજકોટ જિલ્લાએ રાષ્ટ્રીય સ્તરે એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. સોલાર રૂફટોપ ઇન્સ્ટોલેશન અને ઉત્કૃષ્ટ કામગીરીના જોરે રાજકોટ જિલ્લાને દેશના ‘ટોપ પરફોર્મિંગ ડિસ્ટ્રિક્ટ્સ’ (સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા જિલ્લાઓ) માં સામેલ કરવામાં આવ્યો છે. આ ઐતિહાસિક સફળતા બદલ જિલ્લાને આગામી સમયમાં રાષ્ટ્રીય સ્તરે વિશેષ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવશે. ગ્રીન એનર્જીના ક્ષેત્રમાં રાજકોટે નવો ઇતિહાસ રચતા અત્યાર સુધીમાં 264 મેગાવોટ (ખઠ)ની જંગી ઇન્સ્ટોલેશન કેપેસિટી હાંસલ કરી લીધી છે. આ યોજના હેઠળ ગ્રાહકોને આર્થિક ટેકો આપવા માટે સરકાર તરફથી અત્યાર સુધીમાં કુલ 641 કરોડની માતબર સબસિડી સીધી નાગરિકોના ખાતામાં ચૂકવી દેવામાં આવી છે. આ યોજના અંતર્ગત રાજકોટ જિલ્લાને માર્ચ-2027 સુધીમાં કુલ 95,600 ગ્રાહકો સુધી પહોંચવાનો લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો. આ ટાર્ગેટ સામે અત્યાર સુધીમાં રેકોર્ડબ્રેક 92,203 (96.4%) અરજીઓ મળી ચૂકી છે, જેમાંથી કુલ 344.6 મેગાવોટ (ખઠ) ક્ષમતા મંજૂર કરાઈ છે.
જ્યારે ડિસ્ટ્રિક્ટ કમિટી દ્વારા હાઈવે પર ગેરકાયદેસર રીતે ડિવાઈડર તોડનારા તત્વો સામે અત્યંત કડક વલણ અપનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કલેક્ટરે સ્પષ્ટ આદેશ આપ્યો છે કે હાઈવે પર ડિવાઈડર તોડી ગેરકાયદે ગેપ કરનારાઓએ આગામી 15 દિવસમાં સ્વખર્ચે તેનું રિપેરિંગ કરાવવાનું રહેશે, નહીંતર તેમની સામે પોલીસ ફરિયાદ (ઋઈંછ) દાખલ કરવામાં આવશે. આ મામલે તંત્ર દ્વારા અત્યારથી જ કાયદાકીય કાર્યવાહીના સંકેત આપી દેવાયા છે, જેના ભાગરૂપે ભાવનગર રોડ પર ડિવાઈડરને નુકસાન પહોંચાડી ગેરકાયદેસર ગેપ કરનારાઓ સામે એક નનામી (અજાણ્યા શખ્સો વિરુદ્ધ) પોલીસ ફરિયાદ પણ દાખલ કરી દેવામાં આવી છે. રાજકોટ જિલ્લામાં સેન્સસ અંતર્ગત ઘર ગણતરીની પ્રક્રિયા હાલ ખૂબ જ વેગવંતી બની છે. જિલ્લા તંત્ર તરફથી મળતી માહિતી અનુસાર, ગત 17 મે થી 31 મે દરમિયાન નાગરિકોના સક્રિય સહયોગથી ‘ડિજિટલ હાઉસ ઇન્યુમરેશન’ની કામગીરી કરવામાં આવી હતી, જેમાં આશરે 20,000 જેટલા લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ડિજિટલ સર્વેક્ષણ પૂર્ણ થયા બાદ હવે 1 જૂન થી 30 જૂન સુધી સર્વેયર દ્વારા ઘરે-ઘરે જઈને વાસ્તવિક ઘર ગણતરી અને મકાનોને નંબર આપવાની મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. બાઉન્ડ્રી મેપિંગની પ્રક્રિયા અગાઉ જ સફળતાપૂર્વક પૂર્ણ કરી લેવામાં આવી છે.
રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ઘર ગણતરીનો તબક્કો શરૂ: 30 જૂન સુધી સર્વેયરો ઘરે-ઘરે જઈને નંબર આપશે
- Advertisement -
પેટ્રોલ-ડીઝલની અછતની અફવાઓ વચ્ચે તંત્રનો ખુલાસો: પુરવઠો સંપૂર્ણ સામાન્ય
છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલની અછત હોવા અંગે કલેક્ટર ઓમ પ્રકાશે જણાવ્યું હતું કે, ઓઈલ માર્કેટિંગ કંપનીઓ (ઘખઈત) દ્વારા ગ્રાહક પંપો (ઈજ્ઞક્ષતીળયિ ઙીળાત) એટલે કે એજન્સીઓ અને મોટા કોન્ટ્રાક્ટરોને સીધો જ જથ્થો પૂરો પાડવામાં આવે છે. પરંતુ તાજેતરમાં ગ્રાહક પંપ અને ખુલ્લા બજાર (છયફિંશહ ખફસિયિ)ં ના ભાવોમાં તફાવત હોવાને કારણે કેટલાક મોટા કોન્ટ્રાક્ટરોએ રીટેલ પંપ પરથી ખરીદી કરવાનું શરૂ કર્યું હતું. આ બદલાયેલી પ્રક્રિયાને કારણે સ્થાનિક સ્તરે કેટલીક મુશ્કેલીઓ ઊભી થઈ હતી જેને લોકોએ અછત તરીકે ગણાવી હતી.
વડાપ્રધાન મોદીના 12 વર્ષ પૂર્ણ થતા લોકકલ્યાણકારી કાર્યક્રમોનું આયોજન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે, ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આગામી 5 જૂન 2026 થી 21 જૂન 2026 દરમિયાન વિવિધ લોકકલ્યાણકારી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટ જિલ્લા ઓમ પ્રકાશે આ અંગે વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે જિલ્લામાં ત્રણ મોટા કાર્યક્રમો યોજાશે. આગામી 8 થી 14 જૂન દરમિયાન રાજકોટ શહેરના પ્રમુખસ્વામી ઓડિટોરિયમ ખાતે ’વિકસિત ભારત સંકલ્પ સંમેલન’નું ભવ્ય આયોજન કરવામાં આવશે. આ સંમેલનમાં ભારત સરકારના પ્રતિનિધિ તરીકે સંસદ સભ્ય એમ. લક્ષ્મણજી મુખ્ય અતિથિ તરીકે ખાસ ઉપસ્થિત રહેશે. કાર્યક્રમની ચોક્કસ તારીખ આગામી દિવસોમાં જાહેર કરવામાં આવશે. જિલ્લા પંચાયત બેઠકો, તમામ નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાના તમામ વોર્ડ વિસ્તારોમાં ’જનકલ્યાણ શિબિર’નું આયોજન થશે.



