By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ફ્રાન્સ અને સ્પેનના જંગલોમાં ભીષણ આગ : 3 લાખથી વધુ બેઘર
    17 hours ago
    પેટ્રોલ-ડિઝલના ભાવ વધવાનો ખતરો ટળ્યો : ક્રૂડ ઓઇલના ભાવમાં 7%નો ઘટાડો
    18 hours ago
    ચીન-રશિયા યુદ્ધમાં આવશે તો પરિણામ ખરાબ હશે : ટ્રમ્પ
    3 days ago
    ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય
    6 days ago
    હોર્મુઝ સ્ટ્રેટમાં બે ઓઈલ ટેન્કરોમાં વિસ્ફોટ થયાનો દાવો
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    એન્ટિ પેપર બિલ રજૂ થતાં જ વિપક્ષનો હોબાળો : બંને ગૃહ સ્થગિત
    17 hours ago
    પ્રદર્શન પર પોલીસની બર્બરતા અયોગ્ય : સુપ્રીમ કોર્ટ
    17 hours ago
    ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી જંતર-મંતર પર સેલિબ્રેશન
    3 days ago
    અંતે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું
    3 days ago
    આસામમાં ભયાનક પૂર : 24 કલાકમાં 14નાં મોત
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ગ્લાસગોમાં ભારતીય વેટલિફ્ટર્સનો દબદબો : મીરાબાઇ ચાનુએ ગોલ્ડની હેટ્રિક સાથે રચ્યો ઇતિહાસ
    18 hours ago
    કોમનવેલ્થ ગેમ્સની ઓપનિંગ સેરેમની : મીરાબાઈ ચાનુ અને લવલીના બોરગોહેને તિરંગો લઈ ભારતીય ટીમની આગેવાની કરી
    4 days ago
    શુભમન ગિલ વન-ડેમાં નંબર ૧ બનવાથી એક પોઇન્ટ દૂર : ન્યૂઝિલેન્ડનો મિચેલ ટોચ પર યથાવત્
    5 days ago
    ભારતીય ક્રિકેટ મેચોમાં લાગુ થશે 7 નવા નિયમ
    7 days ago
    ઇંગ્લેન્ડે ભારતને 27 રનથી હરાવ્યું : સિરીઝ 2-1થી જીતી
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 month ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 month ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 month ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 month ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    18 hours ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 days ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    4 days ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: પ્રકૃતિની તપસ્યા અને નવસર્જનનો મહાઉત્સવ એટલે નવતપા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Bhavy Raval > પ્રકૃતિની તપસ્યા અને નવસર્જનનો મહાઉત્સવ એટલે નવતપા
Bhavy Raval

પ્રકૃતિની તપસ્યા અને નવસર્જનનો મહાઉત્સવ એટલે નવતપા

Khaskhabar Editor
Last updated: 2026/05/26 at 4:20 PM
Khaskhabar Editor 2 months ago
Share
4 Min Read
SHARE

અગ્નિથી અમૃત તરફ.. નવતપાનું વિજ્ઞાન અને જીવનદર્શન!

તાપ, તપ અને તૃપ્તિ: નવતપાની પ્રચંડ ગરમી એ પૃથ્વીના આગામી શૃંગારની પૂર્વ તૈયારી

- Advertisement -

નવતપામાં જેટલી ગરમી, તેટલો સારો વરસાદ

નવતપા શબ્દનો સીધો અર્થ થાય છે ‘નવ દિવસનું તપ’. ‘નવ’ એટલે નવ અને ‘તપ’ એટલે તપસ્યા, દહન અથવા પ્રખર ગરમી. હિંદુ પંચાંગ અનુસાર જ્યારે સૂર્ય દેવ વૃષભ રાશિમાં આવેલા રોહિણી નક્ષત્રમાં પ્રવેશ કરે છે, ત્યારે શરૂ થતા શરૂઆતના નવ દિવસોને નવતપા કહેવામાં આવે છે. આ સમયગાળો સામાન્ય રીતે જ્યેષ્ઠ (જેઠ) મહિનામાં આવે છે અને પરંપરાગત માન્યતા મુજબ તેને વર્ષના સૌથી ગરમ દિવસો ગણવામાં આવે છે. ભારતમાં આજે પણ એક કહેવત ઘણી લોકપ્રિય છે કે ‘નવતપામાં જેટલી ગરમી, તેટલો સારો વરસાદ.’

સૂર્ય નારાયણ રોહિણી નક્ષત્રમાં પ્રવેશ કરે ત્યારે ભારતીય ઉપખંડમાં જેઠ મહિનાના એવા નવ દિવસો શરૂ થાય છે જેને આપણે ‘નવતપા’ તરીકે ઓળખીએ છીએ. આ દિવસો દરમિયાન આકાશમાંથી જાણે અગ્નિ વરસતી હોય તેવી અસહ્ય ગરમી પડે છે પરંતુ આ માત્ર હવામાનની એક સામાન્ય ઘટના નથી. નવતપા એ વિજ્ઞાન, સનાતન પરંપરા અને આધ્યાત્મિક ફિલોસોફીનો એક સુંદર ત્રિવેણી સંગમ છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોઈએ તો નવતપા એ આગામી ચોમાસાની પૂર્વતૈયારી છે. આ સમયગાળા દરમિયાન ઉત્તર ગોળાર્ધમાં સૂર્યના કિરણો પૃથ્વી પર એકદમ સીધા પડતા હોવાથી જમીન અતિશય ગરમ થાય છે. આ અતિશય ગરમીને કારણે પૃથ્વીની સપાટી પરની હવા ગરમ થઈને ઉપર તરફ ગતિ કરે છે અને જમીની ભાગ પર હવાનું ભારે દબાણ ઘટીને ‘લો-પ્રેશર’ ઝોન ઊભો થાય છે. વિજ્ઞાનના નિયમ મુજબ આ શૂન્યાવકાશને ભરવા માટે હિંદ મહાસાગર તરફથી ભેજવાળા અને ઠંડા નૈઋત્યના મોસમી પવનો ભારતીય ઉપખંડ તરફ ખેંચાઈ આવે છે. આમ, નવતપામાં જેટલી વધારે ગરમી પડે છે એટલું જ મજબૂત લો-પ્રેશર બને છે અને તેના પરિણામે ચોમાસામાં એટલો જ સારો વરસાદ થાય છે. જો આ દિવસોમાં પૂરતો તાપ ન પડે તો વરસાદની આખી સિસ્ટમ નબળી પડી જાય છે.
બીજી તરફ સનાતન જ્યોતિષ શાસ્ત્રમાં પણ નવતપાની ગણતરી બહુ સચોટ રીતે કરવામાં આવી છે. જ્યોતિષીય માન્યતા અનુસાર રોહિણી નક્ષત્રનો સ્વામી ચંદ્ર છે, જે શીતળતા અને જળનું પ્રતીક માનવામાં આવે છે. જ્યારે ઉર્જા અને અગ્નિનો કારક સૂર્ય આ શીતળ નક્ષત્રમાં પ્રવેશ કરે છે ત્યારે તે રોહિણીની તમામ શીતળતાને શોષી લે છે જેને કારણે પૃથ્વી પર પ્રચંડ તાપ અનુભવાય છે. પૌરાણિક સંસ્કૃતિમાં એવું માનવામાં આવે છે કે આ નવ દિવસો દરમિયાન પૃથ્વી જાણે ગર્ભધારણની પ્રક્રિયામાંથી પસાર થઈ રહી હોય તેમ તપે છે અને આ તપનો અંત ચોમાસાના રૂપમાં પૃથ્વીના લીલાછમ નવસર્જન સાથે થાય છે. આ સમગ્ર પ્રક્રિયા પાછળ એક ગહન ફિલોસોફીકલ ચિંતન પણ છુપાયેલું છે કે તપ વિના સર્જન ક્યારેય શક્ય નથી. નવતપા એ કોઈ વિનાશની ગરમી નથી, પરંતુ તે પ્રકૃતિના આગામી ઉત્સવની પ્રક્રિયા છે. જેમ સોનું અગ્નિમાં ઓગળ્યા પછી જ શુદ્ધ અને તેજસ્વી બને છે તેમ પ્રકૃતિ અને મનુષ્યજીવન પણ કષ્ટ તેમજ તપમાંથી પસાર થયા પછી જ ખીલી ઉઠે છે.
નવતપાની અસહ્ય ગરમી અને બફારા વચ્ચે પણ જગતનો તાત ખેડૂત ખુશ થાય કારણ કે તેને ખબર છે કે આ આકરી કસોટી પાછળ મધુર વરસાદ આવી રહ્યો છે. જીવનમાં જ્યારે દુ:ખ કે સંઘર્ષનો નવતપા ચાલતો હોય, ત્યારે નિરાશ થવાને બદલે એ યાદ રાખવું જોઈએ કે આ ગરમી ભવિષ્યના સુખના ચોમાસાની જ પૂર્વતૈયારી છે. બ્રહ્માંડ હંમેશા સંતુલનના નિયમ પર કામ કરે છે, જ્યાં અતિશય ગરમી પછી જ અતિશય ઠંડક આપતો વરસાદ સંભવી શકે છે. સુખની સાચી કિંમત ત્યારે જ સમજાય છે જ્યારે આપણે દુ:ખના તાપમાં શેકાયા હોઈએ. આમ, નવતપા આપણને ગરમીથી અકળાયા વગર પ્રકૃતિના આ સનાતન ચક્રને સહર્ષ સ્વીકારીને આવનારા વરસાદી નવસર્જનનું આશાભર્યા હૈયે સ્વાગત કરવાની પ્રેરણા આપે છે.

- Advertisement -

You Might Also Like

જીવનસાથી સાથેના સંબંધનો સૂર્યાસ્ત !

સ્ટેન્ડઅપ કૉમેડીના નામે ફેલાવાતી વલ્ગારિટી

ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો

બાબા બાગેશ્ર્વરની કથાને લઈ આટલી બધી બબાલ કેમ?

સાવધાન: AIની વધુ પડતી નિર્ભરતા એટલે આપણી આવનારી પેઢીઓ માટે પાણીનું જોખમ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સ્કૂલમાં તાળાં મારવાની તૈયારી?
Next Article ગુજરાત રાજ્યમાં દર હજારે 19 નવજાતના મોત, પાંચ વર્ષમાં 70 હજાર શિશુએ ગુમાવ્યો જીવ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Kinnar Acharya

પ્રકૃતિ તો મબલખ આપે છે, આપણે ઝીલી શકવાની ક્ષમતા કેળવી નથી

Khaskhabar Editor Khaskhabar Editor 16 hours ago
એન્ટિ પેપર બિલ રજૂ થતાં જ વિપક્ષનો હોબાળો : બંને ગૃહ સ્થગિત
ગુજરાતમાં વધુ એક પરીક્ષાના પેપર લીક ? : BAMS ત્રીજા વર્ષની પરીક્ષાના પ્રશ્નો વાયરલ થયાનો આક્ષેપ
રાજકોટમાં રવિવારે સઘન વાહન ચેકીંગમાં છરી સાથે 61, દારૂ ઢીંચેલી હાલતમાં 46 ઝડપાયા
પ્રદર્શન પર પોલીસની બર્બરતા અયોગ્ય : સુપ્રીમ કોર્ટ
ફ્રાન્સ અને સ્પેનના જંગલોમાં ભીષણ આગ : 3 લાખથી વધુ બેઘર
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

AuthorBhavy Raval

જીવનસાથી સાથેના સંબંધનો સૂર્યાસ્ત !

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
Bhavy Raval

સ્ટેન્ડઅપ કૉમેડીના નામે ફેલાવાતી વલ્ગારિટી

Khaskhabar Editor Khaskhabar Editor 1 month ago
Bhavy Ravalધર્મ

ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો

khaskhabarrajkot khaskhabarrajkot 1 month ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?