ગુજરાત સરકારનો કેબિનેટ બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય
સરકારી યોજનાઓમાં ડુપ્લિકેશન અટકશે: માત્ર પાત્ર લાભાર્થીઓને જ મળશે હક, સિસ્ટમ થશે ક્લીન
- Advertisement -
નાગરિકોના ડેટાની સુરક્ષા અંગે સરકાર કડક: સિસ્ટમમાં માત્ર આધારના છેલ્લા ચાર આંકડા જ દેખાશે
આધાર ન હોય તો પણ સેવાઓ નહીં અટકે: નાગરિકોને વૈકલ્પિક પુરાવા રજૂ કરવાની છૂટ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે યોજાયેલી કેબિનેટ બેઠકમાં રાજ્યના નાગરિકોને વધુ ઝડપી, પારદર્શક અને સરળ રીતે સરકારી સેવાઓ ઉપલબ્ધ કરાવવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયની માહિતી પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ આપી હતી. રાજ્ય સરકાર દ્વારા કાર્યરત ‘ડિજિટલ ગુજરાત’ પોર્ટલને વધુ અસરકારક બનાવવાના હેતુસર ગુજરાત વહીવટી સુધારણા આયોગ (ૠઅછઈ)ની ભલામણોને સ્વીકારવામાં આવી છે. તેના આધારે નાગરિકોને સીધી અસર કરતી અને સૌથી વધુ ઉપયોગમાં લેવાતી ‘ઝજ્ઞા-20’ હાઈ-વોલ્યુમ સેવાઓ હવે આ પોર્ટલ પર ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જેમાં આધાર આધારિત પ્રમાણીકરણ પ્રક્રિયા અમલમાં મુકવામાં આવી છે. પ્રવક્તા મંત્રીના જણાવ્યા મુજબ, આ પગલાંથી રાજ્યની વિવિધ સેવાઓમાં પારદર્શિતા અને ચોકસાઈ વધશે. ખાસ કરીને સરકારી યોજનાઓના લાભ માત્ર પાત્ર અને યોગ્ય લાભાર્થીઓ સુધી પહોંચે તે સુનિશ્ચિત થશે. આધાર પ્રમાણીકરણ દ્વારા ડુપ્લીકેશનને અટકાવી સમગ્ર સિસ્ટમ વધુ વિશ્વસનીય બનાવાશે. નોંધનીય છે કે આ પ્રક્રિયા માટે અરજદારની પૂર્વ સંમતિ અનિવાર્ય રાખવામાં આવી છે.
આ નવી વ્યવસ્થામાં એકવાર આધાર પ્રમાણીકરણ પૂર્ણ થયા બાદ નાગરિકોને ઓળખ અથવા રહેઠાણ માટે વધારાના દસ્તાવેજો આપવાની જરૂર રહેશે નહીં. પરિણામે અરજી પ્રક્રિયા સરળ અને સંપૂર્ણપણે પેપરલેસ બનશે, જે સમય અને ખર્ચ બંનેમાં બચત કરશે.
મંત્રીએ વધુમાં જણાવ્યું કે, આધાર પ્રમાણીકરણ માટે ઘઝઙ આધારિત અથવા ઉપલબ્ધ સુવિધા મુજબ બાયોમેટ્રિક પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવશે. જો કોઈ નાગરિક પાસે આધાર કાર્ડ ન હોય અથવા ટેકનિકલ કારણોસર પ્રમાણીકરણ નિષ્ફળ જાય, તો પણ તેને સેવાથી વંચિત રાખવામાં નહીં આવે. આવા કિસ્સાઓમાં વૈકલ્પિક ઓળખ પુરાવાઓના આધારે સેવા પૂરી પાડવામાં આવશે.
ડેટા સુરક્ષાને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા કડક વ્યવસ્થા પણ અમલમાં મૂકવામાં આવી છે. સિસ્ટમમાં સંપૂર્ણ આધાર નંબર દર્શાવવામાં નહીં આવે અને માત્ર છેલ્લાં ચાર આંકડા જ દેખાશે. ઉપરાંત ઞઈંઉઅઈંની તમામ સુરક્ષા માર્ગદર્શિકાઓનું પાલન કરવામાં આવશે.
‘ડિજિટલ ગુજરાત’ પોર્ટલ પર સૌથી વધુ વપરાતી ‘TOP-20’ સેવાઓ
આ સેવાઓમાં આવકનો દાખલો (ગ્રામ પંચાયત), આવકનો દાખલો (શહેરી), આવકનો દાખલો (ગ્રામીણ), સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનું પ્રમાણપત્ર (ગ્રામીણ), નોન-ક્રીમીલેયર પ્રમાણપત્ર (ગુજરાત સરકાર) – શહેરી, નોન-ક્રીમીલેયર પ્રમાણપત્ર (ગુજરાત સરકાર) – ગ્રામીણ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનું પ્રમાણપત્ર (શહેરી), નોન-ક્રીમીલેયર પ્રમાણપત્ર (ભારત સરકાર), અનુસૂચિત જાતિનું પ્રમાણપત્ર (પંચાયત), આર્થિક રીતે નબળા વર્ગો માટેનું પ્રમાણપત્ર (આવક સાથે) – ગ્રામીણ, આર્થિક રીતે નબળા વર્ગો માટેનું પ્રમાણપત્ર (આવક સાથે) – શહેરી, રેશનકાર્ડમાં નામ ઉમેરવા બાબત, રેશનકાર્ડમાંથી નામ કમી કરવા બાબત, રેશનકાર્ડમાં સુધારા કરવા બાબત,
અલગ રેશનકાર્ડ બનાવવા બાબત, નવા રેશનકાર્ડ માટેની અરજી, ડુપ્લીકેટ રેશનકાર્ડ માટેની અરજી, અન્ય તૈયાર સોગંદનામું, નકલ મેળવવા માટેની વિનંતી અને અનુસૂચિત જનજાતિનું પ્રમાણપત્રણો સમાવેશ થાય છે.



