રાજકોટ મનપાની ચાલુ ટર્મનું છેલ્લું જનરલ બોર્ડ ગણતરીની મિનિટમાં પૂર્ણ
અમીન માર્ગ પર કોર્પોરેશન દ્વારા 106 કરોડમાં વેચાયેલા પ્લોટના દસ્તાવેજ કરવાની દરખાસ્તને બોર્ડની મંજૂરી મળી
- Advertisement -
બેઠકમાં એજન્ડા પરની 12 અને અન્ય 2 અર્જન્ટ બિઝનેસ દરખાસ્તો સહિત કુલ 14 દરખાસ્તોને બહુમતી સાથે મંજૂરી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.10
રાજકોટ મહાનગરપાલિકાની પાંચ વર્ષની ટર્મનો આવતીકાલે છેલ્લો દિવસ છે, તે પૂર્વે આજે મેયર નયનભાઈ પેઢડિયાના અધ્યક્ષસ્થાને ખાસ જનરલ બોર્ડની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં એજન્ડા પરની 12 અને અન્ય 2 અર્જન્ટ બિઝનેસ દરખાસ્તો સહિત કુલ 14 દરખાસ્તોને બહુમતી સાથે મંજૂરી આપવામાં આવી હતી. સામાન્ય સભામાં અધ્યક્ષ સ્થાનેથી બે મહત્વના દરખાસ્તોને બહુમતીથી મંજૂર કરવામાં આવી હતી. 60 વિરુદ્ધ 2 મતોથી પસાર થયેલા આ ઠરાવોમાં બિલ્ડરો અને ડેવલપર્સ માટે મોટી રાહત જાહેર કરવામાં આવી છે, જ્યારે શહેરના પ્લાનિંગમાં પણ મહત્વનો સુધારો કરવામાં આવ્યો છે. જોકે, આ નિર્ણયનો વિપક્ષી નેતા વશરામ સાગઠીયાએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો અને શાસક પક્ષ પર બિલ્ડરોને છાવરવાનો આક્ષેપ કર્યો હતો.
પ્રથમ મહત્વના નિર્ણય મુજબ, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના હુકમને અનુમોદન આપીને પ્રોજેક્ટમાં વધારાના બાંધકામ માટેની ભરવાપાત્ર રકમમાં ’હપ્તા પદ્ધતિ’ દાખલ કરવામાં આવી છે. નવી નીતિ મુજબ, જો બાંધકામની ભરવાપાત્ર રકમ ₹50 લાખ સુધીની હશે તો તેમાં કોઈ હપ્તા આપવામાં આવશે નહીં, પરંતુ જો આ રકમ ₹50 લાખથી વધુ હશે તો અરજદારને મહત્તમ 4 ત્રિ-માસિક હપ્તાની સુવિધા મળશે. જોકે, આ માટે અરજદારે કુલ રકમના 25% રકમ તાત્કાલિક ભરવાની રહેશે અને બાકીની રકમના પોસ્ટ ડેટેડ ચેક (ઙઉઈ) રિવાઈઝ્ડ વિકાસ પરવાનગી મેળવતા પહેલા જમા કરાવવાના રહેશે. જો કોઈ કિસ્સામાં ચેક બાઉન્સ થશે, તો વાર્ષિક 18% લેખે માસિક પેનલ્ટી વસૂલવામાં આવશે. વધુમાં, જ્યાં સુધી હપ્તાની સંપૂર્ણ રકમની વસૂલાત નહીં થાય ત્યાં સુધી બિલ્ડિંગને બી.યુ.સી. (ઇઞઈ) આપવામાં આવશે નહીં. મેયર નયનભાઈ પેઢડિયાએ જણાવ્યું હતું કે, આચારસંહિતા લાગુ પડે તે પહેલા શહેરના વિકાસ અને સામાજિક હિતના કાર્યો ન અટકે તે માટે આ ખાસ બોર્ડ બોલાવવામાં આવ્યું હતું. જેમાં મુખ્યત્વે કાલાવડ રોડ પરના ઇઅઙજ સ્વામિનારાયણ મંદિર અને રાજકોટના જૈન સમાજને વિવિધ મહોત્સવ તથા નાત જમણ માટે રેસકોર્સ ગ્રાઉન્ડ નિ:શુલ્ક દરે આપવાની દરખાસ્તો મંજૂર કરવામાં આવી છે. વર્ષોથી ચાલતા નિર્મલા કોન્વેન્ટ સ્કૂલના પ્લે-ગ્રાઉન્ડ વિવાદનો પણ હાઈકોર્ટના નિર્દેશાનુસાર સુખદ અંત લાવીને બાળકોના રમતગમત માટે મેદાન ફાળવવાની મંજૂરી અપાઈ છે. અમીન માર્ગ પર કોર્પોરેશન દ્વારા રૂ. 106 કરોડમાં વેચાયેલા પ્લોટના દસ્તાવેજની પ્રક્રિયાને પણ આ બોર્ડમાં બહાલી આપવામાં આવી હતી.
- Advertisement -
ફ્લાવર બેડની દરખાસ્ત મંજૂર: વિપક્ષી નેતાનો વિરોધ
વિપક્ષી નેતા વશરામ સાગઠીયાએ ફ્લાવર બેડની દરખાસ્તનો વિરોધ નોંધાવ્યો હતો તેમણે જણાવ્યું હતું કે, કરોડો રૂપિયાની પેનલ્ટી ભરવામાં બિલ્ડરોને હપ્તા સિસ્ટમનો લાભ આપીને શાસક પક્ષ તેમને આર્થિક ફાયદો કરાવી રહ્યો હોવાનો વિરોધ નોંધાવ્યો હતો.



