ગૌરવ ગોગોઈનો કેસ પુરાવા સહિત કેન્દ્રને મોકલ્યો: મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
અસમના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા એ કહ્યું છે કે કોંગ્રેસ સાંસદ ગૌરવ ગોગોઈથી જોડાયેલા કથિત પાકિસ્તાન લિંકના મામલાની તપાસ હવે કેન્દ્ર સરકાર કરશે. તેમણે જણાવ્યું કે રાજ્ય સરકારે આ મામલાથી જોડાયેલા બધા પુરાવા કેન્દ્રને સોંપી દીધા છે અને હવે કેન્દ્રીય એજન્સી તેની તપાસ કરશે.
મુખ્યમંત્રી સરમાએ આરોપ લગાવ્યો કે ગૌરવ ગોગોઈ અને તેમની પત્નીનો પાકિસ્તાન સાથે જોડાયેલા કેટલાક લોકો સાથે સંબંધ રહ્યો છે અને આ એક મોટા નેટવર્કનો ભાગ હોઈ શકે છે. તેમણે દાવો કર્યો કે ગોગોઈ એ પાકિસ્તાનની યાત્રા કરી અને ત્યાંના કેટલાક લોકો સાથે સંપર્ક રાખ્યો.
આસામના મુખ્યમંત્રીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આરોપ લગાવ્યો હતો કે કોંગ્રેસના સાંસદ ગૌરવ અને તેમની પત્ની એલિઝાબેથ, પાકિસ્તાની એજન્ટ અલી તૌકીર શેખની ખૂબ નજીક છે. એક પાકિસ્તાની ફર્મે ગૌરવની પત્નીને નોકરી આપી, પછી તેમને ભારતમાં ટ્રાન્સફર કરી દીધા.
એલિઝાબેથ ભારત સાથે જોડાયેલી ઘણી જાણકારીઓ એકઠી કરતી હતી અને પાકિસ્તાની નાગરિક અલી શેખને રિપોર્ટ આપતી હતી. અલી તૌકીર શેખ એલિઝાબેથને આ કામ માટે પગાર આપતો હતો.
હિમંતાએ એવો પણ દાવો કર્યો કે અલી તૌકીર 2010 થી 2013 ની વચ્ચે 13 વખત ભારત આવ્યો હતો. તેનો હેતુ દુનિયામાં ભારત વિરોધી નેરેટિવ તૈયાર કરવાનો હતો.
સરમાએ એવો પણ આરોપ લગાવ્યો કે ગૌરવ ગોગોઈએ કથિત રીતે સંવેદનશીલ સંસદીય જાણકારી શેર કરી, પાકિસ્તાનની યાત્રા કરી અને યુથ એક્સચેન્જ પ્રોગ્રામના નામે પાકિસ્તાની અધિકારીઓ સાથે સંપર્ક જાળવી રાખ્યો.
જોકે, આ આરોપોની હજુ સુધી કોઈ કેન્દ્રીય એજન્સીએ સત્તાવાર પુષ્ટિ કરી નથી. તપાસ પૂરી થયા પછી જ સત્ય સામે આવશે.
હિમંતાએ આસામમાં 4 હજાર એકર જમીન કેવી રીતે મેળવી?: ગોગોઈ
આસામના ઈખની પ્રેસ કોન્ફરન્સ પર ગૌરવ ગોગોઈએ કહ્યું કે હિમંતા બિસવા સરમાએ મીડિયા સામે મંચ પર પોતાને શરમજનક બનાવ્યા. આસામમાં કોઈ તેમની વાતોને ગંભીરતાથી લેતું નથી. આસામ કોંગ્રેસ અધ્યક્ષે સવાલ ઉઠાવ્યો કે હિમંતા પરિવારે કથિત રીતે આખા આસામમાં 4,000 એકર જમીન કેવી રીતે મેળવી. તેમણે કહ્યું કે રાજ્યમાં ભવિષ્યની કોંગ્રેસ સરકાર આવી જમીનોને ગરીબોમાં વહેંચી દેશે.
- Advertisement -
ગૌરવને અરેસ્ટ કર્યા તો ચૂંટણી પહેલાં રાજનીતિનો આરોપ લાગશે: હિમંતા
પ્રેસ કોન્ફરન્સમાં હિમંતાએ જણાવ્યું કે અમે વર્તમાન સાંસદ ગૌરવ ગોગોઈ પાસેથી પાકિસ્તાન કનેક્શન વિશે પૂછપરછ કરી નથી. અમે તેમના પદની ગરિમાનું સન્માન કરતા આ મામલો કેન્દ્ર પર છોડી દીધો છે. હિમંતાએ એમ પણ કહ્યું કે જો હવે ગૌરવ ગોગોઈને ધરપકડ કરવા જેવું પગલું ભરવામાં આવશે તો મારા પર આસામ વિધાનસભા ચૂંટણી પહેલા રાજનીતિ કરવાનો આરોપ લાગશે.



