By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કેરેબિયન ક્રૂઝમાં નોરો વાઇરસ ફેલાયો, 3000થી વધુ મુસાફરોમાંથી 115માં સંક્રમણ ફેલાયો
    4 hours ago
    ટ્રમ્પની ઈરાનને ચેતવણી, ‘પ્રોજેક્ટ ફ્રીડમ પ્લસ’ તૈયાર; આજે રાત્રે આવનારા એક પત્ર પર દુનિયાની નજર!
    4 hours ago
    ‘ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાની એરફોર્સને અમે મદદ કરી હતી..’, ચીને પહેલીવાર સત્ય સ્વીકાર્યું
    1 day ago
    અમેરિકા સામે કરગરવા લાગ્યું પાકિસ્તાન, કહ્યું – જપ્ત કરેલા ઈરાની જહાજમાંથી અમારા લોકોને છોડી દો
    1 day ago
    પુતિનની સુરક્ષા માટે કરાઈ અભેદ્ય કિલ્લેબંધી, જાણો હત્યાનો ડર કે રશિયામાં સત્તા પલટાનો ખતરો
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    તમિલનાડુમાં વિજયની સરકાર બનવા પર હજુ કોકડું ગૂંચવાયેલું
    2 hours ago
    શપથગ્રહણ સમયે મંચ પરથી PM મોદીએ માખનલાલ સરકારના ચરણસ્પર્શ કર્યા
    2 hours ago
    બંગાળ ભાજપના પ્રથમ મુખ્યમંત્રી બન્યા સુવેન્દુ
    2 hours ago
    PM મોદીએ જાહેર મંચથી અનોખા અંદાજમાં બંગાળની પ્રજાનો આભાર વ્યક્ત કર્યો
    3 hours ago
    મહારાષ્ટ્રમાં રિક્ષાચાલકો માટે મરાઠીની કસોટી: 15% ડ્રાઈવરો ફેઈલ, જાણો હવે શું લેવાશે એક્શન?
    3 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    યશસ્વી જયસ્વાલ અને શેફાલી વર્મા મુસીબતમાં! NADAએ ફટકારી નોટિસ, શું IPL વચ્ચે લાગશે પ્રતિબંધ?
    4 hours ago
    ટીમ ઈન્ડિયામાં થશે સત્તા પરિવર્તન! સૂર્યાનું પત્તું કાપી T20 માટે શ્રેયસ નવો કેપ્ટન બનશે તેવી ચર્ચા
    1 day ago
    દારૂ પીને ગાડી ચલાવતા ઝડપાયો ઓસ્ટ્રેલિયાનો ભૂતપૂર્વ સ્ટાર ખેલાડી! કોર્ટમાં ગુનાની કબૂલાત કરવા પણ તૈયાર
    2 days ago
    IPL 2026: હૈદરાબાદે પંજાબને 33 રને માત આપી, કોનલીની સદી એળે ગઈ, પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચ્યું SRH
    2 days ago
    ચેન્નઈએ દિલ્હીને 8 વિકેટે હરાવ્યું: સેમસને 52 બોલમાં 87 રન ફટકાર્યા
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    અભિનેત્રીનું દર્દભર્યું જીવન, પતિએ તરછોડી, સલમાન ખાન સાથે કરી હતી ફિલ્મ, હવે ચાલીમાં રહેવા મજબૂર
    3 days ago
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    1 week ago
    બોક્સ ઓફિસ પર હોલિવૂડ ફિલ્મ ‘માઈકલ’નો ‘મૂનવોક’! ઓપનહાઈમરનો રેકોર્ડ તોડ્યો, જાણો કમાણીના આંકડા
    2 weeks ago
    102 કરોડનું સોનું, 30 દુબઈ ટ્રિપ્સ અને IPS પિતા… સ્મગલિંગ કેસમાં એક વર્ષ બાદ જેલની બહાર આવશે અભિનેત્રી રાન્યા રાવ
    2 weeks ago
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    7 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    6 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: પશુઓનાં જીવ બચાવવા મહાજન પાંજરાપોળની કાનૂની લડત: જીવદયા પ્રેમીઆએ ક્રૂરતા થતા અટકાવી!
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > પશુઓનાં જીવ બચાવવા મહાજન પાંજરાપોળની કાનૂની લડત: જીવદયા પ્રેમીઆએ ક્રૂરતા થતા અટકાવી!
રાજકોટ

પશુઓનાં જીવ બચાવવા મહાજન પાંજરાપોળની કાનૂની લડત: જીવદયા પ્રેમીઆએ ક્રૂરતા થતા અટકાવી!

Khaskhabar Editor
Last updated: 2026/01/12 at 4:43 PM
Khaskhabar Editor 4 months ago
Share
6 Min Read
SHARE

આટકોટ પાસેથી મુંબઈ કતલખાને લઈ જવાતા 211 ઘેટાં – બકરા ક્ધટેનર ઝડપાયું હતું, જે પશુઓને રાજકોટની મહાજનશ્રીની પાંજરાપોળમાં આશ્રય અપાયો હતો

ઘેટાં – બકરા પોતાના હોવાનો દાવો કરી સાબિર નામના વ્યક્તિએ જસદણ કોર્ટમાં અરજી કરી હતી, જે મંજુર થતા મહાજનશ્રીની પાંજરાપોળએ સેશન્સ કોર્ટમાં રિવિઝન કરી હુકમ સ્ટે કરાવ્યો

- Advertisement -

ટોળું પાંજરાપોળ ખાતે આવેલ અને પશુઓ છોડી મુકવા દબાણ કરેલ, પોલીસ દોડી આવી

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.12

રાજકોટ જિલ્લાના આટકોટ પોલીસ મથકની હદમાં જીવદયા પ્રેમીઓ અને પોલીસના સંયુક્ત ઓપરેશનમાં કતલખાને ધકેલાતા સેંકડો અબોલ જીવોને ઉગારી લેવામાં સફળતા મળી છે. આ કેસમાં કાનૂની વળાંક આવતા હવે રાજકોટની સેશન્સ અદાલતે એક અત્યંત મહત્વનો હુકમ કરીને પશુઓનો કબજો આરોપીને સોંપવાના નીચલી અદાલતના નિર્ણય પર વચગાળાનો સ્ટે આપી દીધો છે. આ કાનૂની જીતને કારણે 211 જેટલા ઘેટાં-બકરાં ફરી ક્રૂરતાના મોઢામાં જતા બચી ગયા છે.
બનાવની વિગત અનુસાર, આટકોટ પાસે આવેલી ગોંડલ ચોકડી પાસેથી એક શંકાસ્પદ ટ્રક પસાર થઈ રહ્યો હતો. જીવદયા પ્રેમીઓને ચોક્કસ બાતમી મળી હતી કે આ ટ્રકમાં પશુઓને ગેરકાયદેસર રીતે લઈ જવામાં આવી રહ્યા છે. આ બાતમીના આધારે આટકોટ પોલીસની મદદ લઈને ટ્રકને અટકાવવામાં આવ્યો હતો. જ્યારે પોલીસે ટ્રકની અંદર તપાસ કરી ત્યારે સ્થિતિ અત્યંત ગંભીર જોવા મળી હતી. ટ્રકમાં પશુઓને રાખવા માટે લોખંડના એંગલો મારીને ડબલ ડેકર (બે માળ) જેવું પાર્ટિશન ઊભું કરવામાં આવ્યું હતું. આ સાંકડી જગ્યામાં 211 જેટલા ઘેટાં-બકરાઓને કોઈ પણ જાતની દયા વગર ખીચોખીચ ભરી દેવામાં આવ્યા હતા.
પશુઓને લાવવા માટે નિયત કરાયેલા નિયમોનું સરેઆમ ઉલ્લંઘન અહીં જોવા મળ્યું હતું. પશુઓ માટે પૂરતી હવા ઉજાસ, ઘાસચારો કે પીવાના પાણીની કોઈ જ વ્યવસ્થા ટ્રકમાં નહોતી. પ્રાથમિક પૂછપરછમાં એવું બહાર આવ્યું હતું કે આ પશુઓને મુંબઈની પ્રખ્યાત દેવનાર મંડી ખાતે કતલ કરવાના હેતુથી લઈ જવામાં આવી રહ્યા હતા. આટકોટ પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને સાબીર કારવા સહિત ત્રણ શખ્સો વિરુદ્ધ પશુ ક્રૂરતા નિવારણ અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો. પશુઓની સુરક્ષા અને સારવારને પ્રાથમિકતા આપીને તમામ 211 પશુઓને રાજકોટ મહાજન પાંજરાપોળ ખાતે આશ્રય માટે મોકલી આપવામાં આવ્યા હતા.
જોકે, આ મામલે કાનૂની લડત ત્યારે શરૂ થઈ જ્યારે પશુઓના માલિક હોવાનો દાવો કરીને મુખ્ય આરોપી સાબીર નામના શખ્સે જસદણની કોર્ટમાં પશુઓનો કબજો પરત મેળવવા માટે અરજી કરી હતી. જસદણ કોર્ટે હકીકતોને ધ્યાને લઈને પશુઓનો કબજો મૂળ માલિકને સોંપવાનો હુકમ કર્યો હતો. આ હુકમથી જીવદયા પ્રેમીઓ અને પાંજરાપોળના ટ્રસ્ટીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું, કારણ કે જો પશુઓ ફરીથી એ જ વ્યક્તિ પાસે જાય તો તેમનું કતલખાને જવું નિશ્ચિત હતું.
આ પરિસ્થિતિમાં રાજકોટ મહાજન પાંજરાપોળ દ્વારા એડવોકેટ કમલેશભાઈ શાહ મારફત રાજકોટની સેશન્સ અદાલતમાં રિવિઝન અરજી દાખલ કરવામાં આવી હતી. અદાલતમાં પાંજરાપોળ વતી ધારદાર દલીલો કરવામાં આવી હતી કે, જસદણ કોર્ટે પાંજરાપોળનો પક્ષ સાંભળ્યા વિના જ એકતરફી નિર્ણય જેવો હુકમ કર્યો છે. વળી, પશુઓને જે રીતે ખીચોખીચ ભરીને લઈ જવામાં આવતા હતા તે તેમની કતલ થવાની હોવાના સ્પષ્ટ પુરાવા છે. પશુઓના નિભાવ માટે પાંજરાપોળ દ્વારા થતા રોજના મોટા ખર્ચ અંગે પણ કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નહોતી. રાજકોટના એડિશનલ સેશન્સ જજ વી. કે. ભટ્ટે આ તમામ દલીલોને ગ્રાહ્ય રાખી હતી અને જસદણ કોર્ટના પશુ સોંપવાના હુકમ પર વચગાળાની રોક (સ્ટે) લગાવી દીધી હતી.
હાલમાં આ તમામ 211 પશુઓ રાજકોટ પાંજરાપોળના સુરક્ષિત વાતાવરણમાં છે. પાંજરાપોળના ટ્રસ્ટીઓ મુકેશભાઈ બાટવિયા, કરણભાઈ શાહ અને તેમની આખી ટીમ આ અબોલ જીવોની દિવસ-રાત સેવા કરી રહી છે. ખાસ કરીને ટ્રકમાં મુસાફરી દરમિયાન ઘાયલ થયેલા અને ગર્ભવતી માદા પશુઓ માટે ખાસ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. નિષ્ણાત પશુ ચિકિત્સકો દ્વારા તેમની તપાસ કરવામાં આવી રહી છે અને તેમને શક્તિવર્ધક દવાઓ તેમજ વિશિષ્ટ આહાર આપવામાં આવી રહ્યો છે. કોર્ટના આ નિર્ણયથી જીવદયાના કાર્યમાં જોડાયેલા લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
આ સમગ્ર કાનૂની કાર્યવાહીમાં રાજકોટના સિનિયર એડવોકેટ કમલેશભાઈ શાહ, જીજ્ઞેશભાઈ શાહ અને તેમની ટીમના સુરેશભાઈ દોશી, ભરતભાઈ સંઘવી, જીગર સંઘવી, જતીન પંડ્યા, નાસીરભાઇ હાલા, ખુશીબેન અમલાણી, આસિસ્ટન્ટ કિશન જાદવ તેમજ જસદણ ખાતેથી એડવોકેટ કૌશિકભાઈ આચાર્ય અને નિરવભાઈ ગઢવીએ કાનૂની સેવામાં મદદ કરી હતી.
આ સમગ્ર ઘટનામાં રાજકોટ મહાજનશ્રીની પાંજરાપોળના ટ્રસ્ટી કરણભાઈ શાહ, પંકજભાઈ કોઠારી, મુકેશભાઈ બાટવિયા, શ્રેયસભાઈ વીરાણી અને સુમનભાઈ કામદારની સુપરવિઝન હેઠળ કાર્યવાહી થઈ હતી. આ ઉપરાંત પાંજરાપોળના મેનેજર ભાવેશભાઈ જલુ તથા પરેશભાઈ સહિતના સ્ટાફ પરિવાર એક એક જીવની સતત ચિંતા કરતા રહ્યા અને વહીવટી પ્રક્રિયા માટે દોડતા રહ્યા.

- Advertisement -

પોલીસની સરાહનીય કામગીરી : જીવદયા અને સત્ય પ્રત્યે પડખે રહ્યા

રાજકોટ : જ્યારે 6 તારીખે સાંજે જેતપુર થી 30-40 લોકોના ટોળા 211 જીવને પરત લઈ જવા રાજકોટ પાંજરાપોળ પહોંચ્યા ત્યારે સાંજે 6 વાગ્યા બાદ કોઈ પણ જીવ માટે કાર્યવાહી થતી ન હોય (કોઈ પણ પશુને સાંભળી શકાય છે જે 24 કલાક થતું હોય) પરંતુ એના સિવાય કોઈ પણ વ્યક્તિ દાવો કરે તો તેને લીગલ ટીમ પાસે ચકાસણી, ટ્રસ્ટીઓની બેઠક બાદ નિર્ણય લેવાતો હોય છે. અને આ કિસ્સામાં કોર્ટનો ઓર્ડર હોય તેવો દાવો કર્યો પરંતુ એક પણ વખત દેખાડવામાં આવ્યો ન હતો અને મોટી માથાકૂટ થઈ શકે તેમ હતી ત્યારે જ ડીસીપી ઝોન 1 હેતલ પટેલ તથા બી ડિવિઝન પીઆઇ રાણે દ્વારા ત્વરિત કાર્યવાહી કરવામાં આવી હતી અને ટોળાને વિખેરવામાં આવ્યા.

You Might Also Like

કારખાનેદાર પિતાએ પુત્ર-પુત્રીને ટૂંપો દઈ હત્યા નિપજાવી ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

શુદ્ધ-સાત્વિક-સુંદર: સમગ્ર સમાજને સ્વસ્થ બનાવવાની દિશામાં કાર્ય કરતી અનોખી પહેલ લોકો માટે પ્રેરણાદાયક

ખાખી માત્ર યુનિફોર્મ નથી, લોકોના વિશ્ર્વાસની જવાબદારી છે: PI જયેશ વાઢીયા

બીજા દિવસે પણ સુરેન્દ્રનગર રાજ્યનું સૌથી ગરમ શહેર

20મીએ દવાની દુકાનો બંધ રહેશે

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ગોકુલમ સોસાયટીમાં બે બંધ મકાનના તાળાં તોડી 9.49 લાખનો હાથફેરો
Next Article ઈશુદાન ગઢવી અને ગોપાલ ઈટાલિયાએ મોરબી ગજવ્યું: ભાજપ પર પ્રહારો કર્યા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

વિટામિન, પ્રોટીન અને એનો ધંધો

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
પોતાના દિવ્યાંગ બાળકના ઉછેર સાથે અનેક દિવ્યાંગ બાળકો માટે આશાનું કિરણ બન્યાં: બીજલ હરખાણી
મા બસ એક શબ્દ, પણ બાળક માટે આખું બ્રહ્માંડ
કોકમ યાની કી ગાર્સિનિયા કંબોજિઆ
બીજાનો વિચાર પણ કરવો
કોઈ ચોક્કસ સ્થાનમાં રહેલું ‘પાવરહાઉસ’ શરીરનાં અંગોને સક્રિય રાખતો ઊર્જાપ્રવાહ આપવાનું બંધ કરી દે છે અને માનવદેહ મૃતદેહ બની જાય છે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

કારખાનેદાર પિતાએ પુત્ર-પુત્રીને ટૂંપો દઈ હત્યા નિપજાવી ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
રાજકોટ

શુદ્ધ-સાત્વિક-સુંદર: સમગ્ર સમાજને સ્વસ્થ બનાવવાની દિશામાં કાર્ય કરતી અનોખી પહેલ લોકો માટે પ્રેરણાદાયક

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
રાજકોટ

ખાખી માત્ર યુનિફોર્મ નથી, લોકોના વિશ્ર્વાસની જવાબદારી છે: PI જયેશ વાઢીયા

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?