કાફિરોને કેવી રીતે વધુ ને વધુ કનડી શકાય એ માટેનાં નવતર આઈડીયાઝ વિચારવા એમનાં દિમાગનાં કરોડો-અબજો જ્ઞાનતંતુ સદા સક્રિય રહે છે: એ સિવાય આ લોકોએ જગતને શું આપ્યું?
ઓસામા બિન લાદેન ઊચ્ચ શિક્ષિત હતો, હાફિઝ સઈદ તો ખુદ પ્રોફેસર હતો, લાદેનના રાઈટ હેન્ડ અલ ઝવાહિરી પાસે સર્જનની ડીગ્રી હતી, ઈન્ડિયન મુજાહિદ્દીનનાં સ્થાપકોમાંનો એક અબ્દુલ કુરૈશી સોફ્ટવેર એન્જિનિયર હતો, તેનો ખાસ સાથીદાર સાદિક શેખ એન્જિનિયર હતો…
- Advertisement -
શું ભણતર અને કટ્ટરતા વચ્ચે કોઈ સંબંધ છે? એવી દલીલ થતી રહે છે કે, મુસ્લિમોમાં એજ્યુકેશન ઓછી છે એટલે યુવાઓ કટ્ટર બને છે. ખોટી વાત છે. ઓસામા બિન લાદેન ઊચ્ચ શિક્ષિત હતો, હાફિઝ સઈદ તો ખુદ પ્રોફેસર હતો, લાદેનના રાઈટ હેન્ડ અલ ઝવાહિરી પાસે સર્જનની ડીગ્રી હતી, ઈન્ડિયન મુજાહિદ્દીનનાં સ્થાપકોમાંનો એક અબ્દુલ કુરૈશી સોફ્ટવેર એન્જિનિયર હતો, તેનો ખાસ સાથીદાર સાદિક શેખ એન્જિનિયર હતો. માત્ર ભારતનાં જ નહીં દુનિયાભરનાં અનેક ઈસ્લામિક આતંકવાદીઓએ પુરવાર કર્યું છે કે, દુનિયાનું ઊચ્ચત્તમ શિક્ષણ પણ દિમાગમાંથી જેહાદી માનસિકતા મીટાવી શકતું નથી. હજુ થોડાં નામ જોઈ લઈએ: ઓમર શેખ, નઈમ નૂર ખાન, ન્યૂયોર્કનાં ટાઈમ્સ સ્કવેર પર બૉમ્બ બ્લાસ્ટ કરનાર ફૈઝલ શેહઝાદ, ડેન્માર્ક ઍમ્બેસીને બૉમ્બથી ઉડાવનાર હમાદ આદિલ અને હાઈજેકર ઓવૈસ જાખરાની… આ બધાં એવા શૈતાનો છે- જેમને માનવ ઈતિહાસ તેમની ક્રુરતા માટે ક્યારેય ભૂલી નહીં શકે. દિલ્હી બ્લાસ્ટ પાછળ પણ પાંચ-પાંચ મુસ્લિમ ડાક્ટર સાહેબો અને એક ડાકટર સાહિબાનાં નામ ખૂલ્યાં છે. સાયન્સ એજ્યુકેશન, મેડિકલ જેવી ડીગ્રી પણ દિમાગનો કચરો હટાવી શકતાં નથી.
ડાકટરનું કામ હોય છે જીવન આપવાનું, જિંદગી બચાવવાનું… તો આ બધાં દાગતર સાહેબો જીવ લેવા અને લોકોનાં ફુરચેફુરચાં કરવા શાને બેબાકળા હતાં? આખું મોડ્યુલ કામ કરતું હતું, ઑલમોસ્ટ બધાં જ ઊચ્ચ શિક્ષિત હતાં. ડૉકટર બનીને આ લોકો શું કરે છે? કોઈ ખતરનાક ઝેર બનાવવામાં વ્યસ્ત છે- એવું ઝેર કે તેનાંથી એકસાથે દસ લાખ લોકોને ખતમ કરી શકાય, કોઈ ટનબંધ ક્વૉન્ટિટીમાં એમોનિયમ નાઈટ્રેટ બનાવે છે, જેન્ટ્સ ડાકટર એ.કે.47 રાખે છે તો મહિલા ડાકટર પણ કલાશનિકોવ રાઈફલ રાખે છે. તબીબસાહેબ ચાંદની ચોકમાં ધડાકા કરી રહ્યાં છે. તેઓ માને છે કે, પેરાસીટામોલ અને એમોક્સિસીલીન અને ઈરીથ્રોમાયસિન વગેરેથી શું વળે? ચાલો એમોનિયમ નાઈટ્રેટનાં હાઈ ડોઝ જ આપીએ!
અભણ કટ્ટર મારામારી કરે છે, લવ જેહાદ કરે છે: શિક્ષિત કટ્ટર બૉમ્બ બનાવે છે અને ધડાકા કરે છે, હત્યાકાંડો કરે છે અને અરાજકતા ફેલાવે છે
દિલ્હી બ્લાસ્ટ દુ:ખદ ઘટના છે પરંતુ એક દૃષ્ટિએ જોઈએ તો શ્રેણીબદ્ધ બૉમ્બ વિસ્ફોટને બદલે એક બ્લાસ્ટથી કામ પત્યું છે: દેશનું સદ્ભાગ્ય છે કે, કેન્દ્રમાં મોદી છે અને અમિત શાહ છે… રાષ્ટ્રવાદી સરકાર છે અને આતંકવાદ પ્રત્યે ઝીરો ટૉલરન્સની નીતિ છે
- Advertisement -
અભણ કટ્ટર મારામારી કરે છે, લવ જેહાદ કરે છે. શિક્ષિત કટ્ટર બૉમ્બ બનાવે છે અને ધડાકા કરે છે, હત્યાકાંડો કરે છે અને અરાજકતા ફેલાવે છે. એક કિતાબે આખી દુનિયાનાં ખૂણેખૂણે વિકારો ફેલાવ્યા છે. મદરસાછાપ છપરીઓ ટ્રેનનાં પાટા ઉખાડે છે, વંદે ભારત ટ્રેન પર પાણા મારે છે, ફ્લાયઓવરમાંથી નટ-બોલ્ટ કાઢી જાય છે, સાઈન બોર્ડ ઉખાડી નાંખે છે, રસ્તા પર ખિલ્લીઓ પાથરી દે છે, દેવ પ્રતિમા તોડી નાંખે છે, શહીદોનાં સ્મારકો પર સૂસૂ કરે છે. આ બધું તેમનાં માટે રચનાત્મક કાર્ય છે. એમની આ ક્રિએટિવિટી છે. ક્ષત્રિય કે બ્રાહ્મણ કે ઊચ્ચ વર્ગની રૂપાળી છોકરીઓને ફસાવવી એ એમની સર્જનાત્મકતા છે.
એમનું આખું ફોક્સ જ અલગ દિશામાં છે. કાફિરોને કેવી રીતે વધુ ને વધુ કનડી શકાય એ માટેનાં નવતર આઈડીયાઝ વિચારવા એમનાં દિમાગનાં કરોડો-અબજો જ્ઞાનતંતુ સદા સક્રિય રહે છે. એ સિવાય આ લોકોએ જગતને શું આપ્યું? કોઈ આધુનિક ટેકનોલોજી? મોબાઈલ, કોઈ અફલાતૂન કાર કે સેટેલાઈટ કે માર્સ-મૂનનું કોઈ મિશન કે કોઈ અદ્ભૂત ડિવાઈસ કે કોઈ ક્રાન્તિકારી- લાઈફ ચેન્જિંગ મેડિસિન, કોઈ સારી સાયકલ, સુપર કોમ્પ્યુટર કે સોફ્ટવેર કે હાર્ડવેર કે નેનો ટેકનોલોજી કે રોબોટિક્સ… કશું જ પ્રદાન છે? શસ્ત્રો પણ ઉછીના છે. રશિયન કે અમેરિકન છે. છેવટે આપ્યું શું? એમોનિયમ નાઈટ્રેટ એક રીતે આર.ડી.એક્સ.નો ઉત્તમ વિકલ્પ બની શકે છે તેનું લાઈવ નિદર્શન.
ઈસ્લામિક આતંકવાદે મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. બૉમ્બ બ્લાસ્ટ કેસમાં પકડાયેલી મહિલા ડૉકટર શાહિન શહીદે એમ.બી.બી.એસ. અને એમ.ડી.ની ડીગ્રી મેળવી છે. એ પછી યુ.પી.એસ.સી. ક્લીયર કરીને તેણે કાનપુર મેડિકલ કોલેજમાં પ્રોફેસરની નોકરી લીધી. મહારાષ્ટ્રનાં એક ડૉકટર સાથે તેનાં લગ્ન થયાં હતાં પરંતુ ડૉકટર સાહેબને તેની પત્નીની જેહાદી પ્રવૃત્તિની જાણ થઈ ગઈ એટલે એમણે ડિવોર્સ લઈ લીધાં. કોલેજ પ્રશાસનને તેની વિરુદ્ધ એક ડઝન ફરિયાદ મળી હતી- જેમાં તેની તમામ જેહાદી પ્રવૃત્તિઓનો ઉલ્લેખ હતો. સજારૂપે તેની બદલી ક્ધનૌજ કરવામાં આવી. પણ વર્ષો સુધી ગેરહાજર રહેવા બદલ તેને નોકરીમાંથી ડિસમિસ કરવામાં આવી. ભાગીને એ ક્યાં ગઈ હતી? આતંકના ગઢ કાશ્મીરમાં. ત્યાં એ છ વર્ષ રહી. મેડિકલ લાઈનમાં આગળ વધવાને બદલે તેણે આતંકવાદની દુનિયામાં કાઠું કાઢવાનું નક્કી કર્યું. એ પાકિસ્તાની આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદની ભારતની ફ્રેન્ચાઈઝીની મહિલા પાંખની અધ્યક્ષ બની. આ જેહાદી મહિલાએ ત્રણ હજાર કિલોગ્રામ વિસ્ફોટકોનો જથ્થો એકઠો કર્યો હતો. ડૉકટર સાહિબાની પાસે મેટાસીન કે લેમોલેટની ગોળીઓ હોવી જોઈએ પરંતુ આ બહેન પાસેથી બંદૂકની ત્રણસો ગોળી અને વિદેશી રાઈફલ પણ મળી. તેની પાસેથી મળેલાં વિસ્ફોટકોની વિસ્ફોટ ક્ષમતા એટલી હતી કે આખા એન.સી.આર. (નેશનલ કેપિટલ રિજિયન)ના ડુચ્ચાં નીકળી જાય.
જેમ રાજકીય પક્ષોની ડૉકટર વિન્ગ કે એડવોકેટ વિન્ગ હોય છે- તેમ ત્રાસવાદી સંગઠનો પણ હવે તબીબ પાંખ રાખતાં થઈ ગયા છે શું? દિલ્હી બ્લાસ્ટ કેસએ ફરી એક વખત પુરવાર કર્યું છે કે, ઊચ્ચત્તમ શિક્ષણ પણ જેહાદના કીડાને ખતમ કરી શકતું નથી. ઊલટું ભણેલો જેહાદી વધુ ખતરનાક હોય છે. પોતાની બુદ્ધિમત્તાનો ઉપયોગ આ લોકો સ્વયંના કે લોકોનાં કલ્યાણ માટે નહીં, આતંકના પ્લાન બનાવવા કરે છે.
દેશનાં સદ્નસીબે આતંકનું આખું મોડ્યુલ અને મોતનો સરંજામ પકડાઈ ગયો. દિલ્હી બ્લાસ્ટ દુ:ખદ ઘટના છે પરંતુ એક દૃષ્ટિએ જોઈએ તો શ્રેણીબદ્ધ બૉમ્બ વિસ્ફોટને બદલે એક બ્લાસ્ટથી કામ પત્યું છે. દેશનું સદ્ભાગ્ય છે કે, કેન્દ્રમાં મોદી છે અને અમિત શાહ છે. રાષ્ટ્રવાદી સરકાર છે અને આતંકવાદ પ્રત્યે ઝીરો ટૉલરન્સની નીતિ છે. મોદી શાસનનાં લગભગ અગિયાર વર્ષમાં જમ્મુ-કાશ્મીરની બહાર આ પહેલો નોંધપાત્ર આતંકવાદી હુમલો છે. મનમોહન સરકારમાં જે આતંક રૂટિન બની ગયો હતો એ મોદીરાજમાં દુર્લભ થઈ ગયો છે. આજે જે નફ્ફટ લોકો અમિત શાહનું રાજીનામું માંગી રહ્યાં છે એ મનમોહન સરકારમાં ગૃહમંત્રી રહેલાં શિવરાજ પાટીલનો ચાર વર્ષનો અંધારયુગ ઈરાદાપૂર્વક ભૂલી ગયા છે. એમનાં રાજમાં શું-શું થયું? આસામમાં બૉમ્બ વિસ્ફોટમાં 18 મોત, નાગાલેન્ડનાં દીમાપુરમાં બૉમ્બ ધડાકામાં 30 લોકો મર્યાં, અયોધ્યા રામજન્મભૂમિ પર હુમલો થયો અને છ લોકોએ જીવ ગુમાવ્યા, ઉત્તરપ્રદેશમાં જોનપુરમાં બૉમ્બ બ્લાસ્ટમાં 13 લોકોનાં મોત, દિલ્હીમાં અલગ-અલગ બૉમ્બ ધડાકામાં સિત્તેરનાં મોત, વારાણસીમાં આતંકી હુમલો થયો અને 28 લોકોએ પ્રાણ ગુમાવ્યા, મુંબઈ લોકલ ટ્રેનોમાં થયેલાં સાત ધડાકામાં 209 લોકોએ જીવ ગુમાવ્યો, માલેગાંવ સીરિયલ બ્લાસ્ટમાં 40 મોત, સમજૌતા એક્સપ્રેસ ધડાકામાં 70 મોત, હૈદરાબાદ બૉમ્બ બ્લાસ્ટમાં 40, ઉત્તરપ્રદેશનાં અલગ-અલગ શહેરોમાં બ્લાસ્ટમાં 16 તથા જયપુરમાં અલગ-અલગ સ્થળે થયેલાં વિસ્ફોટમાં 71 મોત નિપજ્યાં, અમદાવાદમાં 17 બ્લાસ્ટમાં 56 લોકો મર્યા, દિલ્હી માર્કેટમાં બ્લાસ્ટમાં 33 મોત, ઈમ્ફાલમાં 17 અને આસામમાં અલગ-અલગ જગ્યાએ થયેલા ધડાકામાં 81નાં મોત નિપજ્યાં. અને આટઆટલાં બ્લાસ્ટ અને મોત પછી પણ સરકાર સળવળી સુદ્ધાં નહીં. મનમોહનસિંહ દર વખતે કહેતાં રહ્યાં, ‘અમારી સહનશક્તિની કસોટી લેશો નહીં!’ ગજ્જબનાક સહનશક્તિ હતી મનમોહન સરકારમાં. થેન્ક ગોડ, નરેન્દ્ર મોદી સરકારમાં આવી સહનશક્તિ જરીકેય નથી.



