વિજયભાઇ ગુજરાતના અણમોલ રત્ન, તેમની કાયમી ખોટ રહેશે : યોગેશભાઇ પૂજારા
વિજયભાઇ રૂપાણીની અંતિમ સફરમાં મોટી સંખ્યામાં રાજકોટના લોકો જોડાયા હતા. વરસતા વરસાદમાં પણ લોકો વિજયભાઇને શ્રધ્ધાંજલિ પાઠવવા માટે હાજર રહ્યા હતા ત્યારે અંતિમ સફરમાં રાજકોટના પૂજારા ટેલીકોમના સ્થાપક યોગેશભાઇ પૂજારા અને રાહિલભાઇ પૂજારા સહિત તેમની ટીમ પણ જોડાઇ હતી અને વિજયભાઇના રથ પર પુષ્પવર્ષા કરવામાં આવી હતી. પૂજારા ગ્રુપ સાથે વિજયભાઇનો આત્મીય સંબંધ રહ્યો છે. આ તકે યોગેશભાઇ પૂજારા અને રાહિલભાઇ પૂજારાએ જણાવ્યુ હતુ કે વિજયભાઇ ગુજરાતના અણમોલ રત્ન હતા તેમની કાયમી ખોટ રહેશે. તેમનો સ્વભાવ અને લોકો સાથેની આત્મીયતા હંમેશા યાદ રહેશે. આમ વિજયભાઇને પૂજારા ગ્રુપ દ્વારા શ્રધ્ધાંજલી અપર્ણ કરવામાં આવી હતી. આ સાથે જ રૂપાણી પરિવારના સભ્યોને આ દુ:ખની ઘડીમાં સાંત્વના પાઠવી હતી.
- Advertisement -
વિજયભાઇના અંતિમ દર્શન બાદ ગૃહમંત્રી અમિત શાહ સાથે વજુભાઇ વાળાએ ચર્ચા કરી
વિજયભાઇના પાર્થિવ દેહને રાજકોટ તેમના નિવાસ સ્થાને લાવવામાં આવ્યા હતા ત્યારે અંતિમ દર્શન માટે અનેક રાજકીય આગેવાનો હાજર રહ્યા હતા જેમાં દેશના ગૃહમંત્રી અમિત શાહ, રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી, કેબિનેટ મંત્રી સી.આર. પાટીલ, રાજ્યપાલ દેવવ્રત આચાર્ય અને પૂર્વ રાજ્યપાલ વજુભાઇ વાળા સહિત રાજકોટના અનેક સ્થાનીક રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ સમયે વિજયભાઇના અંતિમ દર્શન બાદ દેશના ગૃહમંત્રી અમિત શાહ અને પૂર્વ રાજ્યપાલ વજુભાઇ વાળા કોઇ ચર્ચા કરતા જોવા મળ્યા હતા.