By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈઝરાયલનાં હવાઈ હુમલામાં ઈરાની સેનાના ડેપ્યુટી કમાન્ડરનું મોત
    10 hours ago
    કેનેડામાં ખાલિસ્તાની વિરોધ PM મોદીના પૂતળાં સાથે રોડ શૉ કર્યો, સુરક્ષા એજન્સીઓ એલર્ટ
    11 hours ago
    ડોનાલ્ડ ટ્રમ્પ 116 વર્ષમાં પહેલા રાષ્ટ્રપતિ છે જેમને NAACP સંમેલનમાં આમંત્રણ આપવામાં ન આવ્યું
    13 hours ago
    ટ્રમ્પે G7 સમિટ વહેલા છોડી, ઈરાનને ક્યારેય પરમાણુ શસ્ત્રો બનાવવા દેવામાં નહીં આવે
    15 hours ago
    નાઇજીરિયાના બેનુ રાજ્યના યેલેવાટા શહેરના એક ગામમાં 100 લોકોની ગોળી મારીને હત્યા
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    વડાપ્રધાન મોદીની સાયપ્રસ મુલાકાત : તુર્કિયેના પેટમાં તેલ રેડાયું
    14 hours ago
    બોમ્બની ધમકી: કોચી-દિલ્હી ઈન્ડિગો ફ્લાઈટનું નાગપુરમાં ઈમરજન્સી લેન્ડિંગ
    14 hours ago
    ગોવા શિપયાર્ડ દ્વારા બનાવવામાં આવેલ પાંચમું ફાસ્ટ પેટ્રોલ જહાજ ‘અચલ’ ICG માટે લોન્ચ કરવામાં આવ્યું
    15 hours ago
    કેપ્ટન સુમિત સભરવાલના 88 વર્ષીય શોકગ્રસ્ત પિતાએ અંતિમ શ્રદ્ધાંજલિ આપી
    15 hours ago
    સાન ફ્રાન્સિસ્કોથી મુંબઈ જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી સર્જાઈ, કોલકાતામાં લેન્ડ કરાઈ
    16 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ICC મહિલા વર્લ્ડ કપ 2025નું શેડ્યૂલ જાહેર: ભારત-પાક. ટીમો વચ્ચેનો મેચ 5 ઓકટોબરે શ્રીલંકામાં રમાશે
    15 hours ago
    ઇંગ્લેન્ડ ભારતને 3-2થી હરાવશે: ટેસ્ટ સિરિઝ પહેલા ડેલ સ્ટેને આગાહી કરી
    2 days ago
    રાશિદ ખાનએ ​​મેજર ક્રિકેટ લીગ 2025માંથી નામ પાછું ખેંચી લીધું
    6 days ago
    મિશેલ સ્ટાર્કે ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી, મોહમ્મદ શમીને પાછળ છોડીને બન્યો..
    6 days ago
    કાર્લોસ અલ્કારેજે સતત બીજા વર્ષે ફ્રેન્ચ ઓપન જીત્યું, વર્લ્ડ નંબર-1 જેનિક સિનરને હરાવ્યો
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    નાણાંકીય મુશ્કેલીઓને કારણે ‘વેલકમ ટુ ધ જંગલ’નું શૂટિંગ રોકાયું
    14 hours ago
    શું દીપિકા પાદુકોણ બાદ હવે અલ્લુ અર્જુન પણ “સ્પિરિટ”માં નહીં દેખાય ?
    4 days ago
    મારી વહાલસોઈ દીકરી દેવીનો સંગાથ મને બધું ભૂલાવી દે છે
    5 days ago
    ‘બાલિકા વધૂ’ ટીવી સિરિયલથી જાણીતી બનેલી અવિકા ગૌરે મિલિંદ ચંદવાની સાથે સગાઈ કરી
    5 days ago
    પંજાબી ઈન્ફ્લુએન્સર કમલ કૌરનું મોત, કારમાંથી મૃતદેહ મળ્યો
    6 days ago
  • ધર્મ
    ધર્મShow More
    ભગવાન જગન્નાથજીની જળયાત્રાનો પ્રારંભ: 108 કળશથી અભિષેક કરાયો
    7 days ago
    વર્ષના છેલ્લા મોટા મંગળવારે ભગવાન હનુમાનને પ્રસન્ન કરો
    1 week ago
    આજે છે માતા ગાયત્રીની જયંતિ, તો ચાલો જાણીએ માંના અવતાર અને તેમના મહિમાની કથા વિશે
    2 weeks ago
    27મીએ ભગવાન જગન્નાથની રથયાત્રા, શા માટે ઉજવવામાં આવે છે? ચાલો જાણીએ તેની પાછળનું ધાર્મિક મહત્વ
    2 weeks ago
    આટલું ધ્યાન રાખાશો તો નિર્જળા એકાદશીનું વ્રત નહિ તૂટે
    3 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    3 weeks ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    4 weeks ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    1 month ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    1 month ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: બોટાદમાં ઇકો તણાતાં 5 લાપતા, અમરેલીમાં બેનાં મોત: બગડ નદીમાં ઘોડાપૂર, 23 જૂન સુધી અતિભારે વરસાદની આગાહી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > બોટાદમાં ઇકો તણાતાં 5 લાપતા, અમરેલીમાં બેનાં મોત: બગડ નદીમાં ઘોડાપૂર, 23 જૂન સુધી અતિભારે વરસાદની આગાહી
રાજકોટ

બોટાદમાં ઇકો તણાતાં 5 લાપતા, અમરેલીમાં બેનાં મોત: બગડ નદીમાં ઘોડાપૂર, 23 જૂન સુધી અતિભારે વરસાદની આગાહી

Khaskhabar Editor
Last updated: 2025/06/17 at 5:34 PM
Khaskhabar Editor 10 hours ago
Share
7 Min Read
SHARE

ભાવનગરમાં બે દિવસ સુધી તમામ શાળાઓ બંધ રાખવા આદેશ
ખાસ-ખબર ન્યૂઝ  રાજકોટ

રાજ્યમાં બરાબરનો વરસાદી માહોલ જામ્યો છે. આજે અમદાવાદ, આણંદ, ભરૂચ, સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદ, પોરબંદર, જૂનાગઢમાં ભારે વરસાદને લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, વડોદરા, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગરહવેલી, રાજકોટ, જામનગર, અમરેલી, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ અને કચ્છમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બીજી તરફ ભાવનગરમાં બે દિવસ સુધી તમામ શાળાઓ બંધ રાખવા આદેશ કરાયો છે. ભારે વરસાદના પગલે બોટાદના લાઠીદડમાં ઈકો કાર તણાઈ જતા પાંચ લોકો લાપતા છે. જેમની શોધખોળ કરાઇ રહી છે. જ્યારે રાજુલાના ઉટિયા-રાજપરડા વચ્ચે અને બાબરાના કુંડળ ગામે બે અલગ-અલગ જગ્યાએ કાર તણાવાના બે બનાવમાં બે લોકોના મોત થયા છે. બીજી તરફ ભાવનગરનો શેત્રુંજી ડેમ ઓવરફ્લો થતાં તમામ 59 દરવાજા એક ફૂટ સુધી ખોલાયા છે.

- Advertisement -

રાજુલામાં 8 ઈંચ વરસાદ

હવામાન વિભાગની આગાહીના પગલે ગુજરાત સહિત સૌરાષ્ટ્ર ભરમા ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. ત્યારે અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. અમરેલીના રાજુલા, જાફરાબાદ, સાવરકુંડલા, લિલિયા, ધારી, બગસરા, વડિયા સહિત અનેક તાલુકા સહિત ગામડાઓમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા હતાં. રાજુલા પંથકમાં ગત મોડી રાતથી ધીમીધારે વરસાદનું આગમન થયું હતું. અને વહેલી સવારથી જ ચોમાસાની ઋતુના પ્રથમ વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. રાજુલા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. વરસાદને પગલે અસહ્ય ગરમી બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. રાજુલાના ડુંગર, મોરંગી, માંડળ, સાંજણાવાવ, રાભડા, કુંભારીયા, દેવકા, નવી-જુની માંડરડી, છતડીયા વાવેરા, ધારેશ્ર્વર, બર્બટાણા, ખારી, ખેરાળી, છાપરી સહિત આસપાસના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.

રાજુલા પંથકમાં અનરાધાર મેઘસવારી, નદીઓમાં ઘોડાપૂર: ગામમાં પાણી ઘૂસ્યા

- Advertisement -

રાજુલા પંથકમાં ચોમાસાની પ્રથમ ઋતુનો અવિરત વરસાદ પડયો હતો. જોકે અતિ ભારે વરસાદને પગલે ખેડૂતોના ખેતરોમાં પાણી ઘુસી ગયાં હતાં. જેથી ભારે નુકસાન થયું હતું. ખેડૂતોમાં કભી ખુશી કભી ગમ નો માહોલ સર્જાયો હતો. અતિભારે વરસાદને કારણે રાજુલાના મોરંગી ગામની રામતલિયા નદી ચોમાસાની ઋતુના પ્રથમ વરસાદથી ઘોડાપૂર આવ્યું હતું. નદી બે કાંઠે વહેતી થઈ હતી. તેમજ સાંજણાવાવ ગામે સ્થાનિક નદીમાં પણ ઘોડાપૂર આવ્યું હતું. અને વરસાદી પાણી ગામમાં ભરાયા હતાં. બીજી તરફ રાજુલાના દેવકા ગામે આવેલ જોલાપરી નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. અને નદીમાં માલધારી પરિવારના 15 જેટલા બકરા નદીના પાણીના પ્રવાહમાં તણાઈ ગયા હતા. અને સ્થાનિકોએ 10 બકરીઓને બચાવી લેવાઇ હતી. રાજુલા પંથકમાં ચોમાસાના પ્રથમ વરસાદે જ અનરાધાર મેઘસવારી વરસી હતી. જોકે ભારે વરસાદને પગલે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. અનેક કોઝવે ધોવાઇ ગયા હતા. અને પાણી આવતા ઘણા રસ્તાઓ પણ બંધ થયા હતા. તેમજ અનેક ગામોમાં પાણી ઘુસી ગયા હતા. રાજુલા પંથકમાં 8 ઇંચ જેટલો વરસાદ ખાબકયો હતો. આ બાબતે ખેડૂત આગેવાન રમેશભાઇ વસોયાએ જણાવ્યું હતું કે, ચોમાસાના પ્રથમ વાવણી લાયક વરસાદની ખેડૂતો રાહ જોઈ રહ્યા હતા. અને આજે સવારથી જ વરસાદની શરૂઆત થતાં ખેડૂતો ખુશખુશાલ થયાં હતાં. જોકે બપોર બાદ ભારે વરસાદ પડતા ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઇ ગયા હતા. જેના કારણે હાલ ખેડૂતોમાં કભી ખુશી કભી ગમ જેવી સ્થિતિ સર્જાઈ છે. અનેક ખેતરો વરસાદી પાણીમાં તરબોળ થયાં હતાં.

મહુવાના તલગાજરડામાં પાણીમાં ફસાયેલા 40 વિદ્યાર્થીઓને રેસ્ક્યુ કરાયા

ચોમાસાની ધમાકેદાર શરૂઆત થતાં ભાવનગર જિલ્લાના મહુવા, તળાજા અને જેસર તાલુકામાં છેલ્લા ચોવીસ કલાકમાં 8 થી 10 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. આ વરસાદના લીધે મહુવા તાલુકાના તલગાજરડા ગામમાં પાણી ફરી વળ્યાં હતા. આ દરમિયાન એક ખાનગી શાળાના વિદ્યાર્થીઓ શાળાએથી છૂટીને બસ મારફત ઘેર જઈ રહ્યા હતા ત્યારે પાણીનો પ્રવાહ અચાનક વધી જતા બસમાં રહેલા બાળકોને વાડી વિસ્તારમાં આવેલ એક મકાનમાં સલામત સ્થળે ફેરવવામાં આવ્યા હતા, પરંતુ પાણીનો પ્રવાહ સતત વધી રહ્યો હોવાથી આશરો લીધેલ મકાનમાં પણ પાણીનું સ્તર વધ્યું હતું. આ ઘટનાની જાણ જિલ્લા વહીવટી તંત્રને થતાં જિલ્લા કલેકટર ડો. મનીષ કુમાર બંસલ, મહુવા પ્રાંત અધિકારી ધવલ રવૈયા, મામલતદાર અને સ્થાનિક લોકો સહિતના ડિઝાસ્ટર વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી જઈને પાણીમાં ફસાયેલ તમામ 40 વિદ્યાર્થીઓને રેસ્ક્યું કરવામાં આવ્યા હતા.

કાલે ક્યા-ક્યા જિલ્લામાં ભારે વરસાદની આગાહી?
કાલે 18 જૂનના રોજ ગુજરાતના અરવલ્લી, દાહોદ, મહિસાગર, ડાંગ, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં અલગ-અલગ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. જ્યારે સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં એટલે કે પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસને લઈને રાજ્યમાં વરસાદ માટે આગાહી કરવામાં આવી છે. જેમાં અત્યારે લો પ્રેશર સિસ્ટમ સક્રિય થયું છે. જેથી 7 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

બોટાદમાં રસ્તાઓ બંધ, વાહનોની કતારો લાગી
બોટાદ જિલ્લામાં ભારે વરસાદના કારણે વાહન વ્યવહાર ઠપ્પ થયો છે. બોટાદ શહેરમાં ધોધમાર વરસાદ પડતા રસ્તાઓ બંધ. શહેરનાં ભાવનગર રોડ, ગઢડા રોડ પર પાણી ભરાતા રસ્તાઓ બંધ થયા છે. જેથી વાહનોની કતારો લાગી છે.

પાલીતાણા તાલુકાના ત્રણ ગામમાંથી 31 લોકોને રેસ્ક્યુ કરાયા

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

ભારે વરસાદના કારણે પાલીતાણા તાલુકાના ત્રણ અલગ અલગ ગામોએ રેસ્ક્યુ કરવાની જરૂરિયાત ઊભી થઇ હતી જેમાં કુલ 31 જેટલા લોકોને તંત્ર દ્વારા રેસ્કયુ કરવામાં આવ્યા હતા. જે અન્વયે સેંજળીયા ગામેથી કુલ 19 લોકો, મોખડકા ગામેથી કુલ 11 લોકો તેમજ આકોલાળી ગામેથી એક વ્યક્તિનું રેસ્ક્યુ કરવામાં આવ્યુ હતુ. આ રેસ્ક્યુ કામગીરીમાં સેંજળીયા ગામે મામલતદાર, મોખડકા ગામે તાલુકા વિકાસ અધિકારી તેમજ આકોલાળી ગામે રૂરલ પી.આઈ દ્વારા ઓપરેશન લીડ કરવામાં આવ્યુ હતું. આ કામગીરીમાં રેવન્યુ વિભાગ, પંચાયત વિભાગ, નગરપાલિકા તથા ફાયર વિભાગ, આગેવાનો, ગામ લોકો તથા ખાનગી વાહન માલિકો રત્નાભાઈ વિગેરે દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. તેમજ સૌથી મોટી ભૂમિકા સિંચાઈ વિભાગના આશિષભાઈ બાલધીયા દ્વારા જરૂર જણાય ત્યાં ડેમના પાણીનું સ્તર ઘટાડીને કે દરવાજા બંધ કરીને પણ પાણીનો પ્રવાહ ઓછો કરવા માટે મહત્વપૂર્ણ પ્રયત્ન કર્યો હતો. આમ, આખી રાત પાલીતાણા તાલુકામાં અલગ અલગ સ્થળોએ વહીવટી તંત્ર દ્વારા રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

 

You Might Also Like

રાજકોટનાં રેસકોર્સમાં સ્વ.વિજયભાઈ રૂપાણીની પ્રાર્થનાસભા શરૂ: આગેવાનો-કાર્યકર્તાઓ ઉમટ્યા

વિજયભાઇની અંતિમ સફરમાં પૂજારા ટેલિકોમના યોગેશ પૂજારા અને તેમની ટીમે જોડાઇ શ્રદ્ધાંજલિ અર્પણ કરી

રાજકોટના જનનાયક વિજયભાઈને લોકોની અશ્રુભીની વિદાય, અંતિમયાત્રામાં માનવ મહેરામણ ઉમટ્યો

રાજકોટના આરબી પાર્ટનર્સ ગ્રુપનું ચોલા એમએસ જનરલ ઇન્સ્યોરન્સ કંપની દ્વારા કોચી કેરલામાં ભવ્ય સન્માન

કેવડાવાડીમાં શ્રી હેરિટેઝ એપાર્ટમેન્ટમાં ચોરી કરનાર તસ્કરને મુંબઇથી ઝડપી લેતી DCB

TAGGED: Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સોનાની બંગડી, બ્રેસલેટ, ચેઇન, સહિતનાં 4.5 લાખની રકમના દાગીના પરિવારજનોને સોંપાયા
Next Article ઈઝરાયલનાં હવાઈ હુમલામાં ઈરાની સેનાના ડેપ્યુટી કમાન્ડરનું મોત

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રાજકોટનાં રેસકોર્સમાં સ્વ.વિજયભાઈ રૂપાણીની પ્રાર્થનાસભા શરૂ: આગેવાનો-કાર્યકર્તાઓ ઉમટ્યા

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
વિજયભાઇની અંતિમ સફરમાં પૂજારા ટેલિકોમના યોગેશ પૂજારા અને તેમની ટીમે જોડાઇ શ્રદ્ધાંજલિ અર્પણ કરી
રાજકોટના જનનાયક વિજયભાઈને લોકોની અશ્રુભીની વિદાય, અંતિમયાત્રામાં માનવ મહેરામણ ઉમટ્યો
ઈઝરાયલનાં હવાઈ હુમલામાં ઈરાની સેનાના ડેપ્યુટી કમાન્ડરનું મોત
સોનાની બંગડી, બ્રેસલેટ, ચેઇન, સહિતનાં 4.5 લાખની રકમના દાગીના પરિવારજનોને સોંપાયા
રાજકોટના આરબી પાર્ટનર્સ ગ્રુપનું ચોલા એમએસ જનરલ ઇન્સ્યોરન્સ કંપની દ્વારા કોચી કેરલામાં ભવ્ય સન્માન
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રાજકોટનાં રેસકોર્સમાં સ્વ.વિજયભાઈ રૂપાણીની પ્રાર્થનાસભા શરૂ: આગેવાનો-કાર્યકર્તાઓ ઉમટ્યા

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
રાજકોટ

વિજયભાઇની અંતિમ સફરમાં પૂજારા ટેલિકોમના યોગેશ પૂજારા અને તેમની ટીમે જોડાઇ શ્રદ્ધાંજલિ અર્પણ કરી

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
રાજકોટ

રાજકોટના જનનાયક વિજયભાઈને લોકોની અશ્રુભીની વિદાય, અંતિમયાત્રામાં માનવ મહેરામણ ઉમટ્યો

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?