દેશની સૌથી મોટી કરુણ અને આઘાતજનક અમદાવાદની પ્લેન દુર્ઘટનામાં અનેક લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. તેમજ આ પ્લેન દુર્ઘટનામાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું પણ નિધન થયું છે. આથો સમગ્ર દેશમાં શોકની કાલીમાં છવાઈ ગઈ છે. તેથી મોરબી બાર એસોસિએશન દ્વારા આ પ્લેન દુર્ઘટનામાં ઊંડો આઘાત વ્યક્ત કરી બે મિનિટ મૌન પાળી મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે શોકસભા યોજાઈ
- Advertisement -
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું નિધન થતા રાજકોટ સહીત ગુજરાત શોકમગ્ન છે ત્યારે આજે રાજકોટમાં વેપારીઓએ બંધ પાળ્યો છે જ્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલના ડોક્ટરોએ પણ સ્વ.વિજય રૂપાણી અને દુર્ઘટનામાં નિધન પામેલા મેડિકલ સ્ટુડન્ટ્સ અને ડોક્ટરોની આત્માની શાંતિ માટે શોકસભા યોજાઈ હતી.