વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીમાં ત્રણેય પક્ષોનું ધમાસાણ
કોંગ્રેસે પણ હજુ સુધી પોતાના ઉમેદવાર જાહેર કર્યા નથી
આપના ગોપાલ ઈટાલીયા શક્તિ પ્રદર્શન સાથે ફોર્મ ભરશે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.28
જૂનાગઢ જિલ્લાની વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી અંતે એક વર્ષના વધુના સમયે ચૂંટણી પંચે જાહેર કરી છે ત્યારે હવે ત્રિપાંખિયો જંગ જોવા મળશે એવામાં શંકરસિંહ વાઘેલાની પાર્ટી પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટી પણ મજબૂત ઉમેદવાર સાથે મેદાનમાં ઉતરશે તો ચોપાંખિયો જંગ જોવા મળશે હાલ તો તમામ રાજકીય નેતાઓ વિસાવદર વિધાનસભા સીટ કબ્જે કરવા ધમસાણ શરુ થયું છે. અને એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે વિસાવદર પેટા ચૂંટણીમાં આયાતી ઉમેદવારનો મુદ્દો પણ ગરમાયો છે અને એક બીજા પર આયાતી ઉમેદવાર હોવાના આક્ષેપ થઇ રહ્યા છે. આમ આદમી પાર્ટીએ ગોપાલ ઇટાલિયાનું નામ અગાઉ જાહેર કરી દેવામાં આવ્યું છે જયારે ભાજપ માંથી કોને ટિકિટ મળશે તે માટે ભરી ગડમથલ ચાલી રહી છે. એવામાં જયારે કોંગ્રેસનો હાથ છોડી ભાજપમાં આવેલ હર્ષદ રીબડીયાને એકવાર ટિકિટ આપી હતી પણ તેઓ આપ સામે હારી ગયા હતા તો થોડા મહિના પેહલા આમ આદમી પાર્ટી માંથી ચૂંટાયેલ ભુપત ભાયાણી આપ માંથી રાજીનામુ આપીને ભાજપ સાથે કેસરિયા ધારણ કર્યા છે તો બીજી તરફ કિરીટ પટેલ પણ વિધાનસભાની ચૂંટણી વિસાવદર બેઠક પરથી લડી ચુક્યા છે
પણ જીતનો સ્વાદ ચાખવા નથી મળ્યો હવે જયારે ત્રણેય હાલ ભાજપ સાથે છે ત્યારે ભાજપ પાર્લામેન્ટ્રી કોના પર વિશ્વાસ મૂકીને ટિકિટ આપે છે તે જોવાનું રહ્યું એક એવી પણ ચર્ચાએ જોર પકડયું છે કે, પાર્ટી કોઈ નવા ચેહરાને લઈને ચૂંટણી લડે તેવા પણ સંજોગ બની શકે તેવા છે. આપના ઉમેદવાર ગોપાલ ઈટાલીયા શક્તિ પ્રદશન સાથે આગામી તા.31 મેના રોજ પોતાની દાવેદારી નોંધાવશે જયારે આ ઉમેદવારી પત્ર ભરવા સમયે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન તેમજ દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવીંદ કેજરીવાલ, અતીશીજી અને ગુજરાત પ્રદેશનેતા ઈસુદાન ગઢવી સહીતના નેતાઓ વિસાવદર પેટા ચૂંટણીનું ઉમેદવારી પત્ર ભરવા ઉપસ્થિત રહેશે ત્યારે જીતના વિશ્વાસ સાથે હાલ આમ આદમી પાર્ટી પણ રાજ્ય અને કેન્દ્ર માંથી નેતાઓની ફોજ ઉતારી ચૂંટણી જંગમાં જંપલાવ્યું છે. ત્યારે ત્રણેય પક્ષ દ્વારા જીતના દાવા સાથે મેદાનમાં ઉતર્યા છે. હવે કોને શિરે ધારાસભ્યનો તાજ વિસાવદર ભેસાણની જનતા પહેરાવશે તે તો આગામી ચૂંટણી પરિણામ બતાવશે.
વિસાવદર પેટા ચૂંટણીમાં બે દિવસમાં 17 ફોર્મ ઉપડ્યા
વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણી માટે ઉમેદવારીપત્ર ભરવા માટે ચૂંટણી પંચ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. ચૂંટણી માટેની આચરસંહિતા સહિતની અમલવારી શરૂ કરી દેવામાં આવી છે. પ્રથમ દિવસે ચૂંટણી લડવા માંગતા 13 લોકોએ ઉમેદવારીપત્રો ચૂંટણી અધિકારી પાસેથી ઉપાડ્યા હતા. જ્યારે બીજા દિવસે વધુ પાંચ ઉમેદવારીપત્ર ઉપાડયા છે. આમ કુલ 17 લોકોએ વિસાવદ વિધાનસભાની પેટાચૂંટણી લડવા માટે ઉમેદવારીપત્રો ઉપાડયા છે. બે દિવસમાં એકપણ ઉમેદવારે ચૂંટણી અધિકારી સમક્ષ પોતાની ઉમેદવારી નોંધાવી નથી. હજુ આજે પણ વધુ ફોર્મ ઉપડે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. મોટાભાગના ઉમેદવારો છેલ્લા દિવસોમાં પોતાની ઉમેદવારી નોંધાવે તેમ હોવાનું જાણવા મળ્યું છે.