ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
તાજેતરમાં જ પહેલગામના હુમલાખોરોના આકકાઓને તેના જ ઘરમાં ઘૂસીને સજા આપનારી ભારતીય સેનાને આવું કરવાની ખુલ્લી છૂટ આપનારા અને એક શૌર્ય પુરુષ તરીકેની ઓળખ પ્રસ્થાપિત કરનારા દેશના વિઝનરી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે ગુજરાતની બે દિવસની મુલાકાતે આવ્યા છે ત્યારે છ કરોડથી વધુની જનતા તેમને હૃદય પૂર્વક મીઠો આવકારો આપી રહી છે રાજુભાઈ ધ્રુવે જણાવ્યું છે. એક નિવેદનમાં રાજુભાઈ ધ્રુવે કહ્યું છે કે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી ઓપરેશન સિંદૂર હાથ ધરીને દુશ્મનોના દાંત ખાટા કરી નાખનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતની તાકાતનો પરિચય આપ્યો છે. વિશ્વના અગ્રીમ હરોળના દેશોએ નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત સરકારે લીધેલા પગલાંઓને સમર્થન આપ્યું છે ત્યારે તેઓ વધુ એક વખત વૈશ્વિક નેતા તરીકે પ્રસ્થાપિત થયા છે. તેમણે ઉમેર્યું છે કે નરેન્દ્રભાઈ મોદીએ વાયુસેના નેવી અને લશ્કરના જવાનોને હુમલાનું બદલો લેવા માટે પૂરતી સ્વતંત્રતા આપી હતી અને સેનાના જવાન હોય ગણતરીની મિનિટોમાં જ પાકિસ્તાન હસ્તકના કાશ્મીરમાં આતંકવાદીઓના અડ્ડાઓ ઉપર ત્રાટકીને સફાયો બોલાવી દીધો હતો.