By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    નેપાળમાં ફરી પૂરનું એલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
    20 hours ago
    SCO સમિટ- બેઠક નક્કી નહોતી, છતાં મળ્યા મોદી-જિનપિંગ : હાથ મિલાવ્યા અને વાતચીત કરી
    20 hours ago
    મદદ કરવી એ ભારતની પરંપરા : મોહન ભાગવત
    2 days ago
    નેપાળ પૂર હોનારતમાં 950 નાગરિકના મોત : અત્યાર સુધી 4200થી વધુ લોકો ગુમ : મૃતદેહોને દફનાવવાનું શરૂ
    2 days ago
    અમેરિકા અને ઇરાન વચ્ચે ફરી યુદ્ધ શરૂ
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ચિત્રકૂટમાં પૂરથી 80થી વધુ મકાન ધરાશાયી
    21 hours ago
    સોનાની ઇમ્પોર્ટ ડયુટી 6% કરવાની વિચારણા
    2 days ago
    દિલ્હીમાં ફરી નિર્ભયાકાંડ : ચાલુ બસમાં 11મા ધોરણની વિદ્યાર્થિની પર રેપ
    2 days ago
    બ્લિકિટ-સ્વિગી, ડીમાર્ટથી 5 કિલોથી વધુ ખાંડ નહીં મળે
    6 days ago
    સરકારી અનાજ યોજનામાં મોટું કૌભાંડ આવકવેરો ભરનારા 56 લાખ, GST રજીસ્ટર્ડ 7 લાખ વેપારી ‘લાભાર્થી’
    6 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    22 hours ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    2 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    3 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    4 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    4 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 month ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 month ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: RMCના જનરલ બોર્ડમાં તડાફડી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > RMCના જનરલ બોર્ડમાં તડાફડી
રાજકોટ

RMCના જનરલ બોર્ડમાં તડાફડી

Khaskhabar Editor
Last updated: 2025/05/20 at 4:11 PM
Khaskhabar Editor 1 year ago
Share
6 Min Read
SHARE

જનરલ બોર્ડમાં આતંકી હુમલાના મૃતકોને બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ

વશરામ સાગઠિયા અધ્યક્ષની સામે રજૂઆત કરવા જતાં મામલો ગરમાયો

- Advertisement -

TRP  ગેમઝોન અગ્નિકાંડમાં પીડિતોને ન્યાય મુદે રજૂઆત કરતા હોબાળો

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન (RMC)ની સામાન્ય સભા આજે ભારે હોબાળા વચ્ચે શરૂ થઈ હતી. સભાની શરૂઆત જ ગમગીન માહોલમાં થઈ જ્યારે તાજેતરમાં પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા લોકોને બે મિનિટનું મૌન પાળીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. સભાના સભ્યોએ શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. બાદમાં સભામાં એક મહત્વપૂર્ણ ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. જેમાં ભારતીય સેના દ્વારા પાકિસ્તાનના આંતકવાદી કેમ્પો પર કરવામાં આવેલી સફળ સ્ટ્રાઈકને લઈને સભાના તમામ સભ્યોએ એકી અવાજે અભિનંદન પાઠવ્યા.
મેયરે જણાવ્યું કે, આ કાર્યવાહી દેશની સુરક્ષા માટે જરૂરી હતી અને તેનાથી આતંકવાદીઓને જડબાતોડ જવાબ મળ્યો છે. જો કે, સભામાં ગરમાવો ત્યારે આવ્યો જ્યારે વિરોધ પક્ષના સભ્યો હાથમાં TRP ગેમઝોનના પ્લે કાર્ડ લઈને પહોંચ્યા. 1 વર્ષ પૂર્વે થયેલા ભયાનક અગ્નિકાંડમાં અનેક નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા. કોંગ્રેસના ત્રણ કોર્પોરેટરો, જેમનો આ મુદ્દે વિરોધ કરવા બદલ અગાઉ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી, તેઓ પણ આજે છૂટ્યા બાદ સીધા જ સામાન્ય સભામાં હાજર રહ્યા હતા.

મેયરે કોંગ્રેસના શરૂઆતમાં સભ્યોને શાંતિ જાળવવા અને સભાખંડની મર્યાદાનું પાલન કરવા અપીલ કરી હતી. તેમણે એમ પણ કહ્યું કે, જો કોઈ સભ્ય પાસે હાથમાં કાગળ હોય તો તે લઈ લેવામાં આવશે. જો કે, પરિસ્થિતિ ત્યારે વધુ તંગ બની જ્યારે વિરોધ પક્ષના નેતા વશરામ સાગઠિયા ચાલુ બોર્ડમાં અધ્યક્ષની પાસે જઈને TRP ગેમઝોન અગ્નિકાંડ મુદ્દે રજૂઆત કરવા પહોંચ્યા. તેમણે લેખિતમાં પોતાની રજૂઆત રજૂ કરતા જણાવ્યું કે, ઘટનાને એક વર્ષ વીતી ગયું હોવા છતાં હજુ સુધી જવાબદાર પદાધિકારીઓ સામે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી.
તેમણે આ બાબતે ત્વરિત અને નિષ્પક્ષ તપાસની માંગણી કરી. ત્યારે મેયરે વશરામ સાગઠિયાને બોર્ડની ગરિમા જાળવવા અને નિયમોનું પાલન કરવા જણાવ્યું. તેમણે કહ્યું કે આ મુદ્દે તેઓ સભા પછી રૂબરૂ મળીને વાત કરી શકે છે. જો કે, વિરોધ પક્ષના નેતા ચાલુ સભામાં જ પોતાની રજૂઆત પર અડગ રહ્યા, જેના કારણે મેયરે તેમને કાયદેસરની કાર્યવાહી કરવાની ચેતવણી આપી હતી. જોકે પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન પુષ્કર પટેલે સમજાવટ કરતા સાગઠિયા ફરી પોતાના સ્થાને બેસી ગયા હતા.

- Advertisement -

થોડીવાર બાદ સાગઠિયા દ્વારા ફરીથી ચાલુ બોર્ડમાં જ હોબાળો કરવામાં આવ્યો હતો. તેમજ ટીપી સ્કીમમાં થનારા બદલાવ અંગે સવાલો ઉઠાવી તેનો જવાબ દેવા મેયરને અપીલ કરવામાં આવી હતી અને જણાવ્યું હતું કે, તમારા ભાજપના વખાણ અમારે સાંભળવા જ નથી. જેને લઈને ભાજપનાં કોર્પોરેટરોએ કડક પગલાં લેવાનું જણાવતા જ સાગઠિયાએ જણાવ્યું હતું કે, હું ખોટો હોવ તો મારા ઉપર ફરિયાદ દાખલ કરો. જો મરદનાં દીકરા હોય તો મારા ઉપર FIR દાખલ કરો બાકી મારો વારો આવશે ત્યારે ફીણ કાઢી નાખીશ, હું વશરામ સાગઠિયા છું મારી સામે આવવું નહીં. હું પ્રજાના પ્રશ્ર્નો અંગે વાત કરું છું.

ત્યારબાદ મેયરે બોર્ડ પોતાની ચેમ્બરમાં જઈ રજૂઆત કરવાનું જણાવતા તેઓ સ્થાન ઉપર બેસી ગયા હતા. જનરલ બોર્ડ પૂર્ણ થયા બાદ સાગઠિયા મેયર ચેમ્બરમાં પહોંચ્યા હતા અને ટીઆરપી અગ્નિકાંડ તેમજ મનપા દ્વારા કરવામાં આવતી પ્રિમોન્સૂન કામગીરી સામે સવાલ ઉઠાવી મેયરને કમિશનર પાસે કામ કરાવવા અપીલ કરી હતી. આ રજૂઆત સાંભળી મેયર નયના પેઢડિયાએ તમામ મુદ્દે તપાસ બાદ જરૂરી કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. જેને લઈને વશરામ સાગઠિયા ત્યાંથી પરત ફર્યા હતા.

આ તકે વશરામ સાગઠિયાએ જણાવ્યું હતું કે, હાલમાં ભાજપ દ્વારા મનમાની કરવામાં આવી રહી છે. જનરલ બોર્ડમાં પ્રજાના પ્રશ્ર્નોની ચર્ચા કરવાની હોય છે. જેને લઈ મેં આ માટે પ્રયાસો કર્યા હતા, પરંતુ મેયર દ્વારા બોર્ડમાં મને બોલવા દેવામાં આવ્યો નહોતો. અને અમે વિરોધ માટે જે બેનરો લાવ્યા હતા તે પણ લઈ લેવામાં આવ્યા હતા. જોકે જનરલ બોર્ડ પૂર્ણ થયા બાદ મેયરને મારા દ્વારા રજૂઆત કરવામાં આવી છે. જેમાં ટીઆરપી કાંડ અને પ્રિમોન્સૂન કામગીરી વિશે જણાવ્યું છે અને મેયરે આ બંને બાબતે તપાસ કરી જવાબ આપવાની ખાતરી આપી છે. મેયર નયના પેઢડીયાએ જણાવ્યું હતું કે, આજરોજ દ્વિમાસિક જનરલ બોર્ડની બેઠક હતી. જેમાં નિયમ મુજબ પ્રશ્ર્નો લેવામાં આવ્યા હતા, પરંતુ ભાજપ નગર સેવકનાં પ્રશ્ર્નનો જવાબ કમિશ્નર આપી રહ્યા હતા. ત્યારે કોંગ્રેસના વશરામ સાગઠિયા વચ્ચેથી પોતાની રજૂઆત કરવા આવતા તેને રોકવા પડ્યા હતા. આવું કરવાથી બોર્ડની ગરીમાં જળવાતી નથી. જનરલ બોર્ડમાં કોઈ કોર્પોરેટરો વચ્ચેથી પ્રશ્ર્નો પૂછી શકતા નથી. પ્રશ્નનો ક્રમ અગાઉથી જ નક્કી હોય છે છતાં વશરામ સાગઠિયાએ વચ્ચેથી પ્રશ્ર્ન કરતા મારે તેમને રોકવા પડ્યા હતા. તેઓએ અત્યાર સુધી ક્યારેય મારી ચેમ્બરમાં કોઈ રજૂઆત કરી નથી અને આજે ચાલુ બોર્ડમાં હોબાળો કર્યો હતો. જે યોગ્ય નથી.

બીજી તરફ જનરલ બોર્ડમાં ધગધગતા સવાલો કરનાર નેહલ શુક્લે જણાવ્યું હતું કે, જનરલ બોર્ડમાં પ્રજા હિત માટેના સવાલો કરવાના હોય છે. લોકોને ફાયરના ગઘઈ લેવામાં ખૂબ મુશ્કેલીઓ પડતી હોવાનું ધ્યાનમાં આવતા મેં આ માટેની સમગ્ર પ્રક્રિયા અંગેનો સવાલ કર્યો છે. તેમજ રૂ. 20 લાખથી વધુ રકમના જેટલા ટેન્ડરો બહાર પાડવામાં આવ્યા હોવાની વિગતો માંગવામાં આવી છે. જોકે આ બંને બાબતે પોતાને ભ્રષ્ટાચારની કોઈ આશંકા હોવાનો તેમણે ઈન્કાર કર્યો હતો. તેમજ માત્ર અભ્યાસ માટે આ પ્રશ્ર્નો પૂછ્યા હોવાનો બચાવ કર્યો હતો.

You Might Also Like

RMCની આવાસ યોજનામાં મહાકૌભાંડ

150 ફૂટ રિંગ રોડ પર સદગુરુ બંગ્લોઝ પાસેની જૈન સ્વીટ નમકીન & સ્નેક્સમાંથી મકાઇના લોટની 32 કિલો પેટીસનો નાશ કરાયો

રમત માત્ર જીત-હાર કે સ્પર્ધા જ નથી, પરંતુ સ્વસ્થ જીવન જીવવાની ઉત્તમ રીત છે : કુલપતિ ડૉ. ઉત્પલ જોશી

રાજકોટમાં પ્રથમ વખત ન્યારી ડેમથી રામનાથ મહાદેવ મંદિર સુધી સનાતન કાવડ યાત્રા યોજાશે

લોકમેળામાં રાઈડમાં શોર્ટસર્કિટથી આગ લાગી : ફસાયેલા લોકોનું સફળ રેસ્ક્યુ કરાયું

TAGGED: Rajkot, rmc
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article વિકાસ ઝંખતા ગિરનાર માટે જૂનાગઢના અગ્રણી સંતો, ધારાસભ્યની મંત્રીઓને રજૂઆત
Next Article વેરાવળ એસ.ટી. ડેપો ખાતે વ્યસન મુક્તિ માર્ગદર્શન સેમિનાર યોજાયો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

RMCની આવાસ યોજનામાં મહાકૌભાંડ

Khaskhabar Editor Khaskhabar Editor 20 hours ago
નેપાળમાં ફરી પૂરનું એલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
SCO સમિટ- બેઠક નક્કી નહોતી, છતાં મળ્યા મોદી-જિનપિંગ : હાથ મિલાવ્યા અને વાતચીત કરી
વેદોના ચિંતન વૈભવને જાણો
ચિત્રકૂટમાં પૂરથી 80થી વધુ મકાન ધરાશાયી
150 ફૂટ રિંગ રોડ પર સદગુરુ બંગ્લોઝ પાસેની જૈન સ્વીટ નમકીન & સ્નેક્સમાંથી મકાઇના લોટની 32 કિલો પેટીસનો નાશ કરાયો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

RMCની આવાસ યોજનામાં મહાકૌભાંડ

Khaskhabar Editor Khaskhabar Editor 20 hours ago
રાજકોટ

150 ફૂટ રિંગ રોડ પર સદગુરુ બંગ્લોઝ પાસેની જૈન સ્વીટ નમકીન & સ્નેક્સમાંથી મકાઇના લોટની 32 કિલો પેટીસનો નાશ કરાયો

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
રાજકોટ

રમત માત્ર જીત-હાર કે સ્પર્ધા જ નથી, પરંતુ સ્વસ્થ જીવન જીવવાની ઉત્તમ રીત છે : કુલપતિ ડૉ. ઉત્પલ જોશી

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?