ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.5
માધવપુર ખાતે ભગવાન શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મિણીના લગ્નના પરંપરાગત અવસરની પ્રિ-ઇવેન્ટમાં ઉજવણીના ભાગરૂપે પૂર્વ ભારતના કલાકારો સોમનાથના આંગણે પધાર્યા છે.ત્યારે જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ આજે સવારે પ્રિ-ઇવેન્ટના ભાગરૂપે પધારેલ 400 કલાકારો સાથે આજે ધ્વજાપૂજા કરી હતી.આથી જ્યોતિર્લિંગ સોમનાથમાં આ સાથે પૂર્વ થી પશ્ર્ચિમનો સંગમ સર્જાયો છે. ઉલ્લેખનીય છે કે આજે સાંજે 7 કલાકે સોમનાથ મંદિર પાસે આવેલી ચોપાટી ખાતે 400 કલાકારો દ્વારા રંગારંગ સંસ્કૃતિ રજૂ કરવામાં આવનાર છે.
સોમનાથ મંદિરે જિલ્લા કલેક્ટર સહિત 400 કલાકારોએ ધ્વજાપૂજા કરી



