જૂનાગઢ મનપા કચેરીએ આવતા લોકો માટે સુવિધામાં વધારો
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.25
જૂનાગઢ મહાનગર પાલિકા દ્વારા શહેરમાં સુખાકારી અને આરોગ્યલક્ષી વિવિધ સેવાઓ પૂરી પાડવામાં આવે છે. જેનો લાભ લેવા માટે અનેક શહેરીજનો મહાનગર પાલિકા કચેરી ખાતે આવે છે.જેના કારણે મનપા કચેરી ખાતે શહેરીજનોની ભારે ભીડ રહેતી હોય છે.શહેરીજનોના પ્રશ્ર્નોનું નિવારણ અર્થે કમિશનર, નાયબ કમિશનર, આસિ.કમિશનરને કાર્યાલય ખાતે મળવા માટેનો આગ્રહ રાખતા હોય છે.
- Advertisement -
શહેરના અરજદારોઓને સેવા મેળવવા માટે થોડાક અંશે રાહ જોવાની થતી હોય છે.આ સેવાઓ મેળવવા દરમ્યાન સમયમાં અરજદારશ્રીઓ માટે જુનાગઢ મહાનગર પાલિકા દ્વારા કમિશનર ડો.ઓમ પ્રકાશની સુચના હેઠળ મહાનગર સેવા સદન,પહેલા માળ ખાતે અદ્યતન પ્રતીક્ષા ક્ક્ષનું નવનિર્માણ કરવામાં આવ્યું છે.જેમાં અરજદારો માટે પીવાનું પાણી, બેસવા માટે સોફાસેટ, મનોરંજન માટે ટેલીવિઝન,વાંચન માટે મેગેઝીન અને ન્યુઝ પેપર તથા એર કંડીશનર વગેરે જેવી સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે.તેમજ તમામ શહેરીજનોની સુખાકારી માટે જૂનાગઢ મહાનગર પાલિકા લગત સેવાઓ પૂરી પાડવા મહાનગર પાલિકા સતત પ્રયત્નશીલ છે.