ઇકોઝોનના વિરોધને શાંત કરવા વન વિભાગે પ્રયાસો શરુ કર્યા
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.15
ગીર જંગલ બોર્ડર આસપાસના ગામોમાં ઇકો – સેન્સેટિવ ઝોન લાગુ કરવા સરકારે નોટિફિકેશન બહાર પડતાની સાથે જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી સહિતના અનેક તાલુકામાં ઇકોઝોન નાબૂદ કરવા વિરોધ ઉઠવા પામ્યો છે આ વિરોધ હવે ગ્રામ્ય કક્ષા સુધી પોહચી ગયો છે જેમાં તમામ પક્ષ સહિતના આગેવાનો સાથે કિશાન સંઘ અને ખેડૂતો પણ વિરોધ કરીને ઇકોઝોન હટાવવાની માંગ સાથે સંમેલન સહીત અનેક રીતે વિરોધના સુર ઉઠવા પામ્યા છે જયારે વધારે વિરોધ વંટોળ શરુ થતા વન વિભાગે પણ આ વિરોધને શાંત કરવા પ્રયાસો શરુ કર્યા છે.
- Advertisement -
સાસણ ગીર સિંહ સદન ખાતે વન વિભાગના અધિકરીઓની એક ખાસ બેઠક મળી હતી અને પ્રેસ મીડિયાને સંબોધીને ઇકોઝોનમાં ખેડૂતોને જે ગેરસમજ ઉભી થઇ છે તે બાબતે ખુલાસો કરાયો હતો જેમાં ઇકો સેન્સેટિવ ઝોન 2016 લાગુ જ છે તેમાં 319 ગામો ઇકોઝોન હેઠલ આવતા હતા અને હવે નવી ગાઇડલાઈન મુજબ તેમાં ઘટાડો કરી 196 ગામોમાં ઇકોઝોન લાગુ થશે વધુમાં કહ્યું હતું કે, ખેડૂતોને જે ગેરસમજ છે તેમાં દીવાલો કરવી, કૂવા ખોદવા, ખેતર ફરતે વાડ કે ગોડાઉન બનાવવા જેવા કોઈ કામ માટે મંજૂરીની જરૂર નથી તેમજ કોમર્શિયલ જોખમી, મોટા ઉદ્યોગ કે પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગો માટે પાબંદી લાદવામાં આવી છે.સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ ઇકોઝોન માત્ર સિંહો માટે જ નહિ લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી ડ્રાફિ્ંટગ કરાયો છે. અને ઓર્ગેનિક ખેતી, બાગાયતી પાકો, કુટીર ઉદ્યોગને ઉત્તેજન મળશે તેની સાથે ઘર કે ઘરેલુ રીપેરીંગ માટે બાંધકામ કરવું કે નદીમાંથી રેતી લેવી જેવા મુદ્દે કોઈ મંજૂરીની આવશ્યકતા નથી તેમ વન વિભાગે ગામેગામ ઇકો ઝોન મામલે ઉઠેલા વિરોધને શાંત કરવા અને ગેરસમજ દૂર કરવા શરૂ કર્યા પ્રયાસો શરુ કર્યા છે.