સોરઠ પંથકમાં ઇકો સેન્સિટિવ ઝોન નાબૂદ કરવા ઠેર ઠેર જન આક્રોશ
વિસાવદરમાં ખેડૂત સંમેલન યોજાયું, પૂર્વ મંત્રી અને MLA રિબડીયા ઉપસ્થિત
- Advertisement -
ઇકોઝોનમાં સમાવિષ્ઠ ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોમાં રોષ પ્રગટ્યો
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.14
જૂનાગઢ જિલ્લા સહીત સોરઠ પંથકમાં ઇકો સેન્સેટિવ ઝોન લાગુ કરવા સરકાર દ્વારા જ્યારથી નોટિફિકેશન બહાર પડ્યું છે ત્યારથી તાલુકા લેવલે આગેવાનો અને ખેડૂતોમાં ઠેર ઠેર જન આક્રોશ જોવા મળી રહ્યો છે.જેમાં ભાજપ, કોંગ્રેસ અને આપના નેતાઓ પણ ઇકોઝોન હટાવવાની માંગ કરી આંદોલન ચલાવી રહ્યા છે ત્યારે હવે ઇકોઝોન નાબૂદ કરવા કિશાન સંઘ પણ મેદાનમાં ઉતર્યું છે.આજ રોજ વિસાવદરના માર્કેટીંગ યાર્ડ ખાતે કિસાન સંઘનું સંમેલન મળ્યું હતું જેમાં બોહળી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા અને આ કિશાન સંઘ સંમેલનમાં ઇકો સેન્સેટિવ ઝોન હટાવવાની માંગ ઉઠી હતી.વિસાવદર માર્કેટીંગ યાર્ડ ખાતે કિસાન સંઘની સભામાં મનસુખ પટોળીયા સાથે ભાજપના પૂર્વ મંત્રી કનુભાઈ ભાલાળા અને પૂર્વ ધારાસભ્ય હર્ષદ રીબડીયા સહિતના કિશાન સંઘના આગેવાનો ખેડૂતોની હાજરીમાં ઇકોઝોન નાબૂદ કરોના નારા સાથે સંમેલન યોજાયું હતું ત્યાર તમામ આગેવાનો ખેડૂતોની વિશાળ રેલી યોજી તાલુકા સેવાસદન ખાતે એકત્ર થઇને એક આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.જયારે આજે સાંજે વિસાવદર ના બરડીયા ગામે પણ ઇકોઝોનના વિરોધમાં મહા સંમેલન યોજાય રહ્યું છે જેમાં માલધારી સમાજ સહીત ખેડૂતો મોટી સંખ્યમાં ઉપસ્થિત રહેશે આમ વિસાવદર તાલુકામાં એકજ દિવસમાં ઇકોઝોન રદ કરવા બે સંમેલન યોજી વિરોધ પ્રદર્શિત જોવા મળે છે.
- Advertisement -
ઇકોઝોનના કાયદે બાબતે કિશાન સંઘના મનસુખ પટોળીયાએ જણાવ્યું હતું કે, આજે આવેદન પત્ર આપવામાં આવ્યું છે તે આવેદન પત્ર કેન્દ્રીય વન પર્યાવરણ મંત્રીને સંબોધીને આપવામાં આવ્યું છે.જેમાં હાલ જે ઇકોઝોન કાયદો આવવાથી ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થશે ત્યારે અમારે આ કાયદો જોઈતો નથી હાલ જે વન વિભાગ પાસે 2.14 લાખ ચોરસ કિમિ જગ્યા છે તેમાં વન વિભાગે જે કરવું હોઈ તે કરે પણ જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલીના જે ગામોમાં ઇકોઝોન લાગુ કરવાની વાત છે તેનો કિશાન સંઘ અને ખેડૂતો વિરોધ કરી રહ્યા છે જો આ કાયદો સરકાર રદ નહિ કરે તો ખેડૂતોને ન છૂટકે જન આંદોલન કરીને રસ્તા પર ઉતરવું પડશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. આજના આ સંમેલનમાં પૂર્વ ધારાસભ્ય હર્ષદ રીબડીયા એ કહ્યું હતું કે, જો આ ઇકોઝોનનો કાયદો પસાર થશે તો જગતના તાતને ભારે નુકશાની થશે હું પણ આ કાયદા માટે અગાઉ 2016માં લડાઈ લડીને વિરોધ કર્યો હતો આજે ફરી આ કાયદો લાગુ કરવાની જે વાત છે તેનો વિરોધ કરવા એક બિન રાજકીય કિશન સંઘને મારો ટેકો છે.અને ખેડૂતના દીકરા તરીકે હું આજે સભામાં ઉપસ્થિત રહ્યો છે અને ખેડૂતના હિતમાં લડત ચલાવીશું અને જો આ કાયદો આવવાથી ખેડૂતો ગુલામીની ઝંઝીરમાં ધકેલાશે તેમ જણાવ્યું હતું. સમગ્ર સોરઠ પંથકમાં ઇકોઝોન રદ કરવાની આગ ફેલાઈ છે તેવામાં દશેરા પર્વે તાલાલા અને મંદરડા તાલુકના ગ્રામ્ય વિસ્તારોમાં વિજયા દશમીના દિવસે ઇકોઝોનના રાક્ષસનું દહન કરવામાં આવ્યું હતું જેમાં મેંદરડાનાં ડેડકીયાળીમાં પૂતળા દહન કરીને સ્થાનિક લોકોએ રોષ પ્રગટ કર્યો હતો અને જો આ ઇકોઝોનનો કાયદો રદ નહિ થાય તો ખેડૂતો હજુ વધુ ઉગ્ર આંદોલન કરવા અચકાશે નહિ તેવી પણ ચીમકી ખેડૂતો ઉચ્ચારી રહ્યા છે.