ખેલૈયાઓ ધૂમ મચાવી લાખેણા ઈનામો જીતશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ શહેરમાં શ્રી લેઉવા પટેલ સોશ્યલ ગ્રુપ મવડીના સ્થાપનાના એક દાયકામાં સમૂહ લગ્ન, વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા સરસ્વતી સન્માન સમારોહ જેવી સફળ સામાજિક પ્રવૃત્તિઓ સાથે આ વર્ષે નવરાત્રિ મહોત્સવનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પાટીદાર સમાજ સાથે સર્વસમાજની બહેનો પણ ખૂબ જ ઉત્સાહથી ભાગ લેશે. આ આયોજન આગામી તા. 3થી 11 સુધી દરરોજ રાત્રે 9-00થી 12-00 વાગ્યા સુધી બીજા રીંગ રોડ પર પાટીદાર ચોકમાં કરવામાં આવ્યું છે.
આ આયોજનમાં ગુજરાતના ખ્યાતનામ કલાકારો સાથે 2 લાખ વોટની હાઈટેક સાઉન્ટ સિસ્ટમ, ગ્રાઉન્ડમાં એલઈડી સ્ક્રીન તેમજ મહેમાનો માટે વીવીઆઈપી બેઠક વ્યવસ્થા, દાતાઓ માટે અલગથી રિઝર્વ ગજીબા તેમજ દર્શકો માટે સુંદર બેઠક વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું છે. ગ્રાઉન્ડમાં લાઈટ ડેકોરેશન, સીસીટીવી કેમેરા તેમજ મેઈન સ્ટેજ પાછળ વિશાળ એલઈડી લગાડવામાં આવેલ છે. તદુપરાંત શહેરની ખ્યાતનામ ગોકુલ હોસ્પિટલ દ્વારા મેડિકલ ઈમરજન્સીની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. આ સાથે વિશાળ પાર્કિંગ સુવિધા છે.
આ આયોજનમાં દરરોજ સિનિયર તથા જુનિયર કેટેગરીમાં તેમજ વેલ ડ્રેસ કેટેગરીમાં ઈનામોની વણઝાર કરવામાં આવશે. છેલ્લે દિવસે મેગા ફાઈનલ રમાડવામાં આવશે તેમજ આ સાથે સેલ્ફીઝોન અને ફૂડ ઝોનનું ખાસ આકર્ષણ રહેશે. આ ઈવેન્ટનું દરરોજ લાઈવ પ્રસારણ કરવામાં આવશે.
શ્રી લેઉવા પટેલ સોશ્યલ ગ્રુપના મવડીના આ આયોજનને સફળ બનાવવા ચેરમેન જીતુભાઈ સોરઠીયા, જયેશભાઈ સોરઠીયા, મનસુખભાઈ વેકરીયા, મૌલીક સોરઠીયા, જયેશભાઈ મેઘાણી, ડી. કે. પટેલ, સંજયભાઈ ખુંટ, રાજુભાઈ સોરઠીયા, લલીતભાઈ સાવલીયા, વિજયભાઈ મેઘાણી, ગંગાદાસભાઈ ગજેરા, મિલનભાઈ મેનપરા, પ્રવીણભાઈ ગજેરા તેમજ સોશ્યલ ગ્રુપના 100થી વધુ સ્વયંસેવકોની ટીમ જહેમત ઉઠાવી
રહી છે.