પૂર્વ ચેરમેન જયંતીભાઇ કુંડલીયાના ગ્રાહક સેવાના સિદ્ધાંતતને અનુસરી બેંકને આજે અન્ય બે એવોર્ડ પ્રાપ્ત થતાં છઈઈ બેંક સ્ટાફ પરિવાર હર્ષની લાગણી અનુભવી રહી છે- ડો. પુરૂષોત્તમ પીપરીયા
પ્રસ્તુત પહેલી તસ્વીરમાં આરસીસી બેંકના સીઇઓ ડો. પુરૂષોત્તમ પીપરીયાને જ્યુરી મેમ્બર તરીકે સન્માનિત કરાતા દ્રષ્ટિગોચર થાય છે તેમજ બીજી તસ્વીરમાં NAFCUB અને GUJFED હોદ્ેદારો ડો. પુરૂષોત્તમ પીપરીયાને એવોર્ડ એનાયત કરતા દ્રષ્ટિગોચર થાય છે.
- Advertisement -
બેંકના સીઇઓ ડો. પુરૂષોત્તમ પીપરીયાની જ્યુરી તરીકે નિમણુક થઇ તે છઈઈ બેંક
માટે ખૂબ જ ગૌરવવંતી બાબત: ડો. બીનાબેન કુંડલીયા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.30
તાજેતરમાં જ તા. ર6-9-ર0ર4ના રોજ ગુજરાત અર્બન કો-ઓપરેટીવ બેંક્સ ફેડરેશન દ્વારા 5 સ્ટાર હોટલ લીલા, ગાંધીનગર મુકામે સહકાર સેતુ-ર0ર4નું મેગા ઇવેન્ટનુંં આયોજન કરવામાં આવેલ હતું અને કોન્ફરન્સ યોજવામાં આવેલ. જેમાં ગુજરાતભરની ર00થી વધુ કો-ઓપરેટીવ બેંકોના ચેરમેન, મેનેજીંગ ડિરેકટર, સીઇઓ, ડી.જી.એમ. સહિત અનેક સિનિયર લેવલના પદાધિકારીઓએ હાજરી આપેલ હતી, જેમાં રાજકોટ સ્થિત આવેલ ધી રાજકોટ કોમર્શિયલ કો-ઓપરેટીવ બેંક લી.ના સીઇઓ ડો. પુરૂષોત્તમ પીપરીયાની એવોર્ડ વિતરણ માટે પરફોર્મન્સ આધારીત બેંકોની પસંદગી કરવા જ્યુરી તરીકે નિમણુંક થતાં તેઓને ખાસ નિમંત્રીત કરેલ સાથે ડી.જી.એમ઼ પ્રકાશ શંખાવલા પણ ઉપસ્થિત રહેલ.
આ ઇવેન્ટમાં ગુજરાતભરની કો-ઓપરેટીવ બેંકોના ચેરમેન, એમ઼.ડી., વાઇસ ચેરમેન તેમજ સીઇઓ, ડીજીએમ, એજીએમ સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ હાજર રહેલ હતા.
પ્રવર્તમાન ટેકનોલોજીના યુગને ધ્યાને રાખી ફાયનાન્સીયલ સેકટરમાં ક્રાંતિ સાથે સાયબર સિક્યુરીટીના વિષયે વિશેષ પેનલ ડીસ્કટશનનું આયોજન કરવામાં આવેલ જે પેનલ ડિસ્કશન-1માં Building Values through Innovative & Smart Banking : Trends and Future Perspectives for UCBs ઉપર ડિસ્કશન કરેલ તેમજ પેનલ ડિસ્કશન-રમાં Out-Smarting the Smarter : The importance of Cyber Security in the time of hyper Digital Banking ઉપર ડિસ્કશન વિષય તજજ્ઞોએ કરેલ.
- Advertisement -
ઇવેન્ટમાં એવોર્ડ સેરેમનીમાં ખાસ કરીને જે બેંકોને 100 વર્ષ પૂરા થયા હોય તેને પ્રોત્સાહિત કરવામાં આવેલ તેમજ નાણાકીય વર્ષ ર0ર3-ર4માં કાસા ડિપોઝીટ, ગ્રોસ એનપીએ, નેટ ઇન્ટરેસ્ટ માર્જિન, એસેટ ક્વોલિટી, બીઝનેશ પર એમ્પલોય, હમ રેશીયો વિગેરે પેરામીટર ચકાસી શ્રેષ્ઠ કામગીરી કરનાર બેંકોને એવોર્ડથી નવાજવામાં આવેલ.
મહત્વની બાબત એ છે કે આ ઇવેન્ટમાં રાજકોટની ધી રાજકોટ કોમર્શિયલ કો-ઓપ. બેંક લી.ને ફરી એકવાર અલગ અલગ બે કેટેગરીમાં એવોર્ડ એનાયત થયેલ હતા જે બેંક માટે ખૂબ જ ગૌરવવંતી બાબત છે અને જેનાથી બેંક સ્ટાફ પરિવાર અને બેંકના બોર્ડ ઓફ ડિરેકટર્સમાં ખૂબ જ હર્ષ અને ઉલ્લાસની લાગણી છવાઇ ગયેલ છે.
બેંકના સ્થાપક અને પૂર્વ ચેરમેન જયંતિભાઇ કુંડલિયાના પુત્રી ડો. બીનાબેન કુંડલિયાની અનેક ક્ષ્ોત્રની સંચાલનક્યિ આવડતને કારણે બેંકે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય લેવલના અનેક એવોર્ડસ પ્રાપ્ત કરેલ છે, જેમાં બેસ્ટ સંચાલકનો એવોર્ડનો પણ સમાવેશ થાય છે તે અભિનંદનને પાત્ર છે.
આરસીસી બેંકના સીઇઓ ડો. પુરૂષોત્તમ પીપરીયાની ફરજના કાર્યકાળ દરમિયાન અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષ્ાાના આશરે 7પ જેટલા એવોર્ડ પ્રાપ્ત થયેલ છે. જેની ટુંકમાં માહિતી નીચે પ્રમાણે છે.
સહકારી બેંકોનુ પ્રતિષ્ઠિત મેગેઝીન બેંકો દ્વારા બેંકને સને-ર016, ર017, ર018, ર019, ર0ર0, ર0ર1 અને ર0ર3માં એવોર્ડ એનાયત થયેલ. વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન (ટઢઘ) દ્વારા સને-ર018માં બેંકને સન્માનિત કરી સન્માનપત્ર એનાયત થયેલ, ગુજરાત રાજય સહકારી સંઘ, અમદાવાદ, શિલ્ડ હરીફાઇ-ર019માં બેંકને પ્રથમ પ્રભાવક શિલ્ડ અને પ્રશસ્તિ પત્ર એનાયત થયેલ, ગુજરાત રાજય સહકારી સંઘ દ્વારા સને ર018-19 અને ર019-ર0ના વર્ષમાં ઉતમ કામ કરનાર નાગરિક સહકારી બેંક માટેની હરીફાઇમાં બેંકને પ્રથમ પ્રભાવક શિલ્ડ અને પ્રશસ્તિ પત્ર એનાયત થયેલ, સહકારી બેંકોનુ પ્રતિષ્ઠિત મેગેઝીન બેંકો દ્વારા આર.સી.સી. બેંકને સને-ર0ર1માં એવોર્ડ એનાયત થતા આશરે 7પ જેટલા એવોર્ડ આરસીસી બેંકએ હાંસલ કરી ઈતિહાસ રચ્યો છે અને ટોચનું સ્થાન હાંસલ કરેલ છે જે ખૂબ જ ગૌરવવંતી બાબત છે, તેમજ હાલ તાજેતરમાં આરસીસી બેંકને ગુજરાત અર્બન કો-ઓપ. બેંક્સ ફેડરેશન, સહકાર સેતુ-ર0ર4 દ્વારા ઈઅજઅ ઉયાજ્ઞતશતિં, ગયિં ઈંક્ષયિંયિતિં ખફલિશક્ષ એમ બે વિષય ઉપર ઉત્તમ કામગીરી કરવા બદલ બે એવોર્ડ એનાયત થયેલ છે જે આરસીસી બેંક માટે તેમજ બેંકના બોર્ડ ઓફ ડાયરેકટર્સ માટે ખૂબ જ ગૌરવવંતી બાબત છે.
આરસીસી બેંકને એવોર્ડ એનાયત થતા બેંકના સીઇઓ ડો. પુરૂષોત્તમ પીપરીયા ખાસ મંતવ્ય આપતા બેંક વિષયે જણાવેલ હતું કે, આરસીસી બેંકના સંચાલકો સેવા ક્ષ્ોત્રનો ભવ્ય ઇતિહાસ ધરાવે છે. બેંકના સ્થાપક અને પૂર્વ ચેરમેન જયંતીભાઇ કુંડલિયાના વિચારોને પ્રવર્તમાન બોર્ડ ઓફ ડાયરેકટર્સ આગળ વધારી રહૃાા છે તે નોંધનીય છે. કોરોના કાળમાં જ્યારે ધંધા-રોજગાર બંધ હતા ત્યારે આરસીસી બેંકે તેમના ગ્રાહકોને વ્યાજમાં પ0%ની રાહત આપી તે તેમની સામાજિક જવાબદારીની સભાનતા ઉજાગર કરે છે. મને જાણીને આનંદ થાય છે કે, બેંક કપરા સમયમાંથી બહાર આવી ફિનીક્સ પક્ષ્ાીની જેમ રાખમાંથી ઊંચી ઉડાન કરી રહી છે. આ અગાઉ પણ અગાઉના વર્ષના સમયગાળામાં આરસીસી બેંકને અનેક ઉચ્ચ કક્ષ્ાાના એવોર્ડસ એનાયત થયેલ જે બાબત અદ્વિતીય કહી શકાય.
ડો. પીપરીયાએ વધુમાં જણાવેલ હતું કે આજે આરસીસી બેંક જે ઉચ્ચતમ દિશામાં જઇ રહી છે તે સરાહનીય છે. ગ્રાહકોની ઇચ્છાને વાચા આપવામાં આરસીસી બેંક લાજવાબ કાર્ય કરી રહી છે તે નોંધનીય છે. આરસીસી બેંકે અનેક સિદ્ધિઓ હાંસલ કરીને બેંકના ઇતિહાસને વધારે ગૌરવશાળી બનાવેલ છે. આરસીસી બેંકને એવોર્ડ એનાયત થતાં બેંકના ડીજીએમ પ્રકાશ શંખાવલાએ ખાસ મંતવ્ય આપતા જણાવેલ હતું કે, બેંકની સફળતા પાછળ હંમેશા સ્ટાફ પરિવારનો સિંહ ફાળો હોય છે. બોર્ડ ઓફ ડિરેકટર્સના માર્ગદર્શન હેઠળ બેંકના સીઇઓ ડો. પુરૂષોત્તમ પીપરીયાના નેતૃત્વમાં સ્ટાફ પરિવારની કામગીરીના કારણે જ બેંક તેમના લક્ષ્યાંકો સિદ્ધ કરવામાં સફળ રહી છે. બેંક આર્થિક સક્ષ્ામતાની દ્રષ્ટિએ રાષ્ટ્રભરની બેંકોમાં પ્રથમ હરોળનું સ્થાન ધરાવે છે તે ગૌરવપ્રદ બાબત છે. બેંકના સ્ટાફ પરિવારની ગ્રાહક સેવા અવલ્લ નંબરે રહી હોવાથી બેંકના ગ્રાહકો રાજીપાની લાગણીઓ વ્યક્ત કરે છે અને જ્યારે આરસીસી બેંકને આ ઉચ્ચ કક્ષ્ાાના હજુ બે એવોર્ડ એનાયત થયેલ છે તેનાથી બેંક સ્ટાફ પરિવાર ખૂબ જ પ્રભાવિત થયેલ છે.
પ્રકાશ શંખાવલાએ વધુમાં જણાવેલ હતું કે, આરસીસી બેંક કોર્પોરેટ ગર્વનન્સના સિદ્ધાંતોને ચુસ્તપણે અમલવારી કરી સુચારૂ સંચાલન કરી રહી છે તે માટે બોર્ડ ઓફ ડાયરેટર્સ અને સ્ટાફ પરિવાર અભિનંદનને પાત્ર છે. મેં એ પણ જોયું છે કે બેંકનો સ્ટાફ પરિવાર પબ્લિક રિલેશનમાં સરાહનીય ફરજ બજાવી રહેલ છે. બેંકના સીઇઓ ડો. પુરૂષોત્તમ પીપરીયાના નેતૃત્વમાં બેંકે સેંકડો સિદ્ધિઓ હાંસલ કરી છે અને તેઓ તેમના સાથી કર્મચારીઓની કુનેહ પ્રમાણે કામગીરી લેવામાં પારંગત રહૃાા છે.
બેંકના એજીએમ અને આઇટી હેડ જુલી પીપરીયા જણાવે છે કે, બેંકના ગ્રાહકોને ડિઝીટલ સર્વિસ પુરી પાડવામાં બેંક ટેકનોલોજી સાથે કદમથી કદમ મિલાવી રહી છે જેના ભાગરૂપે બેંક હાલ મોબાઇલ બેંકિંગમાં UPI, BAPS, IMPS, RTGS, NEFT વિગેરે સર્વિસ અવિરતપણે આપી રહી છે જેનો જબરો પ્રતિસાદ આરસીસી બેંકના ગ્રાહકોમાં જોવા મળેલ છે.
વધુમાં આરસીસી બેંક વિષે કહીએ તો, બેંકના સંચાલનની જવાબદારી જ્યારે રાજકોટના ભામાશા શેઠ જયંતીભાઇ કુંડલિયાની પુત્રી ડો. બીનાબેન કુંડલિયા બોર્ડ ઓફ ડિરેકટર્સના માર્ગદર્શન હેઠળ નિભાવી રહૃાા હોય ત્યારે બેંક હરણફાળ ગતિએ પ્રગતિ કરે જ તે સ્વાભાવિક છે. આરસીસી બેંક સમાજના નબળા વર્ગને ઊંચે લાવવામાં વધુને વધુ સેવાઓ પ્રદાન કરે તેવી શુભકામના સાથે સંચાલકોને અભિનંદન પાઠવું છું.
આ ઇવેન્ટને સફળ બનાવવા માટે મુખ્ય મહેમાન તરીકે ગુજરાતના ચીફ મિનિસ્ટર ભૂપેન્દ્રભાઇ પટેલ, સહકાર મંત્રી જગદીશભાઇ વિશ્ર્વકર્મા, ગઅઋઈઞઇના ચેરમેન લક્ષ્મી દાસ, ૠઞઉંઋઊઉના ચેરમેન જ્યોતિન્દ્રભાઇ મહેતા વિગેરે મહાનુભાવોએ ખાસ ઉપસ્થિતિ આપી ઇવેન્ટને વધારે વેગવંતી બનાવેલ હતી.