ડેન્ગ્યુના 21, શરદી-ઉધરસના 942, સામાન્ય તાવના 64, ઝાડા-ઊલટીના 349 કેસ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
શહેરમાં વરસાદ બાદ અનેક જગ્યાએ પાણી અને ગંદકીને લીધે રોગચાળાએ ભરડો લીધો છે. પાણી જન્ય અને મચ્છ જન્ય રોગનું પ્રમાણ વધ્યું છે. અને એક સાથે 21 ડેંગ્યુના કેસ મનપાના આરોગ્ય વિભાગ દ્વારા નોંધવામાં આવ્યા છે. ડોર ટુ ડોર કામગીરી હાથ ધરી આરોગ્ય વિભાગે 4109 ઘરોમાં ફોગીંગ કરી મચ્છર ઉત્તપતિ સબબ 446 આસામીઓને નોટીસ ફટકારી રૂા. 43 હજારનો વહીવટી ચાર્જ વસુલવામાં આવ્યો હતો. શરદી-ઉધરસના 942, સામાન્ય તાવના 645, ઝાડા ઉલ્ટીના 349, ટાઇફોઇડના 2 અને કોલેરાનો 1 કેસ નોંધાયો છે.
આ રોગચાળા દ્વારા ઊભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગર પાલિકા દ્વારા તમામ સ્તરે ઘનિષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે. વાહક નિયંત્રણની કામગીરી હેઠળ તા.02/9/24 થી તા.08/09/2024 દરમ્યાન પોરાનાશક કામગીરી હેઠળ આરોગ્ય કેન્દ્રના આશાવર્કર તથા વી.બી.ડી. વોલેન્ટીયર્સ સહિત ની 360 ટીમો દ્વારા 99,435 ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવેલ છે તથા ફિલ્ડવર્કરો દ્વારા 4929 ઘરોમાં ફોગીંગ કામગીરી કરેલ છે.
મચ્છરની ઘનતા વધુ હોય તેવા વિસ્તારોમાં વહિકલ માઉન્ટેન ફોગીંગ મશીન ફોગીંગ કામગીરી કરવામાં આવે છે. સંવેદનશીલ સોસાયટી, મુખ્ય મંદિરો, બગીચા, ખુલ્લા પ્લોટ, સરકારી શાળાઓ, જાહેર રસ્તાઓ તથા વધુ માનવસમુદાય એકઠો થતો હોય તેવા તમામ વિસ્તારો ફોગીંગ કામગીરી હેઠળ આવરી લેવામાં આવેલ છે. ડેન્ગ્યુ રોગ અટકાયતીના ભાગરૂૂૂપે શહેરી વિસ્તારમાં રહેણાક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પલેકસ, ઔધોગિક એકમો, વ્યાપાર ધંધાનાસ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પતિ સ્થાનો જોવા ળશે તો જગ્યાના માલિક કે ભોગવટો કરનાર કે જવાબદાર આસામી સીધી રીતે જવાબદાર ગણી બાયલોઝ અંતર્ગત તેની વિરૂૂૂદ્ધ મચ્છર ઉત્પતિ સબબ નોટીસ તથા વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે.
- Advertisement -
આ કામગીરી હેઠળ રહેણાક સિવાય અન્ય 312 પ્રીમાઇસીસ (બાંઘકામ સાઇટ, સ્કૂલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ / વાડી / પાર્ટી પ્લોટ, ધાર્મિક સ્થળ, પેટ્રોલ પં5, સરકારી કચેરી વગેરે) નો મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવેલ છે. જેમાં મચ્છર ઉત્પતિ સબબ રહેણાંક માં 316 અને કોર્મશીયલ 60 આસામીને નોટીસ આપવામાં આવેલ તથા રૂા.8,200/- નો વહિવટી ચાર્જ વસુલવામાં આવેલ છે.