પાલિકા પ્રમુખ અને સેનિટેશન ચેરમેનનો પ્રજાલક્ષી નિર્ણય
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.9
દેશના વડાપ્રધાન સ્વચ્છતા અંતર્ગત અથાગ મહેનત કરી દેશને સ્વચ્છ બનાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે તેવામાં રાજ્ય સરકાર પણ સ્વચ્છતા અંગે અતિ સંવેદનશીલતા થી કાર્યરત છે ત્યારે ધ્રાંગધ્રા નગરપાલિકા ખાતે પણ સ્વચ્છતા અંતર્ગત દર મહિને લાખોનો ખર્ચ થતો હોય છે પરંતુ સ્વચ્છતા માટે ચાલતા ડોર ટુ ડોર વાહન અને ભૂગર્ભ ગટરોની સફાઈ માટે આપેલા કોન્ટ્રાકટર દ્વારા સફાઈના નામે દર મહિને લાખોના બિલો ઉઘરાવી સ્થાનિક નગરપાલિકાને ચૂનો લગાવતા પણ નજરે પડે છે. ભૂગર્ભ ગટરની સફાઈ માટે દર મહિને આશરે ચાર લાખ જેટલું બિલ ચુવવા છતાં પણ સ્થાનક રહીશોની અનેક ફરિયાદો મહિનાઓ સુધી અધ્ધરતાલ હોવાની ફરીયાદો ઉઠવા પામે છે જેને લઇ ધ્રાંગધ્રા નગરપાલિકાના પ્રમુખ કુલદીપસિંહ ઝાલા અને સેનીટેશન ચેરમેન પ્રવીણભાઈ દ્વારા ભૂગર્ભ ગટરની ફરિયાદ માટે એક ટેલીફોનીક નબર જાહેર કરવામાં આવ્યો છે. જેમાં સ્થાનિક રહીશો દ્વારા આ નંબર પર ભૂગર્ભ ગટર અંગે કોઈપણ પ્રકારની ફરિયાદ કરી શકે છે.
- Advertisement -
જ્યારે પાલિકા પ્રમખ કુલદીપસિંહ ઝાલા દ્વારા જણાવાયું હતું કે ” ભૂગર્ભ ગટર અંગે ધ્રાંગધ્રા શહેરના રહીશોને અનેક વખત લેખિત રજૂઆત માટે નગરપાલિકાના ધક્કા ખાવા મજબૂર બને છે પરંતુ હવે રહીશોને નગરપાલિકાના ધક્કા ખાવા ન પડે તે માટે ટેલીફોનીક નંબર 7359090789 પર સંપર્ક કરી પોતાના વિસ્તારમાં ભૂગર્ભ ગટર બાબતની ફરિયાદ નોંધાવી શકે છે સાથે જ કોઈપણ નાગરિક દ્વારા કરેલ ફરિયાદનું વધુમાં વધુ ઝડપી નિરાકરણ આવે તે માટેના પ્રયત્નો પણ હાથ ધરાય તે પ્રકારની કામગીરી શરૂ કરાઇ છે ત્યારે નગપલિકા દ્વારા લોકોની સરળતા માટે લેવામાં આવેલ નિર્ણય પ્રજા લક્ષી હોવાનું ગણી શકાય છે.