By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    હુથી વિદ્રોહીઓના હુમલા બાદ યમનના સનામાં ઇઝરાયલી બોમ્બમારાથી છ લોકોના મોત
    1 day ago
    ભારત દ્વારા પાણી છોડવામાં આવતાં પંજાબની નદીઓમાં પાણી ભરાયા
    1 day ago
    શ્રીલંકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘેની રાજ્ય ભંડોળના દુરુપયોગ કેસમાં ધરપકડ
    4 days ago
    દક્ષિણ અમેરિકામાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીનો કોઈ ખતરો નથી
    4 days ago
    ટ્રમ્પનો અજીબો-ગરીબ હુકમ મેક્સિકો બોર્ડર વૉલ કાળા રંગે રંગાશે, ઘૂસણખોરોને રોકવા નવી તરકીબ
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ડોનાલ્ડ ટ્રમ્પે 50% ટેરિફ લાદતાં અમેરિકા-ભારત વેપાર યુદ્ધ વધુ તીવ્ર બન્યું
    28 minutes ago
    પ્રધાનમંત્રી મોદીએ મારુતિ સુઝુકીના પ્રથમ ઇલેક્ટ્રિક વાહનોનું લોકાપર્ણ કર્યું
    44 minutes ago
    Fake Medicine Racket: આવકવેરાની તપાસ શરૂ, નકલી દવા સિન્ડિકેટ ચેન્નાઈથી નેપાળ સુધી ફેલાયું; 450 કરોડનું ટર્નઓવર
    57 minutes ago
    સમય રૈનાએ દિવ્યાંગોની મજાક ઉડાવવા બદલ સુપ્રીમ કોર્ટે ફટકાર લગાવી 
    1 day ago
    ભારત જ્યાંથી ‘શ્રેષ્ઠ ડીલ’ મળશે ત્યાંથી તેલ ખરીદશે: રશિયામાં ભારતીય રાજદૂત
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ચેતેશ્ર્વર પુજારાની ક્રિકેટમાંથી નિવૃત્તિ : ‘યંગ ક્રિકેટરોને તક મળે તે માટે લીધો નિર્ણય’
    21 hours ago
    ડ્રીમ11 એ BCCI ને કહ્યું કે તે હવે ભારતીય ક્રિકેટ ટીમને સ્પોન્સર કરશે નહીં; બોર્ડે સત્તાવાર રીતે કરાર સમાપ્ત કર્યો
    24 hours ago
    એશિયા કપમાં ભારત – પાકિસ્તાન મેચ યોજાશે : સરકારે મંજૂરી આપી
    4 days ago
    એશિયા કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, સૂર્યા કેપ્ટન અને ગિલ વાઈસ કેપ્ટન
    7 days ago
    સચિન તેંડુલકરના પુત્ર અર્જુનની સગાઈ સાનિયા ચંડોક સાથે થઈ
    2 weeks ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    પરિણીતી ચોપડા અને રાઘવ ચડ્ઢાની ઘરે બંધાશે પારણું
    1 day ago
    સાઉથ ઈન્ડિયાની એ ફિલ્મ જેમાં બોબી દેઓલ થલાપતિ વિજયની સામે એક વિલનનો રોલ પ્લે કરશે
    1 day ago
    એઆઈ નવી ઊભરતી પ્રતિભા અને મ્યુઝિકની ક્રિએટિવિટીને ગળે ટુંપો દઈ દેશે: આશા ભોસલે
    4 days ago
    શ્રીમતી કોમલ હાથી પણ તારક મહેતા શો છોડશે?
    6 days ago
    રાજસ્થાનની મનિકા વિશ્વકર્માએ મિસ યુનિવર્સ ઈન્ડિયા 2025નો તાજ પહેર્યો
    7 days ago
  • ધર્મ
    ધર્મShow More
    શા માટે ઉજવવામાં આવે છે ગણેશ ચતુર્થીનો તહેવાર? ચાલો જાણીએ તેની પાછળનું મહત્વ
    2 hours ago
    Ganesh Chaturthi 2025: ક્યારે ગણપતિજીનું સ્થાપન અને વિસર્જનનું કરવું?
    24 hours ago
    પર્યુષણ પર્વ નિમિત્તે : તીર્થંકરની માતાને આવેલા ચૌદ મહા સ્વપ્નોનું મહાત્મ્ય
    3 days ago
    ગણેશ ચતુર્થી:ગણપતિજીની સ્થાપના કરતી વખતે આ બાબતોનું ખાસ ધ્યાન રાખો
    3 days ago
    ગણેશ ચતુર્થી: આ વર્ષે ગણેશ ચતુર્થીએ આપનાવો આ ઉપાય
    4 days ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    દત્તોપંત ઠેંગડી લાયબ્રેરીની આરદેશણાનાં પાપે અવદશા: સુનિલ દેત્રોજાએ પાળ પીટી નાંખી
    21 hours ago
    કરોડોના કૌભાંડનાં તાર પોરબંદર સુધી પહોંચે છે
    5 days ago
    દિનેશ સદાદિયાને બચાવવા કિરીટ પરમાર, આરદેશણા, પૂજારા અને દિક્ષિત પટેલનાં ધમપછાડા
    6 days ago
    સુનિલ દેત્રોજાએ સાધુ વાસવાણી રોડ પર આવેલી શ્રી બાબુભાઇ વૈદ્ય લાઇબ્રેરીની પથારી ફેરવી નાંખી
    6 days ago
    માનીતા શિક્ષકોને સાચવી લેવા નિયમ વિરૂદ્ધ બે પાળીમાં ચાલતી સ્કૂલો
    2 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: પદભાર ગ્રહણ કરતાં પહેલાં નેતાઓ શા માટે લે છે શપથ, ઇતિહાસ, બંધારણ શું કહે છે?
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > પદભાર ગ્રહણ કરતાં પહેલાં નેતાઓ શા માટે લે છે શપથ, ઇતિહાસ, બંધારણ શું કહે છે?
રાષ્ટ્રીય

પદભાર ગ્રહણ કરતાં પહેલાં નેતાઓ શા માટે લે છે શપથ, ઇતિહાસ, બંધારણ શું કહે છે?

Khaskhabar Editor
Last updated: 2024/06/10 at 5:44 PM
Khaskhabar Editor 1 year ago
Share
6 Min Read
SHARE

ઑપ ઈન્ડિયા, ગુજરાતી
ભારતમાં પ્રાચીનકાળથી શપથગ્રહણની પરંપરા ચાલી આવે છે. જે આજે પણ અકબંધ છે. હવે તેમાં થોડા પરિવર્તનો કરી દેવામાં આવ્યા છે, પરંતુ લોકતાંત્રિક ઢબે થતી આ પ્રક્રિયા આપણાં દેશમાં રાજાશાહીમાં પણ થતી હતી. રાજાઓ પણ પ્રજાના કલ્યાણ અને સુખાકારી માટે શપથ ગ્રહણ કરતાં હતા. ગઉઅના નેતા નરેન્દ્ર મોદી અને તેમનું મંત્રીમંડળ 9 જૂન, 2024ના રોજ સાંજે 7.15 કલાકે રાષ્ટ્રપતિ ભવન ખાતે શપથગ્રહણ કરવા જઈ રહ્યા છે. જવાહરલાલ નહેરુ પછી નરેન્દ્ર મોદી બીજા નેતા છે, જે ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેશે. જોકે, નરેન્દ્ર મોદીના નામે વધુ એક રસપ્રદ રેકોર્ડ પણ નોંધાયો છે. જે 24 વર્ષમાં 7 વખત શપથ લેવાનો છે. તેમણે ચાર વખત મુખ્યમંત્રી અને 2 વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા છે. જ્યારે હવે તેઓ ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેવા જઈ રહ્યા છે. તમામ મુખ્યમંત્રીએ, તેમના મંત્રીઓ, વડાપ્રધાનો અને તેમનું મંત્રીમંડળ તેમજ રાજ્યપાલ, રાષ્ટ્રપતિ, સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ વગેરે પદભાર સંભાળતા પહેલાં શપથ લે છે. ત્યારે એ જાણવું પણ ખૂબ આવશ્ર્યક બની રહી છે કે, શા માટે તમામ નેતાઓને શપથ લેવા અનિવાર્ય છે અને જો શપથનો ભંગ થાય તો તેના માટે દંડની શું જોગવાઈ છે. ભારત એક લોકતાંત્રિક દેશ છે. તેથી તમામ નેતાઓએ શપથ લેવા અનિવાર્ય છે. બંધારણ અનુસાર, કોઈપણ ચૂંટાયેલા નેતા જ્યાં સુધી શપથગ્રહણ ન કરે ત્યાં સુધી તેઓ પદભાર સંભાળી શકે નહીં અને સરકારમાં રહીને કાર્ય પણ કરી શકે નહીં. સામાન્ય રીતે લોકતાંત્રિક દેશોમાં શપથગ્રહણનું વિશેષ મહત્વ હોય છે. પરંતુ ભારતમાં પ્રાચીનકાળથી શપથગ્રહણ વિધિ ચાલતી આવે છે. પહેલાંના સમયમાં રાજા-મહારાજાઓ પણ શપથગ્રહણ કરીને જ રાજ્યનો કારભાર સંભાળતા હતા.

શપથગ્રહણનો ઇતિહાસ
શપથગ્રહણ પ્રાચીનકાળથી જ ભારતીય પરંપરાનો એક ભાગ રહ્યો છે. વૈદિક યુગમાં ઋષિ-મુનિઓ ધાર્મિક અનુષ્ઠાનો દરમિયાન શપથગ્રહણ કરતાં હતા. રામાયણ અને મહાભારતમાં પણ વિભિન્ન પાત્રોને શપથ લેતા દર્શાવવામાં આવ્યા છે. જે આ પ્રથાના દીર્ઘકાલિન સાંસ્કૃતિક મહત્વને ઉજાગર કરે છે. પ્રાચીનયુગમાં શપથ કે પ્રતિજ્ઞાનું ખૂબ મહત્વ માનવામાં આવતું હતું. ધાર્મિક મહત્વના કારણે લીધેલા શપથ તોડવા તે મહાપાપ ગણાતું હતું. મહાભારતકાળમાં ભીષ્મની પ્રતિજ્ઞાનું ઘણું મહત્વ છે. તેમણે હસ્તિનાપુર રાજ્યના રક્ષણ માટે આજીવન બ્રહ્મચારી રહેવાના અને હસ્તિનાપુરનું રક્ષણ કરવાના શપથ લીધા હતા. તે સિવાય મહાભારતકાળમાં મહાબલી ભીમે પણ દુર્યોધનના મૃત્યુના શપથ લીધા હતા. તે સમયે કોઈપણ મૂર્તિ કે પ્રકૃતિના તત્વને સાક્ષી માનીને શપથ લેવામાં આવતા હતા. પિતામહ ભીષ્મે માતા ગંગાને સાક્ષીમાં રાખીને હસ્તિનાપુરની રક્ષા કરવાના શપથ લીધા હતા. તે ઉપરાંત પ્રાચીનકાળમાં ક્ષત્રિય રાજા-મહારાજાઓ પણ શપથ લેતા હતા. તેઓ પવિત્ર સેંગોલ (બ્રહ્મદંડ/રાજદંડ)ને સાક્ષીમાં રાખીને શપથ લેતા હતા. ઘણીવાર બ્રાહ્મણ કે કોઈ ઋષિને સાક્ષીમાં રાખીને પણ શપથ લેવામાં આવતા હતા. પ્રાચીન રાજાઓ શપથમાં રાજ્યની પ્રજાના કલ્યાણ અને સુખાકારીની કામના કરતાં હતા. તે સિવાય રાજ્યના તમામ પ્રજાજનોની રક્ષા કરવી અને રાજ્ય સાથે વફાદાર રહેવાના પણ શપથ લેવામાં આવતા હતા. શપથગ્રહણ સમારોહ છેક બ્રિટિશકાળ સુધી ભારતીય પરંપરાનો એક ભાગ હતો. 1873માં બ્રિટિશ સરકારે ‘ભારતીય ન્યાયાલય અધિનિયમ’ લાગુ કર્યો હતો, જેમાં ધાર્મિક પુસ્તકો પર શપથ લેવાની જોગવાઈ હતી. સ્વતંત્રતા બાદ 1969માં ભારતીય ન્યાયાલય અધિનિયમમાં સંશોધન કરીને તેને ‘શપથ અધિનિયમ’ તરીકે સ્થાપિત કરવામાં આવ્યો હતો. જેનાથી આ પ્રક્રિયા ધર્મનિરપેક્ષ બની ગઈ હતી. જોકે, બાદમાં કોર્ટે ધર્મના નામે શપથ લેવાની પ્રથાને ફરીથી શરૂ કરી દીધી હતી. નોંધવા જેવું છે કે, સ્વતંત્રતા બાદ પહેલો શપથગ્રહણ સમારોહ જવાહરલાલ નહેરુ માટે યોજવામાં આવ્યો હતો, જેનું સંચાલન ગવર્નર-જનરલ લોર્ડ માઉન્ટબેટને કર્યું હતું.

- Advertisement -

શપથના પ્રકારો
રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, મંત્રી, પંચ-સરપંચ અને સરકારી કર્મચારીઓ પોતાના પદની ગરિમા જાળવી રાખવા, ઈમાનદારી અને નિષ્પક્ષતાથી કામ કરવા અને દેશની સંપ્રભુતા અને અખંડિતતાને જાળવી રાખવા માટેના શપથ લે છે. શપથ હિન્દી અને અંગ્રેજી સહિત કોઈપણ ભારતીય ભાષામાં લઈ શકાય છે. નોંધવા જેવું છે કે, ભારતના 13મા રાષ્ટ્રપતિ શંકર દયાલ શર્માએ સંસ્કૃત ભાષામાં શપથગ્રહણ કર્યા હતા. રાષ્ટ્રપતિ દેશના વડાપ્રધાનને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવે છે. સાથે જ મંત્રીઓને પણ તેઓ શપથ લેવડાવે છે. પહેલાં કેબિનેટ મંત્રીઓ અને ત્યારબાદ સ્વતંત્ર પ્રભારવાળા રાજ્ય મંત્રીઓને સૌથી છેલ્લે રાજ્ય મંત્રીઓને શપથ લેવડાવવામાં આવે છે. અહીં મહત્વની વાત એ છે કે, મંત્રીઓ માટે બે પ્રકારના શપથ હોય છે. જે આપણે મુદ્દાસર સમજવા પ્રયાસ કરીએ.

શપથગ્રહણનું મહત્વ
સાંસદો, ધારાસભ્યો, વડાપ્રધાન અને મંત્રીઓએ પદભાર ગ્રહણ કર્યા પહેલાં ભારતીય બંધારણનું સન્માન કરવાના શપથ લેવા અનિવાર્ય છે. શપથગ્રહણનું ધાર્મિક મહત્વ તો છે જ, પણ તેની સાથે તેનું બંધારણીય મહત્વ પણ છે. શપથ લીધા વગરના કોઈપણ નાયકને નેતા તરીકેનો દરજ્જો મળી શકતો નથી. શપથ લીધા વિના કોઈપણ નેતા સરકારી કામમાં ભાગ લઈ શકે નહીં. તેમને ગૃહમાં બેઠક ફાળવી શકાતી નથી. એટલું જ નહીં, પરંતુ તેમને ગૃહમાં બોલવાનો, મુદ્દાઓ ઉઠાવવાનો, નોટિસ આપવાનો અને ત્યાં સુધી કે, પગાર મેળવવાનો અધિકાર પણ રહેતો નથી. શપથ બંધારણીય પદ ગ્રહણ કરવાની એક મહત્વપૂર્ણ પ્રક્રિયા છે. જે સરકારી કાર્ય અને સંસદીય કાર્યવાહીમાં ભાગીદારીને સક્ષમ બનાવે છે. શપથગ્રહણ કોઈપણ નેતાને પોતાના રાષ્ટ્ર પ્રત્યે અને બંધારણ પ્રત્યે વફાદાર રહેવા માટે સજાગ કરે છે. દેશની સંપ્રભુતા અને અખંડિતતા બનાવી રાખવા માટે શપથનું ઘણું મહત્વ છે. તેથી શપથગ્રહણ સમારોહને સરકારનો સૌથી મોટો ઉત્સવ ગણવામાં આવે છે. જ્યારે કોઈ નેતા શપથગ્રહણ કરી લે છે, ત્યારે જ તેઓ તે પદ પર નિયુક્ત થઈ શકે છે. લોકોએ ચૂંટીને મોકલ્યા હોવા છતાં, જ્યાં સુધી શપથગ્રહણ ન થાય ત્યાં સુધી તેઓ કોઈપણ પ્રકારના પદ પર રહી શકતા નથી.

પદના શપથ
સાંસદ અને ધારાસભ્ય પોતાના પદની ગરિમા બનાવી રાખવા માટે, ઈમાનદારી અને નિષ્પક્ષતાથી કામ કરવા તથા દેશની સંપ્રભુતા અને અખંડિતતાને જાળવી રાખવાના શપથ લે છે. સાંસદ અને ધારાસભ્ય બનેલા દરેક સભ્યને આ શપથ લેવા અનિવાર્ય છે. તેમાં મંત્રીઓનો પણ સમાવેશ થઈ જાય છે. પદભાર ગ્રહણ કરવાના શપથ વિશેષ માનવામાં આવે છે.

- Advertisement -

You Might Also Like

ડોનાલ્ડ ટ્રમ્પે 50% ટેરિફ લાદતાં અમેરિકા-ભારત વેપાર યુદ્ધ વધુ તીવ્ર બન્યું

પ્રધાનમંત્રી મોદીએ મારુતિ સુઝુકીના પ્રથમ ઇલેક્ટ્રિક વાહનોનું લોકાપર્ણ કર્યું

Fake Medicine Racket: આવકવેરાની તપાસ શરૂ, નકલી દવા સિન્ડિકેટ ચેન્નાઈથી નેપાળ સુધી ફેલાયું; 450 કરોડનું ટર્નઓવર

સમય રૈનાએ દિવ્યાંગોની મજાક ઉડાવવા બદલ સુપ્રીમ કોર્ટે ફટકાર લગાવી 

ભારત જ્યાંથી ‘શ્રેષ્ઠ ડીલ’ મળશે ત્યાંથી તેલ ખરીદશે: રશિયામાં ભારતીય રાજદૂત

TAGGED: Constitution, oath, PM Modi
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article વાડી સ્વામિનારાયણ મંદિરમાં જ 14 વર્ષની તરૂણી પર દુષ્કર્મ આચરનાર કોઠારી સ્વામી અન્ડરગ્રાઉન્ડ થયો…
Next Article ગઠબંધન સરકારમાં મોદીની ક્ષમતાનું હવે થશે પરિક્ષણ: વિદેશી મીડિયાનો સૂર

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

ડોનાલ્ડ ટ્રમ્પે 50% ટેરિફ લાદતાં અમેરિકા-ભારત વેપાર યુદ્ધ વધુ તીવ્ર બન્યું

Khaskhabar Editor Khaskhabar Editor 28 minutes ago
પ્રધાનમંત્રી મોદીએ મારુતિ સુઝુકીના પ્રથમ ઇલેક્ટ્રિક વાહનોનું લોકાપર્ણ કર્યું
Fake Medicine Racket: આવકવેરાની તપાસ શરૂ, નકલી દવા સિન્ડિકેટ ચેન્નાઈથી નેપાળ સુધી ફેલાયું; 450 કરોડનું ટર્નઓવર
ચોટીલાના સાલખડા ગામે દેશી દારૂ સાથે અખાદ્ય ગોળનો જથ્થો ઝડપાયો
ભયંકર વિસ્ફોટથી અનેક મકાનો અને વાહનોને નુકસાન
રાજકોટ સેશન્સ કોર્ટના નિવૃત્ત ક્લાર્ક દંપતી ડિજિટલ એરેસ્ટનો ભોગ બન્યા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

ડોનાલ્ડ ટ્રમ્પે 50% ટેરિફ લાદતાં અમેરિકા-ભારત વેપાર યુદ્ધ વધુ તીવ્ર બન્યું

Khaskhabar Editor Khaskhabar Editor 28 minutes ago
રાષ્ટ્રીય

પ્રધાનમંત્રી મોદીએ મારુતિ સુઝુકીના પ્રથમ ઇલેક્ટ્રિક વાહનોનું લોકાપર્ણ કર્યું

Khaskhabar Editor Khaskhabar Editor 44 minutes ago
રાષ્ટ્રીય

Fake Medicine Racket: આવકવેરાની તપાસ શરૂ, નકલી દવા સિન્ડિકેટ ચેન્નાઈથી નેપાળ સુધી ફેલાયું; 450 કરોડનું ટર્નઓવર

Khaskhabar Editor Khaskhabar Editor 57 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?