By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારત અને પાકિસ્તાન વચ્ચે ન્યૂક્લિયર વોર થઈ હોત, અમે એને રોકી: ટ્રમ્પ
    19 hours ago
    દુબઈમાં કેરળ સમુદાય દ્વારા પાકિસ્તાનના શાહિદ આફ્રિદીનું સ્વાગત કરવામાં આવતા લોકોમાં રોષ: ‘શરમજનક’
    22 hours ago
    ટ્રમ્પની ટેરિફ વોર: અમેરિકામાં વિદેશી સ્ટીલ પર 50 ટકા ટેરિફ લાદવામાં આવ્યું
    23 hours ago
    બલુચિસ્તાન લિબરેશન આર્મીએ પાકિસ્તાનના સુરાબ શહેર પર કબજો કર્યો
    24 hours ago
    1 જુલાઈથી ફ્રાન્સમાં જાહેરમાં ધુમ્રપાન કરવા પર પ્રતિબંધ, નિયમ ભંગ કરનારને 13 હજાર રૂપિયાનો દંડ કરાશે
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઉત્તર પશ્ચિમ ભારતમાં પશ્ચિમી વિક્ષેપ સાથે આગામી 4-5 દિવસ સુધી ગાજવીજ અને તેજ પવન સાથે વરસાદ પડશે
    22 hours ago
    ‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન પાકિસ્તાને સૌથી પહેલા સંપર્ક કરી સીઝફાયરની રજૂઆત કરી હતી: પૂર્વ વિદેશ મંત્રી સલમાન ખુર્શીદ
    22 hours ago
    PM મોદી ભોપાલમાં, દેવી અહલ્યાબાઈ મહિલા શક્તિકરણ મહાસંમેલનમાં ભાગ લીધો
    23 hours ago
    થરૂરની નારાજગી બાદ કોલંબિયાએ પાકિસ્તાન અંગેનું નિવેદન પાછું ખેંચ્યું
    23 hours ago
    ઉત્તરાખંડમાં વરસાદની ચેતવણી: કેદારનાથ હાઇવે પર ભૂસ્ખલન, એક શ્રદ્ધાળુનું મોત, પાંચ લોકો ઘાયલ થયા
    23 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    દક્ષિણ આફ્રિકા અને બાંગ્લાદેશના ખેલાડીઓ વચ્ચે બબાલ, મેદાનમાં બાખડ્યા
    3 days ago
    PBKS vs RCB: આજની મેચમાં જે ટીમ જીતશે એ સીધી ફાઇનલમાં, અને જે ટીમ હારશે એને એક મોકો મળશે
    3 days ago
    55 વર્ષીય કામી રીતા શેરપાએ 31 વખત માઉન્ટ એવરેસ્ટ ચઢીને પોતાનો જ રેકોર્ડ તોડ્યો
    4 days ago
    પંજાબનું સ્થાન ટોપ-ટુમાં ફાઈનલ : મુંબઈ 4થા ક્રમે, એલિમિનેટર રમવો પડશે
    5 days ago
    IPL 2025 ના સમાપન સમારોહ દરમિયાન BCCI ભારતીય સશસ્ત્ર દળોનું સન્માન કરશે
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    લગ જા ગલે નામની ફિલ્મમાં ટાઈગર સાથે જાહ્નવી દેખાશે! લોકોએ કરી ટીકા
    2 days ago
    ગુજરાતના થિયેટર કિંગ કૌસ્તુભ ત્રિવેદીનું 69 વર્ષની વયે નિધન!
    4 days ago
    આ કારણથી પ્રભાસની સ્પિરિટ ફિલ્મમાં દીપિકાને રિપ્લેસ કરવામાં આવી
    5 days ago
    ગૌહર ખાન સાથે બ્રેકઅપને લઈને કુશાલ ટંડનએ ખુલાસો કર્યો
    5 days ago
    કાન ફિલ્મ ફેસ્ટિવલ: ભારતીય ફેશન ડિઝાઇનર તરીકે ટીના રંકાએ ગુજરાતનો ડંકો વગાડ્યો
    6 days ago
  • ધર્મ
    ધર્મShow More
    આટલું ધ્યાન રાખાશો તો નિર્જળા એકાદશીનું વ્રત નહિ તૂટે
    2 days ago
    આજે શનિજયંતી અને સોમવતી અમાસ
    6 days ago
    આ વખતે 2 દિવસ નિર્જળા એકાદશી છે, જાણો પારણાનો સમય કયો છે
    2 weeks ago
    બલુચિસ્તાન સ્વતંત્ર થશે તો લોહાણા, સિંધી ભક્તજનો માટે બે ઐતિહાસિક હિન્દુ મંદિરોના દ્વાર ખુલશે…
    2 weeks ago
    જાણો આજે ઉજવાતા બુદ્ધ પૂર્ણિમા ત્યોહારના મહત્વ વિશે…
    3 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    4 days ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    1 week ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    3 weeks ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    3 weeks ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: પદભાર ગ્રહણ કરતાં પહેલાં નેતાઓ શા માટે લે છે શપથ, ઇતિહાસ, બંધારણ શું કહે છે?
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > પદભાર ગ્રહણ કરતાં પહેલાં નેતાઓ શા માટે લે છે શપથ, ઇતિહાસ, બંધારણ શું કહે છે?
રાષ્ટ્રીય

પદભાર ગ્રહણ કરતાં પહેલાં નેતાઓ શા માટે લે છે શપથ, ઇતિહાસ, બંધારણ શું કહે છે?

Khaskhabar Editor
Last updated: 2024/06/10 at 5:44 PM
Khaskhabar Editor 12 months ago
Share
6 Min Read
SHARE

ઑપ ઈન્ડિયા, ગુજરાતી
ભારતમાં પ્રાચીનકાળથી શપથગ્રહણની પરંપરા ચાલી આવે છે. જે આજે પણ અકબંધ છે. હવે તેમાં થોડા પરિવર્તનો કરી દેવામાં આવ્યા છે, પરંતુ લોકતાંત્રિક ઢબે થતી આ પ્રક્રિયા આપણાં દેશમાં રાજાશાહીમાં પણ થતી હતી. રાજાઓ પણ પ્રજાના કલ્યાણ અને સુખાકારી માટે શપથ ગ્રહણ કરતાં હતા. ગઉઅના નેતા નરેન્દ્ર મોદી અને તેમનું મંત્રીમંડળ 9 જૂન, 2024ના રોજ સાંજે 7.15 કલાકે રાષ્ટ્રપતિ ભવન ખાતે શપથગ્રહણ કરવા જઈ રહ્યા છે. જવાહરલાલ નહેરુ પછી નરેન્દ્ર મોદી બીજા નેતા છે, જે ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેશે. જોકે, નરેન્દ્ર મોદીના નામે વધુ એક રસપ્રદ રેકોર્ડ પણ નોંધાયો છે. જે 24 વર્ષમાં 7 વખત શપથ લેવાનો છે. તેમણે ચાર વખત મુખ્યમંત્રી અને 2 વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા છે. જ્યારે હવે તેઓ ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેવા જઈ રહ્યા છે. તમામ મુખ્યમંત્રીએ, તેમના મંત્રીઓ, વડાપ્રધાનો અને તેમનું મંત્રીમંડળ તેમજ રાજ્યપાલ, રાષ્ટ્રપતિ, સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ વગેરે પદભાર સંભાળતા પહેલાં શપથ લે છે. ત્યારે એ જાણવું પણ ખૂબ આવશ્ર્યક બની રહી છે કે, શા માટે તમામ નેતાઓને શપથ લેવા અનિવાર્ય છે અને જો શપથનો ભંગ થાય તો તેના માટે દંડની શું જોગવાઈ છે. ભારત એક લોકતાંત્રિક દેશ છે. તેથી તમામ નેતાઓએ શપથ લેવા અનિવાર્ય છે. બંધારણ અનુસાર, કોઈપણ ચૂંટાયેલા નેતા જ્યાં સુધી શપથગ્રહણ ન કરે ત્યાં સુધી તેઓ પદભાર સંભાળી શકે નહીં અને સરકારમાં રહીને કાર્ય પણ કરી શકે નહીં. સામાન્ય રીતે લોકતાંત્રિક દેશોમાં શપથગ્રહણનું વિશેષ મહત્વ હોય છે. પરંતુ ભારતમાં પ્રાચીનકાળથી શપથગ્રહણ વિધિ ચાલતી આવે છે. પહેલાંના સમયમાં રાજા-મહારાજાઓ પણ શપથગ્રહણ કરીને જ રાજ્યનો કારભાર સંભાળતા હતા.

શપથગ્રહણનો ઇતિહાસ
શપથગ્રહણ પ્રાચીનકાળથી જ ભારતીય પરંપરાનો એક ભાગ રહ્યો છે. વૈદિક યુગમાં ઋષિ-મુનિઓ ધાર્મિક અનુષ્ઠાનો દરમિયાન શપથગ્રહણ કરતાં હતા. રામાયણ અને મહાભારતમાં પણ વિભિન્ન પાત્રોને શપથ લેતા દર્શાવવામાં આવ્યા છે. જે આ પ્રથાના દીર્ઘકાલિન સાંસ્કૃતિક મહત્વને ઉજાગર કરે છે. પ્રાચીનયુગમાં શપથ કે પ્રતિજ્ઞાનું ખૂબ મહત્વ માનવામાં આવતું હતું. ધાર્મિક મહત્વના કારણે લીધેલા શપથ તોડવા તે મહાપાપ ગણાતું હતું. મહાભારતકાળમાં ભીષ્મની પ્રતિજ્ઞાનું ઘણું મહત્વ છે. તેમણે હસ્તિનાપુર રાજ્યના રક્ષણ માટે આજીવન બ્રહ્મચારી રહેવાના અને હસ્તિનાપુરનું રક્ષણ કરવાના શપથ લીધા હતા. તે સિવાય મહાભારતકાળમાં મહાબલી ભીમે પણ દુર્યોધનના મૃત્યુના શપથ લીધા હતા. તે સમયે કોઈપણ મૂર્તિ કે પ્રકૃતિના તત્વને સાક્ષી માનીને શપથ લેવામાં આવતા હતા. પિતામહ ભીષ્મે માતા ગંગાને સાક્ષીમાં રાખીને હસ્તિનાપુરની રક્ષા કરવાના શપથ લીધા હતા. તે ઉપરાંત પ્રાચીનકાળમાં ક્ષત્રિય રાજા-મહારાજાઓ પણ શપથ લેતા હતા. તેઓ પવિત્ર સેંગોલ (બ્રહ્મદંડ/રાજદંડ)ને સાક્ષીમાં રાખીને શપથ લેતા હતા. ઘણીવાર બ્રાહ્મણ કે કોઈ ઋષિને સાક્ષીમાં રાખીને પણ શપથ લેવામાં આવતા હતા. પ્રાચીન રાજાઓ શપથમાં રાજ્યની પ્રજાના કલ્યાણ અને સુખાકારીની કામના કરતાં હતા. તે સિવાય રાજ્યના તમામ પ્રજાજનોની રક્ષા કરવી અને રાજ્ય સાથે વફાદાર રહેવાના પણ શપથ લેવામાં આવતા હતા. શપથગ્રહણ સમારોહ છેક બ્રિટિશકાળ સુધી ભારતીય પરંપરાનો એક ભાગ હતો. 1873માં બ્રિટિશ સરકારે ‘ભારતીય ન્યાયાલય અધિનિયમ’ લાગુ કર્યો હતો, જેમાં ધાર્મિક પુસ્તકો પર શપથ લેવાની જોગવાઈ હતી. સ્વતંત્રતા બાદ 1969માં ભારતીય ન્યાયાલય અધિનિયમમાં સંશોધન કરીને તેને ‘શપથ અધિનિયમ’ તરીકે સ્થાપિત કરવામાં આવ્યો હતો. જેનાથી આ પ્રક્રિયા ધર્મનિરપેક્ષ બની ગઈ હતી. જોકે, બાદમાં કોર્ટે ધર્મના નામે શપથ લેવાની પ્રથાને ફરીથી શરૂ કરી દીધી હતી. નોંધવા જેવું છે કે, સ્વતંત્રતા બાદ પહેલો શપથગ્રહણ સમારોહ જવાહરલાલ નહેરુ માટે યોજવામાં આવ્યો હતો, જેનું સંચાલન ગવર્નર-જનરલ લોર્ડ માઉન્ટબેટને કર્યું હતું.

- Advertisement -

શપથના પ્રકારો
રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, મંત્રી, પંચ-સરપંચ અને સરકારી કર્મચારીઓ પોતાના પદની ગરિમા જાળવી રાખવા, ઈમાનદારી અને નિષ્પક્ષતાથી કામ કરવા અને દેશની સંપ્રભુતા અને અખંડિતતાને જાળવી રાખવા માટેના શપથ લે છે. શપથ હિન્દી અને અંગ્રેજી સહિત કોઈપણ ભારતીય ભાષામાં લઈ શકાય છે. નોંધવા જેવું છે કે, ભારતના 13મા રાષ્ટ્રપતિ શંકર દયાલ શર્માએ સંસ્કૃત ભાષામાં શપથગ્રહણ કર્યા હતા. રાષ્ટ્રપતિ દેશના વડાપ્રધાનને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવે છે. સાથે જ મંત્રીઓને પણ તેઓ શપથ લેવડાવે છે. પહેલાં કેબિનેટ મંત્રીઓ અને ત્યારબાદ સ્વતંત્ર પ્રભારવાળા રાજ્ય મંત્રીઓને સૌથી છેલ્લે રાજ્ય મંત્રીઓને શપથ લેવડાવવામાં આવે છે. અહીં મહત્વની વાત એ છે કે, મંત્રીઓ માટે બે પ્રકારના શપથ હોય છે. જે આપણે મુદ્દાસર સમજવા પ્રયાસ કરીએ.

શપથગ્રહણનું મહત્વ
સાંસદો, ધારાસભ્યો, વડાપ્રધાન અને મંત્રીઓએ પદભાર ગ્રહણ કર્યા પહેલાં ભારતીય બંધારણનું સન્માન કરવાના શપથ લેવા અનિવાર્ય છે. શપથગ્રહણનું ધાર્મિક મહત્વ તો છે જ, પણ તેની સાથે તેનું બંધારણીય મહત્વ પણ છે. શપથ લીધા વગરના કોઈપણ નાયકને નેતા તરીકેનો દરજ્જો મળી શકતો નથી. શપથ લીધા વિના કોઈપણ નેતા સરકારી કામમાં ભાગ લઈ શકે નહીં. તેમને ગૃહમાં બેઠક ફાળવી શકાતી નથી. એટલું જ નહીં, પરંતુ તેમને ગૃહમાં બોલવાનો, મુદ્દાઓ ઉઠાવવાનો, નોટિસ આપવાનો અને ત્યાં સુધી કે, પગાર મેળવવાનો અધિકાર પણ રહેતો નથી. શપથ બંધારણીય પદ ગ્રહણ કરવાની એક મહત્વપૂર્ણ પ્રક્રિયા છે. જે સરકારી કાર્ય અને સંસદીય કાર્યવાહીમાં ભાગીદારીને સક્ષમ બનાવે છે. શપથગ્રહણ કોઈપણ નેતાને પોતાના રાષ્ટ્ર પ્રત્યે અને બંધારણ પ્રત્યે વફાદાર રહેવા માટે સજાગ કરે છે. દેશની સંપ્રભુતા અને અખંડિતતા બનાવી રાખવા માટે શપથનું ઘણું મહત્વ છે. તેથી શપથગ્રહણ સમારોહને સરકારનો સૌથી મોટો ઉત્સવ ગણવામાં આવે છે. જ્યારે કોઈ નેતા શપથગ્રહણ કરી લે છે, ત્યારે જ તેઓ તે પદ પર નિયુક્ત થઈ શકે છે. લોકોએ ચૂંટીને મોકલ્યા હોવા છતાં, જ્યાં સુધી શપથગ્રહણ ન થાય ત્યાં સુધી તેઓ કોઈપણ પ્રકારના પદ પર રહી શકતા નથી.

પદના શપથ
સાંસદ અને ધારાસભ્ય પોતાના પદની ગરિમા બનાવી રાખવા માટે, ઈમાનદારી અને નિષ્પક્ષતાથી કામ કરવા તથા દેશની સંપ્રભુતા અને અખંડિતતાને જાળવી રાખવાના શપથ લે છે. સાંસદ અને ધારાસભ્ય બનેલા દરેક સભ્યને આ શપથ લેવા અનિવાર્ય છે. તેમાં મંત્રીઓનો પણ સમાવેશ થઈ જાય છે. પદભાર ગ્રહણ કરવાના શપથ વિશેષ માનવામાં આવે છે.

- Advertisement -

You Might Also Like

ઉત્તર પશ્ચિમ ભારતમાં પશ્ચિમી વિક્ષેપ સાથે આગામી 4-5 દિવસ સુધી ગાજવીજ અને તેજ પવન સાથે વરસાદ પડશે

‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન પાકિસ્તાને સૌથી પહેલા સંપર્ક કરી સીઝફાયરની રજૂઆત કરી હતી: પૂર્વ વિદેશ મંત્રી સલમાન ખુર્શીદ

PM મોદી ભોપાલમાં, દેવી અહલ્યાબાઈ મહિલા શક્તિકરણ મહાસંમેલનમાં ભાગ લીધો

થરૂરની નારાજગી બાદ કોલંબિયાએ પાકિસ્તાન અંગેનું નિવેદન પાછું ખેંચ્યું

ઉત્તરાખંડમાં વરસાદની ચેતવણી: કેદારનાથ હાઇવે પર ભૂસ્ખલન, એક શ્રદ્ધાળુનું મોત, પાંચ લોકો ઘાયલ થયા

TAGGED: Constitution, oath, PM Modi
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article વાડી સ્વામિનારાયણ મંદિરમાં જ 14 વર્ષની તરૂણી પર દુષ્કર્મ આચરનાર કોઠારી સ્વામી અન્ડરગ્રાઉન્ડ થયો…
Next Article ગઠબંધન સરકારમાં મોદીની ક્ષમતાનું હવે થશે પરિક્ષણ: વિદેશી મીડિયાનો સૂર

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

ખાખીને કલંકિત કરતી ઘટના, અમરેલીમાં બે પોલીસ કર્મી વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાઇ

Khaskhabar Editor Khaskhabar Editor 18 hours ago
શાપરમાં પરપ્રાંતિય શ્રમિક પરિવારના 7 વર્ષના બાળકને કૂતરાંના ટોળાંએ ફાડી ખાધો
ઉચાપત કેસમાં જે. કે. ટ્રેડિંગના બંને ભાગીદારોને જામીન મુક્ત કરતી સેશન્સ કોર્ટ
લાજપોર મધ્યસ્થ જેલ ખાતે CPR તાલીમ તેમજ મેડીકલ કેમ્પનું આયોજન
મોરબીમાં સાવકા પિતા એ પુત્રી સાથે દુષ્કર્મ આચર્યું, પત્નીએ છાતીમાં પાટા મારી હત્યા કરી નાખી
મોરબીમાં સરકારના પોષણ સંગમ કાર્યક્રમ અન્વયે 1 દિવસીય વર્કશોપ યોજાયો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

ઉત્તર પશ્ચિમ ભારતમાં પશ્ચિમી વિક્ષેપ સાથે આગામી 4-5 દિવસ સુધી ગાજવીજ અને તેજ પવન સાથે વરસાદ પડશે

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
રાષ્ટ્રીય

‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન પાકિસ્તાને સૌથી પહેલા સંપર્ક કરી સીઝફાયરની રજૂઆત કરી હતી: પૂર્વ વિદેશ મંત્રી સલમાન ખુર્શીદ

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
રાષ્ટ્રીય

PM મોદી ભોપાલમાં, દેવી અહલ્યાબાઈ મહિલા શક્તિકરણ મહાસંમેલનમાં ભાગ લીધો

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?