મતદારોએ નરેન્દ્ર મોદીના નામ પર વોટ આપ્યા
નેતાઓએ ચૂંટણી પરીણામ બાદ આત્મમંથન કરવાની જરૂર
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.5
જૂનાગઢ લોકસભા બેઠક પર ભાજપે રાજેશ ચુડાસમાને ત્રીજી ટર્મ સાથે ટિકિટ આપી હતી જયારે કોંગ્રેસ પક્ષે ફ્રેશ ચહેરો પસંદ કરીને હીરાભાઈ જોટવાને ટિકિટ આપી હતી ચૂંટણી પ્રચાર સમયે બંને પક્ષ વચ્ચે રસાકસી જોવા મળી હતી અને લોકોના મન કળી શકાય તેમ ન હતા જયારે લોકસભાનું પરિણામ આવ્યું ત્યારે ભાજપના રાજેશ ચુડાસમા 1.35 લાખની સરસાઈ થી વિજેતા બન્યા હતા જેમાં સૌથી વધુ લીડ જૂનાગઢ અને ઉના વિધાનસભા માંથી મળી હતી અને સૌથી ઓછી લીડ તાલાલા અને માંગરોળ વિધાનસભા માંથી મળી હતી ત્યારે કાંટે કી ટક્કરમાં અંતે ભાજપ નો વિજય થયો હતો. જૂનાગઢ શહેરમાં મહાનગર પાલિકા દ્વારા જે રીતે કામગીરી થઈ રહી છે જેના લીધે શહેરમાં ઘણા મહિનાઓથી વિરોધ જોવા મળી રહયો છે
જેમાં ગત વર્ષે શહેરમાં તારાજીના દર્શ્યો જોવા મળ્યા હતા અને શહેરમાં પાણી ઘુસી જતા કરોડો રૂપિયાનું નુકશાન થયું હતું બીજી તરફ જૂનાગઢ શહેરની મધ્યમાં માંથી પસાર થતી દેલવાડા રૂટની મીટર ગેજ રેલવે લાઈનના લીધે શહેરીજનો ટ્રાફિક સમસ્યાથી ઘણા વર્ષોથી પરેશાન છે ત્યારે બીજી તરફ શહેરના અનેક વોકળા પર થયેલ ગેરકાયદેસર બાંધકામના લીધે વોંકળાના વહેણ નાના થઇ જતા લોકોના ઘરમાં પાણી ઘુસી જવાના લીધે ઊંચ કક્ષા સુધી રજૂઆત સાથે રોષ જોવા મળ્યો છે.બીજી તરફ શહેરમાં ભૂગર્ભ ગટર, નર્મદા પાણી લાઈન સાથે ગેસ કનેક્શન લાઈન નાખવાની કામગીરી ઘણા સમયથી ચાલી રહી છે જેના લીધે સારા રસ્તાઓ તૂટી જવાથી ફરી રીપેર નહિ થતા સ્થાનિક લોકો ખુબ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ત્યારે લાંબા સમયથી પરેશાન લોકોએ લોકસભા ચૂંટણી સમયે ભાજપ વિરુદ્ધ મતદાન કરશે તેવા સંકેત મળી રહ્યા હતા પણ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને જોઈને મત પેટીઓ છલકાવી દીધી હતી ત્યારે શહેરીજનોએ મનપાએ કરેલી ભૂલને બાજુએ મૂકીને ભાજપ તરફી મતદાન કરતા અંતે ભાજપ આ લોકસભા બેઠક જાળવી રાખવામાં સફળ થયા હતા.
જૂનાગઢ લોકસભા બેઠક પર ત્રીજી વાર સાંસદની ચૂંટણી લડતા રાજેશ ચુડાસમા પણ ક્યાંય દેખતા નથી તેવી લોકો માંથી ખુબ ફરિયાદો ઉઠવા પામી હતી અને બંને જિલ્લામાં જે રીતે કામગીરી થવી જોઈએ તેવી કામગીરી નહિ થતી હોવાની અનેક ફરિયાદો લોકો કરી રહ્યા હતા તેવા વિરોધના વંટોળ વચ્ચે પણ પ્રધાનમંત્રીનો ચહેરો જોઈને લોકોએ ઈવીએમ મશીનની જોળી છલકાવી દીધી હતી અને ખોબલે ખોબલે મત આપીને જૂનાગઢ લોકસભા બેઠક પરના રાજેશ ચુડાસમા 1.35 લાખ મતની લીડ સાથે વિજય થયો હતો ત્યારે હવે પંચાયતથી પાર્લા મેન્ટ્રી સુધી એકજ પક્ષનું સાસન હોઈ ત્યારે પણ જો ચૂંટણીમાં આટલી કસરત કરવી પડી હોઈ તે શરમ જનક બાબત છે લોકના કામ નથી થતા તેવી બુમરાણ ઉઠી હતી અને યોગ્ય જવાબ નથી મળતા તેવા પક્ષના કાર્યકરોમાં ગણગણાટ જોવા મળતો હતો ત્યારે હવે જૂનાગઢ ગીર સોમનાથ જિલ્લાના આગેવાનોએ હવે આત્મ મંથન કરવાની જરુર છે.તેવો લોકોમાંથી અવાજ ઉઠ્યો છે.
- Advertisement -
જૂનાગઢ લોકસભા મતક્ષેત્રના પરિણામ