ઉનાળામાં મોટાભાગે લોકો શેરડીનો રસ, કોલ્ડ ડ્રિંક્સ અને અન્ય ઠંડા જ્યૂસ પીવાનું પસંદ કરે છે. પરંતુ તેનું સેવન લિમિટમાં જ કરવું જોઈએ. એક્સપર્ટ્સની માનીએ તો વધારે શુગર વાળા ડ્રિંક્સ પીવાથી સ્વાસ્થ્યને નુકસાન થાય છે.
ઉનાળામાં શેરડીનો રસ સૌથી વધારે પીવામાં આવે છે. જોકે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે લોકોને વધારે શેરડીનો રસ ન પીવાની સલાહ આપી છે. ICMRની તરફથી જાહેર એક એલર્ટમાં કહેવામાં આવ્યું છે કે શેરડીનો રસ, કોલ્ડ ડ્રિંક્સ, એડેડ શુગર વાળા ફ્રૂટ જ્યૂસ, ચા અને કોફીનું સેવન કરવાથી ગરમીમાં સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે.
- Advertisement -
ICMRની તરફથી જાહેર કરેલી ગાઈડલાઈન્સમાં જણાવવામાં આવ્યું છે કે 100 મિલીગ્રામ શેરડીના રસમાં લગભગ 13-15 ગ્રામ શુગર હોય છે. વયસ્ક લોકોને એક દિવસમાં 30 ગ્રામથી વધારે શુગરનું સેવન ન કરવું જોઈએ. બાળકો માટે એક દિવસમાં 24 ગ્રામથી વધારે શુગર ઈનટેક નુકસાનકારક સાબિત થઈ શકે છે.
તેના હિસાબથી જો કોઈ શેરડીનો જ્યૂસ પી રહ્યું છે તો તેના શરીરમાં જરૂર કરતા વધારે શુગર જઈ રહી છે. શુગરનું વધારે સેવન સ્થૂળતા બીપી, ફેટી લિવર, ડાયાબિટીસ સહિત ઘણી ગંભીર બીમારીઓનો ખતરો વધારી શકે છે. તેનાથી બચવા માટે લોકોને ફ્રૂટ જ્યૂસની જગ્યા પર ફળ ખાવા જોઈએ.
- Advertisement -
શું કહે છે એક્સપર્ટ્સ
એક્સપર્ટ્સ અનુસાર શેરડીનો રસ, પેકેજ્ડ જ્યૂસ અને કોલ્ડ ડ્રિંક્સમાં શુગરનું પ્રમાણ વધારે હોય છે. ડાયાબિટીસના દર્દીઓને આ વસ્તુઓને સંપૂર્ણ રીતે અવોઈડ કરવી જોઈએ. શેરડીનો જ્યૂસ નેચરલ માનવામાં આવે છે. પરંતુ જો હાઈજીન ન હોય તો તે કમળા જેવી ગંભીર બીમારીનો ખતરો વધારી શકે છે.
લોકોને તેની જગ્યા પર ઉનાળામાં લીંબૂનો રસ, કોકોનટ વોટર, શિકંજી, છાસનું સેવન કરવું જોઈએ. આ વસ્તુઓમાં પોષક તત્વોનું ભરપૂર પ્રમાણ હોય છે. જેનાથી હાઈડ્રેશનની સાથે શરીરને મજબૂતી મળે છે.